શિક્ષણ , સર્જન , સિદ્ધિ

શિક્ષણકુંજ ઈ મેગેઝીન
Join Us On
Whatsapp
Join Us On
Telegram

ભગવાન શ્રી રામ

 ભગવાન શ્રી રામ







રામ અયોધ્યાનાં રાજા દશરથ અને તેમની પટરાણી કૌશલ્યાનાં પુત્ર તરીકે જન્મ્યા હતાં. લોકો તેમને રામચંદ્ર, દશરથ નંદન, કૌશલ્યા નંદન, વગેરે નામોથી પણ ઓળખે છે. તેમને વિષ્ણુનાં અવતાર માનવામાં આવે છે. વિષ્ણુનાં અવતારોમાં ભગવાન કૃષ્ણની પૂર્ણ પુરૂષોત્તમ અને રામની મર્યાદા પુરૂષોત્તમ તરીકે ગણતરી થાય છે. રાજા દશરથની અન્ય બે રાણીઓ, સુમિત્રા અને કૈકેયીનાં પુત્રો લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન રામનાં અન્ય ભાઈઓ હતાં. ભગવાન રામનાં લગ્ન વિદેહનાં રાજા જનકની પુત્રી સીતા સાથે થયાં હતાં. તેમને બે પુત્રો લવ અને કુશ હતાં.



રામનાં નાનપણ ની અનેક લીલાઓ રામાયણમાં વર્ણવાઇ છે. સાવકી માતા કૈકેયી એ દાસી મંથરાની કાન ભંભેરણીથી ઉશ્કેરાઇને રાજા દશરથ પાસેથી રામનો વનવાસ અને પોતાનાં પુત્ર ભરતનો રાજ્યાભિષેક માંગ્યો હતો, જેનો આઘાત સહન ન થવાથી રાજા દશરથ મૃત્યુ પામ્યા, રામ ૧૪ વર્ષનાં વનવાસે ગયા, જ્યાં માતા સીતા એક આદર્શ પત્ની તરીકે તેમની સાથે ગયા તથા રામના ભાઈ લક્ષ્મણ પણ તેમની અને પોતાની માતા સમાન ભાભી સીતાની સેવા અર્થે વનમાં તેમની સાથે ગયા.


વનવાસ દરમ્યાન, લંકા પતિ રાવણ સીતાનું અપહરણ કરી ગયો અને તેમને અશોક વાટિકામાં રાખ્યા. રામ સીતાને શોધવા નિકળ્યા, જ્યાં રસ્તામાં તેમને જટાયુ, હનુમાન, સુગ્રીવ વગેરે એ મદદ કરી, અંતે રામે રાવણનો વધ કરીને, સીતાને પાછા મેળવ્યાં. આ બધી કથા વિસ્તૃત રૂપે વાલ્મિકી મુનિએ રામાયણમાં વર્ણવી છે. આશરે ૫૦૦ વર્ષ પૂર્વે, ગોસ્વામી તુલસીદાસે હિંદીની એક બોલી ખડી હિંદીમાં રામાયણ લોકો સમજી શકે તેવા સરળ શબ્દોમાં લખ્યું જેને તેમણે રામચરિત માનસ નામ આપ્યું. આ રામચરિત માનસ ઉત્તર ભારતમાં ખૂબ પ્રચલિત છે.


અયોધ્યા સરયૂ નદીના કાંઠે આવેલ છે.

લક્ષ્મણ અને શત્રુઘ્નના માતાનું નામ સુમિત્રા હતું.

ભરતની માતાનું નામ કૈકયી હતું.

વાલ્મિકી દ્વારા રચિત રામાયણમાં 24000 શ્લોકો અને 6 કાંડ આવેલ છે.


Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

Related Posts:

  • ગૌતમ બુદ્ધ ગૌતમ બુદ્ધસિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ એ બૌદ્ધ ધર્મના સ્થાપક છે. ઇ.સ. પૂર્વે ૫૬૬માં બુદ્ધનો જન્મ કપિલવસ્તુ નગરીમાં શાક્ય ક્ષત્રિય પરિવારમાં થયો હતો. જન્… Read More
  • રક્ષાબંધન રક્ષાબંધનबहना ने भाई की कलाई से प्यार बाँधा हैप्यार के दो तार से, सँसार बाँधा हैरेशम की डोरी से सँसार बाँधा है।तोड़े से भी ना टूटे, ये ऐसा मन बं… Read More
  • શ્રી નરેન્દ્ર દામોદરદાસ મોદીશ્રી નરેન્દ્ર દામોદરદાસ મોદી              શ્રી નરેન્દ્ર દામોદરદાસ મોદી (જન્મ: ૧૭ સપ્ટેમ્બર, ૧૯૫૦) ભારતના વડાપ્રધાન … Read More
  • ભગવાન શ્રીરામ ભગવાન શ્રીરામજય શ્રી રામરામાયણ એ ભારતીય સંસ્કૃતિનો ઐતિહાસિક ગ્રંથ છે. વાલ્મિકીએ મૂળ સંસ્કૃતમાં આ ગ્રંથની રચના કરી હતી.      … Read More
  • સુભાષચંદ્ર બોઝ  સુભાષચંદ્ર બોઝ  જીવન પરિચય*સુભાષચંદ્ર બોઝ* સુભાષચંદ્ર બોઝ (જન્મ : ૨૩ જાન્યુઆરી, ૧૮૯૭ - અવસાન : ૧૮ ઑગસ્ટ, ૧૯૪૫) જે 'નેતાજી'ના હુલામણા ન… Read More

0 Comments:

Post a Comment

Join us on Facebook Group

Followers

VISITERS

115068