શિક્ષણ , સર્જન , સિદ્ધિ

શિક્ષણકુંજ ઈ મેગેઝીન
Join Us On
Whatsapp
Join Us On
Telegram
Showing posts with label JIVAN PARICHAY. Show all posts
Showing posts with label JIVAN PARICHAY. Show all posts

ભગવાન શ્રીરામ

 ભગવાન શ્રીરામ





જય શ્રી રામ



રામાયણ એ ભારતીય સંસ્કૃતિનો ઐતિહાસિક ગ્રંથ છે. વાલ્મિકીએ મૂળ સંસ્કૃતમાં આ ગ્રંથની રચના કરી હતી. 

           ભારતીય લોકોની જીવનશૈલી, સમાજ જીવન અને કુટુંબસંસ્થા પર રામાયણનો બહુ મોટો પ્રભાવ છે. દરેક પતિ-પત્નીને રામ-સીતા સાથે, પુત્રને રામ સાથે, ભાઈને લક્ષ્મણ કે ભરત સાથે અને મિત્રને સુગ્રીવ સાથે સરખાવવામાં આવે છે. રામને આદર્શ રાજા માનવામાં આવે છે. રામાયણનું દરેક પાત્ર સમાજ માટે આદર્શપાત્ર બની રહે છે. રામાયણ પરથી વર્ષ ૧૯૮૭-૮૮ દરમિયાન ટીવી સિરિયલ પણ બનેલી જે ખૂબ જ પ્રચલિત બની છે.

       રામાયણ ત્રેતાયુગમાં જન્મેલા ભગવાન શ્રી રામની જીવન કથા છે. રામાયણમાં વર્ણવેલું રામ-રાજ્ય આદર્શ રાજ્ય ગણાય છે. ઉત્તર ભારતમાં અયોધ્યાના રાજા દશરથના ચાર પુત્રોમાં રામ સૌથી મોટા પુત્ર છે. આ જ સમય ગાળામાં લંકામાં રાજા રાવણનું રાજ્ય હતુ. રામાયણમાં રાવણને એક અત્યાચારી રાજા તરીકે વર્ણવવામાં આવ્યો છે.

          રામ હિંદુ ધર્મના દેવતા છે. તે વિષ્ણુનો સાતમો અવતાર છે. અયોધ્યામાં કૌશલ્યા અને દશરથને ત્યાં શ્રી રામનો જન્મ થયો હતો.  લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન તેમના ભાઈઓ હતા. ભગવાન શ્રી રામે સીતાજી સાથે લગ્ન કર્યા હતા. ભગવાન શ્રી રામ પ્રાચીન ગ્રંથોમાં મુખ્યત્ત્વે લોકરક્ષક અને મર્યાદાપુરુષોત્તમ તરીકે વર્ણવાયેલા છે.

        સીતાજી ભગવાન રામના પત્ની તથા લક્ષ્મીનો અવતાર મનાય છે. જનક નંદિની માતા જાનકી તો ભારતીય સતીત્ત્વ કે નારીતાનું પ્રેરક અને જીવંત પ્રતીક છે.   મિથિલાના રાજા જનક દ્વારા હળથી ધરતી ખેડતાં એમાંથી મળેલ કન્યાનું નામ ‘સીતા’ રખાયું. જનકની પુત્રી હોઈ તે ‘જાનકી’ કહેવાઈ.

      દશરથ એ અયોધ્યાના રાજા અને ભગવાન શ્રી રામના પિતા હતાં.   દશરથ અજ અને ઈન્દુમતીનાં પુત્ર હતા. દશરથને કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા નામે ત્રણ રાણીઓ હતી તેમજ રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન નામે ચાર પુત્રો હતા. કૌશલ્યા એ ભગવાન શ્રી રામના માતા અને રાજા દશરથનાં ધર્મપત્ની હતાં


     હનુમાન એ હિંદુ દેવતા અને શ્રી રામના પરમ ભક્ત અને સાથી છે. તેઓ બ્રહ્મચારી અને ચિરંજીવી તરીકે વર્ણવાયા છે. તેઓ બળ,બુદ્ધિ, વિદ્યા અને ભક્તિ ના દેવતા મનાય છે. રામાયણ સહિત અન્ય ગ્રંથો જેવા કે મહાભારત અને વિવિધ પુરાણોમાં તેમનું વર્ણન થયું છે. તેઓ અંજની અને કેસરીના પુત્ર તેમજ વાયુદેવના પુત્ર છે. તેમનો જન્‍મ ચૈત્રી પૂનમને દિવસે થયો હતો, જેની હનુમાન જન્મોત્સવ તરીકે ઉજવણી થાય છે.

      રાવણ લંકાનો રાજા હતો. રાવણના પિતાનું નામ વિશ્રવા અને માતાનું નામ કૈકસી હતું. રાવણના ભાઈઓ કુંભકર્ણ અને વિભીષણ હતા. રાવણની બહેનનું નામ શૂર્પણખા હતું. રાવણે મંદોદરી સાથે વિવાહ કર્યા હતા. 

       પક્ષી ગીધરાજ જટાયુ, રાજા દશરથ (રામના પિતા)નો જૂનો મિત્ર છે. જટાયુ જ્યારે રાવણ સીતાનું અપહરણ કરીને લંકા લઇ જતો હોય છે ત્યારે સીતાને બચાવવાનો પ્રયત્ન કરે છે. જટાયુ બહાદુરીથી લડે છે પણ જટાયુ વૃદ્ધ હોવાથી રાવણ સામે ઘાયલ થાય છે. રામ અને લક્ષ્મણ સીતાને શોધવા જતી વખતે મૃત્યુ શૈયા પર પડેલા જટાયુને મળે છે અને  રાવણ કઇ દિશામાં ગયો તેનું માર્ગદર્શન મેળવે છે. જ્યારે જટાયુ ઘાયલ થઇને જમીન પર પડ્યો હોય છે અને ભગવાન રામ ત્યાં આવે છે, રામ તેને મોક્ષ આપે છે. જટાયુના  ભાઇનું નામ સંપાતિ છે.

       શૂર્પણખા એ લંકાના રાજા રાવણની બહેન છે. વિભીષણ  લંકાના રાજા રાવણનો ભાઇ હતો.  વિભીષણ લંકા છોડીને રામની સેનામાં ભળી ગયો હતો. રાવણના વધ પછી રામે વિભીષણને લંકાનો રાજા બનાવ્યો હતો.



રામ નવમીનો તહેવાર ભારતમાં ચૈત્ર સુદ નોમ(નવમી)ના દિવસે શ્રદ્ધા અને આસ્થા સાથે ઉજવાય છે. ભારતીય ઉપખંડના મહત્ત્વના એવા હિંદુ ધર્મના શાસ્ત્રોમાં વર્ણવ્યા અનુસાર જયારે સમાજમાં સત્‍ય ઉપર અસત્‍ય, પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતા, સદાચાર ઉપર દુરાચાર અને ઋષિ સંસ્‍કૃતિ ઉપર દૈત્‍ય શક્તિઓ હાવી થવા લાગી ત્‍યારે ભગવાન શ્રી રામે તેમનો નાશ કરવા માટે જન્‍મ લીધો. તે  તિથિ હતી ચૈત્ર સુદ નોમ (નવમી). ભગવાન શ્રી રામના આ જન્‍મ દિવસને ઉત્તરથી દક્ષિ‍ણ અને પૂર્વથી પશ્ચિમ સુધી બધા રામનવમી તરીકે ધામધૂમથી ઉજવે છે.

           ભગવાન શ્રી રામે પિતા, માતા, ગુરુ, પત્ની, નાના ભાઈઓ પ્રત્‍યેની ફરજો ઉપરાંત કુટુંબ તેમજ સમાજ પ્રત્‍યેની ફરજો નિષ્‍ઠાપૂર્વક બજાવવા સાથે એક મર્યાદા પુરુષોત્તમ તરીકેનું જીવન વ્‍યતિત કર્યુ હતું. ભગવાન શ્રી રામે આદર્શ રામરાજ્યની સ્થાપના કરી હતી, જે આજે પણ યાદ કરવામાં આવે છે. રામ નવમી હિંદુ ધર્મનો ધાર્મિક તહેવાર છે, જે ભગવાન શ્રી રામનો જન્મદિન છે. વિષ્ણુના સાતમા અવતાર તરીકે, તે હિંદુ ધર્મનો મહત્ત્વનો તહેવાર છે. 

            રામનવમીના દિવસે   લોકો રામમંદિરોમાં પૂજન-અર્ચન, દર્શનાર્થે જાય છે અથવા ઘરમાં પૂજા-અર્ચના  કરે છે. રામની બાલમૂર્તિની સેવા-પૂજા તથા પારણાનાં દર્શન પણ કરાય છે. ઘણાં લોકો રામ નવમીના દિવસે વ્રત-ઉપવાસ પણ કરે છે. આ દિવસે અયોધ્યા, સીતામઢી (બિહાર) તથા રામેશ્વરમ (તામિલ નાડુ) તથા અન્ય નાના-મોટા નગરોમાં શોભાયાત્રાનું પણ આયોજન કરાય છે. અયોધ્યામાં લોકો સરયુ નદીમાં સ્નાન કરી રામમંદિરમાં દર્શનાર્થે જાય છે.


રામ અયોધ્યાનાં રાજા દશરથ અને તેમની પટરાણી કૌશલ્યાનાં પુત્ર તરીકે જન્મ્યા હતાં. લોકો તેમને રામચંદ્ર, દશરથ નંદન, કૌશલ્યા નંદન, વગેરે નામોથી પણ ઓળખે છે. તેમને વિષ્ણુનાં અવતાર માનવામાં આવે છે. વિષ્ણુનાં અવતારોમાં ભગવાન કૃષ્ણની પૂર્ણ પુરૂષોત્તમ અને રામની મર્યાદા પુરૂષોત્તમ તરીકે ગણતરી થાય છે. રાજા દશરથની અન્ય બે રાણીઓ, સુમિત્રા અને કૈકેયીનાં પુત્રો લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન રામનાં અન્ય ભાઈઓ હતાં. ભગવાન રામનાં લગ્ન વિદેહનાં રાજા જનકની પુત્રી સીતા સાથે થયાં હતાં. તેમને બે પુત્રો લવ અને કુશ હતાં. 


રામનાં નાનપણ ની અનેક લીલાઓ રામાયણમાં વર્ણવાઇ છે. સાવકી માતા કૈકેયીએ દાસી મંથરાની કાન ભંભેરણીથી ઉશ્કેરાઇને રાજા દશરથ પાસેથી રામનો વનવાસ અને પોતાનાં પુત્ર ભરતનો રાજ્યાભિષેક માંગ્યો હતો, જેનો આઘાત સહન ન થવાથી રાજા દશરથ મૃત્યુ પામ્યા, રામ ૧૪ વર્ષનાં વનવાસે ગયા, જ્યાં માતા સીતા એક આદર્શ પત્ની તરીકે તેમની સાથે ગયા તથા રામના ભાઈ લક્ષ્મણ પણ તેમની અને પોતાની માતા સમાન ભાભી સીતાની સેવા અર્થે વનમાં તેમની સાથે ગયા. અશોક


વનવાસ દરમ્યાન, લંકા પતિ રાવણ સીતાનું અપહરણ કરી ગયો અને તેમને જ્યાં નિકળ્યા, રસ્તામાં સીતાને શોધવા વાટિકામાં રાખ્યા. રામ તેમને જટાયુ, હનુમાન, સુગ્રીવ વગેરે એ મદદ કરી, અંતે રામે રાવણનો વધ કરીને, સીતાને પાછા મેળવ્યાં. આ બધી કથા વિસ્તૃત રૂપે વાલ્મિકી મુનિએ રામાયણમાં વર્ણવી છે. આશરે ૫૦૦ વર્ષ પૂર્વે, ગોસ્વામી તુલસીદાસે હિંદીની એક બોલી ખડી હિંદીમાં રામાયણ લોકો સમજી શકે તેવા સરળ શબ્દોમાં લખ્યું જેને તેમણે રામચરિત માનસ નામ આપ્યું. આ રામચરિત માનસ ઉત્તર ભારતમાં ખુબ પ્રચલિત છે, જેમાં અનેક શસ્ત્રોનાં અભ્યાસીઓનાં મતે થોડી ઘણી કાલ્પનિક વાતો ઉમેરેલી છે, આમ વાલ્મિકિ કૃત રામાયણ અને રામચરિત માનસ હંમેશા એક બીજાની સાથે સરખામણી પામતું રહ્યું છે.



દશેરા


आज दशहरे का दिन आया,

असत्य पर सत्य ने विजय पाया।

श्री रामचंद्र जी ने रावण को हराया,

नीति का पाठ पूरी दुनिया को पढ़ाया।


        દશેરા ભારતમાં ઉજવાતો એક હિંદુ તહેવાર છે, જે નવરાત્રિ પૂરી થયા બાદ આવે છે. દશેરાનો તહેવાર આસો માસની સુદ દસમને દિવસે આવે છે. લંકાનાં રાજા રાવણ ઉપર ભગવાન શ્રી રામચંદ્રજીએ મેળવેલાં વિજયના માનમાં આ તહેવાર ઉજવવામાં આવે છે. દશેરાનું બીજું નામ વિજયા દશમી પણ છે.

        સમગ્ર ભારત દેશમાં દશેરાના તહેવારની ભવ્ય ઉજવણી થાય છે. ભારતના દક્ષિણ, પૂર્વીય અને ઉત્તરપૂર્વીય રાજ્યોમાં વિજ્યાદશમી દુર્ગા પૂજાનો અંત દર્શાવે છે, જે રાક્ષસ મહિષાસુર પર દેવી દુર્ગાના વિજયનો ઉત્સવ છે. ઉત્તરીય અને પશ્ચિમી રાજ્યોમાં, આ તહેવારને દશેરા કહેવામાં આવે છે. આ પ્રદેશોમાં, તે "રામલીલા" ના અંતને દર્શાવે છે અને રાવણ પર ભગવાન શ્રી રામની જીતને યાદ કરે છે.

          આ દિવસે ભગવાન શ્રી રામે રાવણનો વધ કરીને પૃથ્વીને રાવણના અત્યાચારોમાંથી મુક્ત કરી હતી. દશેરાના તહેવારને અસત્ય પર સત્યની જીત તરીકે પણ ઉજવવામાં આવે છે અને આ દિવસે શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે. દર વર્ષે દશેરાના દિવસે રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના પૂતળાનું અનિષ્ટના પ્રતીક તરીકે દહન કરવામાં આવે છે.

        ભગવાન શ્રી રામ દ્વારા રાવણના વધની કથા સિવાય બીજી એક પૌરાણિક કથા છે. તે મુજબ અસુર મહિષાસુર અને તેની સેના દેવતાઓને હેરાન કરી રહી હતી. આ કારણે માતા દુર્ગાએ સતત નવ દિવસ સુધી મહિષાસુર અને તેની સેના સામે લડત આપી હતી અને આ યુદ્ધના દસમા દિવસે માતા દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો હતો.

      ઉત્તર ભારતના રાજ્યો અને કર્ણાટકમાં દશેરા શબ્દ વધુ પ્રચલિત છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં વિજયાદશમી શબ્દ વધુ પ્રચલિત છે. ઉત્તર ભારતમાં દશેરાની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે અને રામ લીલાનું આયોજન થાય છે. તેનું સમાપન રાવણના વધ અને દશેરા અથવા વિજયાદશમીના દિવસે પૂતળા દહન થકી થાય છે.

      દર વર્ષે દશેરાની ઉજવણી કરવાનો હેતુ લોકોને સત્ય, ધર્મ અને સદ્ભાવનાનો સંદેશ આપવાનો છે. સત્યના માર્ગ પર ચાલવામાં મુશ્કેલીઓ આવશે, પરંતુ અંતે વિજય સત્યનો જ થશે, તેથી વ્યક્તિએ ક્યારેય સત્યના માર્ગથી ભટકી ન જવું જોઈએ. તમારી અંદર રહેલી ખરાબીઓને દૂર કરીને પોતાને સારા બનાવવાનો સંદેશ પણ દશેરાના તહેવારમાં છુપાયેલો છે.



 વધુ માહિતિ માટે અહિં ક્લિક કરો


Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

સ્મૃતિ મંધાના



સ્મૃતિ મંધાના (Smriti Mandhana) (જન્મ : 18 જુલાઈ, 1996) ભારતની આંતરરાષ્ટ્રીય ક્રિકેટર અને ભારતીય મહિલા રાષ્ટ્રીય ટીમની ઉપ-કપ્તાન છે. તેની 2025 મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ, 2016 અને 2022ની મહિલા એશિયા કપ જીતનારી ભારતીય ટીમનો ભાગ રહી હતી. ઉપરાંત, તેણે 2022ના એશિયન ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક અને 2022ના કોમનવેલ્થ ગેમ્સમાં રજત ચંદ્રક પણ ભારત માટે જીત્યો હતો.

      

        સ્મૃતિ મંધાનાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 9,500થી વધુ રન બનાવ્યા છે. તેણી પાસે આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી વધુ સદી કરવાનો રેકોર્ડ (મેગ લેન્નિંગ સાથે સંયુક્ત) છે અને મહિલા વન ડે આંતરરાષ્ટ્રીય (WODI)માં બીજા ક્રમે સૌથી વધુ સદીનો રેકોર્ડ છે. મહિલા ટ્વેંટી20 આંતરરાષ્ટ્રીય (WT20I)માં તેણીએ બીજા ક્રમે સૌથી વધુ રન અને સૌથી વધુ અર્ધસદી નોંધાવી છે. મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ત્રણ ફોર્મેટ—ટેસ્ટ, મહિલા વન ડે આંતરરાષ્ટ્રીય (WODI) અને મહિલા ટ્વેંટી20 આંતરરાષ્ટ્રીય (WT20I)માં સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર છે. વન ડે આંતરરાષ્ટ્રીય (ODI)માં કોઈપણ ભારતીય બેટર દ્વારા સૌથી ઝડપી સદી કરવાનો રેકોર્ડ પણ તેના નામે છે.

      ઘરેલું ક્રિકેટમાં સ્મૃતિ મંધાના મહારાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે છે. તે મહિલા પ્રીમિયર લીગ (WPL)માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની કપ્તાન છે અને 2024ની સીઝનમાં ટીમને WPL ખિતાબ જીતાડ્યો હતો. 2019થી 2022 દરમિયાન તેણે વુમન્સ T20 ચેલેન્જમાં ટ્રેઇલબ્લેઝર્સનું નેતૃત્વ કર્યું હતું અને 2020ની સીઝનમાં ટીમને ખિતાબ અપાવ્યો હતો. 

      સ્મૃતિ મંધાનાએ ચાર ICC એવોર્ડ્સ જીત્યા છે, જેમાં 2018 અને 2021માં વુમન્સ ક્રિકેટર ઓફ ધ યર અને 2018 તથા 2024માં ODI ક્રિકેટર ઓફ ધ યરનો સમાવેશ થાય છે. 2021માં તેને T20 પ્લેયર ઑફ ધ યર માટે અને 2022માં વુમન્સ ક્રિકેટર ઑફ ધ યર માટે નામાંકિત કરવામાં આવી હતી. વર્ષ 2018 અને વર્ષ 2025માં બોર્ડ ઑફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) દ્વારા તેને બેસ્ટ ઇન્ટરનેશનલ ક્રિકેટર એવોર્ડ એનાયત થયો હતો. વર્ષ 2019માં ભારત સરકારે તેને અર્જુન એવોર્ડ આપ્યો હતો. વર્ષ 2024 માટે વિઝ્ડન દ્વારા તેને વિશ્વની શ્રેષ્ઠ ક્રિકેટર તરીકે પસંદ કરવામાં આવી હતી.

      સ્મૃતિ મંધાનાનો જન્મ 18 જુલાઈ, 1996ના રોજ મુંબઈ, મહારાષ્ટ્રમાં સ્મિતા અને શ્રીનિવાસ મંધાનાના ઘરે થયો હતો. તેમના પિતા કેમિકલ ડિસ્ટ્રિબ્યુટર તરીકે કામ કરતા હતા, જ્યારે માતા ગૃહિણી છે. જ્યારે સ્મૃતિ મંધાના બે વર્ષની હતી ત્યારે તેમનું પરિવાર મહારાષ્ટ્રના સાંગલી નજીકના ઉપનગર મધવનગરમાં સ્થાયી થયું, જ્યાં તેમણે પોતાની શાળાની શિક્ષણ પૂર્ણ કર્યું. તેમણે સાંગલીની ચિંતામણ રાવ કોમર્સ કૉલેજમાં અભ્યાસ કર્યો. સ્મૃતિ મંધાનાના પિતા અને ભાઈએ સ્થાનિક સ્તરે ક્રિકેટ રમ્યું હતું. તેમના ભાઈને જુનિયર સ્ટેટ ટૂર્નામેન્ટમાં રમતા જોવાથી સ્મૃતિ મંધાનાને ક્રિકેટ રમવાની પ્રેરણા મળી.

       નવ વર્ષની ઉંમરે સ્મૃતિ મંધાનાની મહારાષ્ટ્રની અંડર-15 ટીમમાં પસંદગી થઈ હતી, અને અગિયાર વર્ષની ઉંમરે મહારાષ્ટ્રની અંડર-19 ટીમમાં પણ તેમની પસંદગી થઈ. તેમનો મોટો બ્રેકથ્રૂ ઑક્ટોબર 2013માં આવ્યો, જ્યારે તેમણે વડોદરાના એલેમ્બિક ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી વેસ્ટ ઝોન અંડર-19 ટૂર્નામેન્ટમાં ગુજરાત અંડર-19 ટીમ સામેની લિસ્ટ-એ મેચમાં 200 રન બનાવનાર પ્રથમ ભારતીય મહિલા બની. તેમણે 150 બોલમાં અણનમ 224 રન બનાવ્યા હતા.

       વર્ષ 2016-17ની વુમન્સ ચેલેન્જર ટ્રોફીની આવૃત્તિમાં સ્મૃતિ મંધાનાએ ઈન્ડિયા રેડ માટે ત્રણેય મેચોમાં અડધી સદી ફટકારી હતી. ફાઈનલમાં ઈન્ડિયા બ્લૂ સામે 82 બોલમાં અણનમ 62 રન બનાવી તેમણે પોતાની ટીમને ટ્રોફી જીતાડવામાં મદદ કરી હતી અને કુલ 192 રન સાથે ટૂર્નામેન્ટની સર્વોચ્ચ રન બનાવનારી ખેલાડી બની હતી.

      એપ્રિલ 2013માં બાંગ્લાદેશની ભારત મુલાકાત દરમિયાન સ્મૃતિ મંધાનાએ મહિલા વન ડે આંતરરાષ્ટ્રીય (WODI) અને મહિલા ટ્વેન્ટી20 આંતરરાષ્ટ્રીય (WT20I) બંનેમાં ભારતની રાષ્ટ્રીય મહિલા ટીમ માટે ડેબ્યુ કર્યું હતું. WODI સીરિઝમાં રમાયેલી બે મેચોમાં તેણીએ કુલ 48 રન બનાવ્યા હતા. WT20Iમાં, જે સીરિઝની તેની પ્રથમ અને એકમાત્ર મેચ હતી, તેમાં ઓપનિંગ કરતી વખતે તેણીએ 39 રન બનાવ્યા હતા. ઑગસ્ટ 2014માં, ઈંગ્લેન્ડ સામે વોર્મ્સલીના સર પોલ ગેટ્ટી ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ટેસ્ટ મેચમાં સ્મૃતિ મંધાનાની ડેબ્યુ સાથે કુલ આઠ ખેલાડીઓએ પ્રથમ ટેસ્ટ અભિયાન કર્યું હતું. તેણે પહેલી ઇનિંગમાં 22 અને બીજી ઇનિંગમાં 51 રન બનાવ્યા હતા. વિજય માટે 182 રનના લક્ષ્યાંકને ચેઝ કરતી વખતે, થિરુષ કામિની સાથે મળીને તેણે બીજી ઇનિંગમાં પ્રથમ વિકેટ માટે 76 રનની ભાગીદારી કરી હતી. વર્ષ 2016માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન, સ્મૃતિ મંધાનાએ સીરિઝની બીજી WODI મેચમાં ઓસ્ટ્રેલિયા સામે પોતાનું પ્રથમ આંતરરાષ્ટ્રીય શતક ફટકાર્યું હતું. હોબાર્ટના બેલરિવ ઓવલ ખાતે રમાયેલી આ મેચમાં તેણીએ 109 બોલમાં 102 રન બનાવ્યા હતા. તે જ વર્ષે, ICC દ્વારા જાહેર કરાયેલી વર્ષ 2016ની વુમન્સ ટીમ ઑફ ધ યરમાં સ્થાન મેળવનારી એકમાત્ર ભારતીય મહિલા ખેલાડી પણ તે જ હતી.


જાન્યુઆરી 2017માં સ્મૃતિ મંધાનાને ઈજા થઈ હતી, જેના કારણે તે વર્લ્ડ કપ ક્વોલિફાયર અને દક્ષિણ આફ્રિકામાં યોજાયેલી ક્વાડ્રેંગ્યુલર સીરિઝમાંથી બહાર રહી હતી. તે વર્ષ 2017 મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં પરત ફરી. ડર્બીમાં ઈંગ્લેન્ડ સામેની પહેલી મેચમાં તેણે 35 રન બનાવી ટીમને જીત અપાવી અને પ્લેયર ઑફ ધ મેચ બની. ગ્રૂપ સ્ટેજ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં તેણે પોતાના કારકિર્દીનું બીજું શતક ફટકાર્યું. ભારત ટૂર્નામેન્ટની ફાઈનલ સુધી પહોંચી, પરંતુ ઈંગ્લેન્ડ સામે નવ રને હારી ગયું.


ફેબ્રુઆરી 2019માં સ્મૃતિ મંધાનાએ ન્યુઝીલેન્ડ સામે WT20Iમાં માત્ર 24 બોલમાં ભારત માટે સૌથી ઝડપી અડધી સદી બનાવી. માર્ચ 2018માં તેણે ઑસ્ટ્રેલિયા સામે 2017–18 ભારત મહિલા ટ્રાઇ-નેશન સીરિઝમાં 30 બોલમાં અડધી સદી ફટકારી હતી. પછીના મહિને, ઈંગ્લેન્ડના ભારત પ્રવાસ દરમિયાન રમાયેલી ત્રણ મેચોની WODI સીરિઝમાં તે પ્લેયર ઑફ ધ સીરિઝ બની. ઑક્ટોબર 2018માં તેને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનારી મહિલા વર્લ્ડ ટ્વેન્ટી20 માટે ભારતની ટીમમાં સ્થાન મળ્યું. ટૂર્નામેન્ટ પૂર્વે ICC એ તેને ટૂર્નામેન્ટમાં ધ્યાન રાખવા જેવી મુખ્ય ખેલાડીઓમાં ગણાવી હતી. ટૂર્નામેન્ટ દરમિયાન WT20Iમાં 1,000થી વધુ રન બનાવનાર ત્રીજી ભારતીય ક્રિકેટર બનવાનો મુકામ તેણે મેળવ્યો. તે વર્ષનો અંત તેણે WODIમાં 669 રન સાથે સર્વોચ્ચ રન-સ્કોરર તરીકે કર્યો હતો, તેની બેટિંગ સરેરાશ 66.90 હતી. 2018 ICC એવોર્ડ્સમાં તેને ICC મહિલા ક્રિકેટર ઑફ ધ યર અને ICC મહિલા ODI પ્લેયર ઑફ ધ યર એવોર્ડ મળ્યા.


        ફેબ્રુઆરી ૨૦૧૯ માં, નિયમિત કેપ્ટન હરમનપ્રીત કૌર પગની ઘૂંટીની ઈજાને કારણે બહાર થઈ ગયા બાદ, ઇંગ્લેન્ડ સામેની ત્રણ મેચની WT20I શ્રેણી માટે સ્મૃતિ મંધાનાને ભારતીય ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. ૨૨ વર્ષ અને ૨૨૯ દિવસમાં, ગુવાહાટીમાં પ્રથમ T20I માં ટીમનું નેતૃત્વ કરીને તે ભારત માટે સૌથી નાની T20I કેપ્ટન બની હતી. મે ૨૦૧૯ માં, તેણીએ CEAT ઇન્ટરનેશનલ ક્રિકેટ એવોર્ડ્સ ૨૦૧૯ માં આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ જીત્યા હતા. નવેમ્બર ૨૦૧૯ માં, વેસ્ટ ઇન્ડીઝ સામેની શ્રેણી દરમિયાન, તે WODI માં ૨,૦૦૦ રન બનાવનારી ઇનિંગ્સની દૃષ્ટિએ ત્રીજી સૌથી ઝડપી ક્રિકેટર બની હતી, અને તેણીએ તેની ૫૧મી ઇનિંગ્સમાં આવું કર્યું હતું. જાન્યુઆરી ૨૦૨૦ માં, તેણીને ઓસ્ટ્રેલિયામાં ૨૦૨૦ ICC મહિલા T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું.


મેથી 2021માં સ્મૃતિ મંધાનાનું ઇંગ્લૅન્ડ સામેની એકમાત્ર ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી હતી. ઑગસ્ટ 2021માં તે ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચ માટે પણ ભારતીય ટીમનો ભાગ બની હતી. મેચની પ્રથમ ઇનિંગ્સમાં તેણે પોતાના ટેસ્ટ કારકિર્દીનું પ્રથમ સદી ફટકારી હતી અને આ સાથે તે ઑસ્ટ્રેલિયામાં વન ડે ઇન્ટરનેશનલ (ODI) અને ટેસ્ટ – બંને ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની. 2021ના ICC એવોર્ડ્સમાં તેને ICC મહિલા ક્રિકેટર ઑફ ધ યર તરીકે પસંદ કરવામાં આવી હતી.

      માર્ચ 2022માં તે ન્યૂઝીલેન્ડમાં યોજાયેલ 2022 વુમન્સ ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમનો ભાગ હતી. જુલાઈ 2022માં બર્મિંગહમ, ઇંગ્લૅન્ડમાં યોજાયેલ કોમનવેલ્થ ગેમ્સના ક્રિકેટ સ્પર્ધામાં રૌપ્ય ચંદ્રક જીતનાર ભારતીય ટીમની ઉપકપ્તાન રહી હતી. તે 2022 એશિયન ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક જીતનારી ભારતીય ટીમનો પણ ભાગ રહી હતી. સ્મૃતિ મંધાના 2024 ICC વુમન્સ T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં સામેલ હતી. ટૂર્નામેન્ટમાં તેણે ચાર ઇનિંગ્સમાં કુલ 75 રન બનાવ્યા. દક્ષિણ આફ્રિકા સામેની હોમ સિરીઝમાં તેણે ત્રણ મેચમાં 343 રન બનાવ્યા જેમાં બે સદીનો સમાવેશ થાય છે. WT20I સિરીઝમાં પણ તેણે ત્રણ મેચમાં 193 રન બનાવ્યા, જે ભારત તરફથી કોઈપણ દ્વિપક્ષીય T20I સિરીઝમાં કરવામાં આવેલા સૌથી વધુ રન હતા. ત્યારબાદ ઓક્ટોબર 2024માં ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં તેણે ત્રીજી મેચમાં વધુ એક સદી ફટકારી. વર્ષ 2024માં WT20Iમાં મંધાનાએ કુલ 763 રન બનાવ્યા, જે કોઈપણ ક્રિકેટર દ્વારા એક કેલેન્ડર વર્ષમાં બનાવાયેલા સૌથી વધુ રન હતા. આ દરમિયાન તેણે આઠ અડધી સદી ફટકારી, જે વર્ષમાં ભારતીય ખેલાડીને બનેલી સૌથી વધુ અડધી સદી હતી અને તેણે મિતાલી રાજનો (સાત) રેકોર્ડ તોડી નાખ્યો. તે સતત ત્રણ અથવા વધુ Women's Twenty20 International (WT20I) ઇનિંગ્સમાં 50+ રન બનાવનાર બીજી ભારતીય મહિલા બની. તેણે સુઝી બેટ્સ (28)નો WT20Iમાં કારકિર્દીની સૌથી વધુ અડધી સદીનો રેકોર્ડ પણ તોડ્યો. 2024 ICC એવોર્ડ્સમાં તેને ICC મહિલા ક્રિકેટર ઑફ ધ યર તથા ICC મહિલા ODI ક્રિકેટર ઑફ દ યર બંને ખિતાબ મળ્યા.


જાન્યુઆરી 2025માં સ્મૃતિ મંધાના WODIમાં 4,000 રન પૂરા કરનાર સૌથી ઝડપી ભારતીય ક્રિકેટર બની. તે જ મહિનામાં તેણે આઇરલૅન્ડ (Ireland) સામે 70 બોલમાં સદી ફટકારી, જે ભારત તરફથી સૌથી ઝડપી સદી હતી અને સાથે જ તે Women's One Day International (WODI)માં દસ સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની. 28 જૂન 2025ના રોજ તેણે ઇંગ્લૅન્ડ સામેની સિરીઝમાં પોતાના WT20I કારકિર્દીની પ્રથમ સદી ફટકારી અને તમામ આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા બની.

     મે 2021માં સ્મૃતિ મંધાનાનું ઇંગ્લૅન્ડ સામેની એકમાત્ર ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી હતી. ઑગસ્ટ 2021માં તે ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચ માટે પણ ભારતીય ટીમનો ભાગ બની હતી. મેચની પ્રથમ ઇનિંગ્સમાં તેણે પોતાના ટેસ્ટ કારકિર્દીનું પ્રથમ સદી ફટકારી હતી અને આ સાથે તે ઑસ્ટ્રેલિયામાં વન ડે ઇન્ટરનેશનલ (ODI) અને ટેસ્ટ – બંને ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની. 2021ના ICC એવોર્ડ્સમાં તેને ICC મહિલા ક્રિકેટર ઑફ ધ યર તરીકે પસંદ કરવામાં આવી હતી.

      માર્ચ 2022માં તે ન્યૂઝીલેન્ડમાં યોજાયેલ 2022 વુમન્સ ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમનો ભાગ હતી. જુલાઈ 2022માં બર્મિંગહમ, ઇંગ્લૅન્ડમાં યોજાયેલ કોમનવેલ્થ ગેમ્સના ક્રિકેટ સ્પર્ધામાં રૌપ્ય ચંદ્રક જીતનાર ભારતીય ટીમની ઉપકપ્તાન રહી હતી. તે 2022 એશિયન ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક જીતનારી ભારતીય ટીમનો પણ ભાગ રહી હતી. સ્મૃતિ મંધાના 2024 ICC વુમન્સ T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં સામેલ હતી. ટૂર્નામેન્ટમાં તેણે ચાર ઇનિંગ્સમાં કુલ 75 રન બનાવ્યા. દક્ષિણ આફ્રિકા સામેની હોમ સિરીઝમાં તેણે ત્રણ મેચમાં 343 રન બનાવ્યા જેમાં બે સદીનો સમાવેશ થાય છે. WT20I સિરીઝમાં પણ તેણે ત્રણ મેચમાં 193 રન બનાવ્યા, જે ભારત તરફથી કોઈપણ દ્વિપક્ષીય T20I સિરીઝમાં કરવામાં આવેલા સૌથી વધુ રન હતા. ત્યારબાદ ઓક્ટોબર 2024માં ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં તેણે ત્રીજી મેચમાં વધુ એક સદી ફટકારી. વર્ષ 2024માં WT20Iમાં મંધાનાએ કુલ 763 રન બનાવ્યા, જે કોઈપણ ક્રિકેટર દ્વારા એક કેલેન્ડર વર્ષમાં બનાવાયેલા સૌથી વધુ રન હતા. આ દરમિયાન તેણે આઠ અડધી સદી ફટકારી, જે વર્ષમાં ભારતીય ખેલાડીને બનેલી સૌથી વધુ અડધી સદી હતી અને તેણે મિતાલી રાજનો (સાત) રેકોર્ડ તોડી નાખ્યો. તે સતત ત્રણ અથવા વધુ Women's Twenty20 International (WT20I) ઇનિંગ્સમાં 50+ રન બનાવનાર બીજી ભારતીય મહિલા બની. તેણે સુઝી બેટ્સ (28)નો WT20Iમાં કારકિર્દીની સૌથી વધુ અડધી સદીનો રેકોર્ડ પણ તોડ્યો. 2024 ICC એવોર્ડ્સમાં તેને ICC મહિલા ક્રિકેટર ઑફ ધ યર તથા ICC મહિલા ODI ક્રિકેટર ઑફ ધ યર બંને ખિતાબ મળ્યા.


જાન્યુઆરી 2025માં સ્મૃતિ મંધાના WODIમાં 4,000 રન પૂરા કરનાર સૌથી ઝડપી ભારતીય ક્રિકેટર બની. તે જ મહિનામાં તેણે આઇરલૅન્ડ (Ireland) સામે 70 બોલમાં સદી ફટકારી, જે ભારત તરફથી સૌથી ઝડપી સદી હતી અને સાથે જ તે Women's One Day International (WODI)માં દસ સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની. 28 જૂન 2025ના રોજ તેણે ઇંગ્લૅન્ડ સામેની સિરીઝમાં પોતાના WT20I કારકિર્દીની પ્રથમ સદી ફટકારી અને તમામ આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની.

      મંધાનાએ એપ્રિલ 2013માં બાંગ્લાદેશના ભારત પ્રવાસ દરમ્યાન મહિલાઓની વન ડે આંતરરાષ્ટ્રીય (WODI) અને મહિલા T20 આંતરરાષ્ટ્રીય (WT20I) મેચોમાં ભારત મહિલા રાષ્ટ્રીય ટીમ માટે પર્દાપણ કર્યું. WODI સિરીઝમાં તેણે બે મેચમાં એકત્રિત 48 રન બનાવ્યા. WT20I પર્દાપણ અને સિરીઝની એકમાત્ર મેચમાં ઓપનર તરીકે રમતાં તેણે 39 રન બનાવ્યા.


ઑગસ્ટ 2014માં, ઇંગ્લૅન્ડ સામે વર્મ્સ્લીમાં સર પૉલ ગેટીના ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ટેસ્ટ મેચમાં સ્મૃતિ મંધાના આઠ નવા ખેલાડીઓમાંની એક હતી. પોતાની પ્રથમ અને બીજી ઇનિંગ્સમાં તેણે અનુક્રમે 22 અને 51 રન બનાવ્યા અને બીજી ઇનિંગ્સમાં તે તિરુષ કામિની સાથે 76 રનની ઓપનિંગ ભાગીદારીમાં જોડાઈ હતી જ્યારે ભારતને જીત માટે 182 રનનો પીછો કરવો હતો.


વર્ષ 2016માં ભારતના ઑસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન સ્મૃતિ મંધાનાએ બીજી WODI મેચમાં ઑસ્ટ્રેલિયા સામે પોતાના કારકિર્દીની પ્રથમ આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી. હોબાર્ટના બેલરાઇવ ઓવલ ખાતે રમાયેલી આ મેચમાં તેણે 109 બોલમાં 102 રન બનાવ્યા, છતાં ભારતને હારનો સામનો કરવો પડ્યો. તે જ વર્ષે, તે 2016 માટેની ICC મહિલા ટીમ ઑફ ધ યર માટે પસંદ થનારી એકમાત્ર ભારતીય ખેલાડી બની.

       સ્મૃતિ મંધાનાને જાન્યુઆરી 2017માં ઇજા થઈ હતી, જેના કારણે તેમણે પાંચ મહિનાની સાજા થવાની પ્રક્રિયા દરમિયાન વર્લ્ડ કપ ક્વોલિફાયર અને દક્ષિણ આફ્રિકામાં યોજાયેલી ક્વાડ્રેંગ્યુલર સિરીઝ ચૂકી હતી. ત્યારબાદ, તેમણે 2017ની મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં વાપસી કરી. ઇંગ્લેન્ડ સામેની ડર્બીમાં રમાયેલી પ્રથમ મેચમાં તેણે 35 રન બનાવી ટીમને જીત અપાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું અને પ્લેયર ઑફ ધ મેચ પસંદ થઈ. ગ્રૂપ સ્ટેજમાં, વેસ્ટ ઇન્ડિઝ સામેની મેચમાં તેણે પોતાના કારકિર્દીની બીજી સદી ફટકારી. ભારત ફાઇનલ સુધી પહોંચ્યું, પરંતુ ઇંગ્લેન્ડ સામે 9 રનથી પરાજય વેઠવો પડ્યો.


ફેબ્રુઆરી 2019માં, ન્યૂઝીલેન્ડ સામે WT20I મેચમાં મંધાનાએ માત્ર 24 બોલમાં ભારત માટેનું સૌથી ઝડપી અડધું સદી ફટકારી. માર્ચ 2018માં, તેમણે ઑસ્ટ્રેલિયા સામેની ત્રિરાષ્ટ્રિય શ્રેણીમાં 30 બોલમાં અડધી સદી કરી. એપ્રિલ 2018માં, ઇંગ્લેન્ડના ભારત પ્રવાસ દરમિયાન યોજાયેલી ત્રણ મેચોની WODI સિરીઝમાં તેણે ઉત્તમ પ્રદર્શન માટે પ્લેયર ઑફ ધ સિરીઝનું ખિતાબ જીત્યું.


ઑક્ટોબર 2018માં, તેમને વેસ્ટ ઇન્ડિઝમાં યોજાયેલી મહિલા વર્લ્ડ T20 માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવી. ટૂર્નામેન્ટ પહેલાં ICC દ્વારા તેમને ટૂર્નામેન્ટના મુખ્ય ખેલાડીઓમાંના એક તરીકે ગણાવવામાં આવ્યા. ટૂર્નામેન્ટ દરમિયાન, તે WT20Iમાં 1,000 કરતાં વધુ રન બનાવનાર ત્રીજી ભારતીય ક્રિકેટર બની. 2018માં, તેમણે WODIમાં 669 રન સાથે સૌથી વધુ રન બનાવ્યા હતા અને ICC મહિલા ક્રિકેટર ઑફ ધ યર તેમજ ICC મહિલા ODI ક્રિકેટર ઑફ ધ યર એવોર્ડ જીત્યા.


ફેબ્રુઆરી 2019માં, ઇંગ્લેન્ડ સામેની ત્રણ મેચોની WT20I સિરીઝ માટે, નિયમિત કેપ્ટન હરમનપ્રીત કૌર ઇજાગ્રસ્ત હોવાથી, સ્મૃતિ મંધાનાને ભારતીય T20I ટીમનો કપ્તાન બનાવવામાં આવી. 22 વર્ષ અને 229 દિવસની ઉંમરે, તે ભારત માટેની સૌથી યુવા T20I કપ્તાન બની. મે 2019માં, CEAT આંતરરાષ્ટ્રીય ક્રિકેટ એવોર્ડ્સમાં તેમણે ઇન્ટરનેશનલ વુમન ક્રિકેટર ઑફ ધ યર એવોર્ડ જીત્યો.


નવેમ્બર 2019માં, વેસ્ટ ઇન્ડિઝ સામેની શ્રેણીમાં મંધાનાએ 51 ઇનિંગ્સમાં WODIમાં 2,000 રન પૂર્ણ કરીને ઇનિંગ્સના આધાર પર ત્રીજી-સૌથી ઝડપી ખેલાડી બની. જાન્યુઆરી 2020માં, તેમને 2020 ICC મહિલા T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવી.


     મે 2021માં, મંધાનાનું ઇંગ્લેન્ડ સામેની એકમાત્ર ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી. ઑગસ્ટ 2021માં, તે ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચ માટે ભારતીય ટેસ્ટ સ્ક્વોડનો ભાગ હતી. મેચની પ્રથમ ઇનિંગ્સમાં તેણે પોતાના ટેસ્ટ કારકિર્દીનો પહેલો સદી ફટકાર્યો અને આ રીતે તે ઑસ્ટ્રેલિયાની ધરતી પર ODI અને ટેસ્ટ બંનેમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર बनी. 2021ના ICC એવોર્ડ્સમાં તેમને ICC વુમન્સ ક્રિકેટર ઑફ ધ યર તરીકે સન્માનિત કરવામાં આવી.


માર્ચ 2022માં, મંધાના ન્યુઝીલેન્ડમાં યોજાયેલ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2022 માટે ભારતીય ટીમમાં હતી. જુલાઈ 2022માં, તે બર્મિંગહામમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ 2022માં રજત પદક જીતનાર ભારતીય ટીમની ઉપ-કપ્તાન હતી. તે 2022ના એશિયન ગેમ્સમાં ક્રિકેટમાં સ્વર્ણ પદક જીતનાર ભારતીય ટીમનો પણ ભાગ હતી.


મંધાના 2024 ICC મહિલા T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં સામેલ હતી. તેણે ચાર ઇનિંગ્સમાં કુલ 75 રન બનાવ્યા. દક્ષિણ આફ્રિકા સામેની હોમ સિરીઝમાં તેણે ત્રણ મેચમાં 343 રન નોંધાવ્યા, જેમાં બે સદીનો સમાવેશ થાય છે. WT20I સિરીઝમાં પણ તેણે દક્ષિણ આફ્રિકા સામે 193 રન કર્યા—જે ભારત માટે દ્વિપક્ષીય T20I સિરીઝમાં સૌથી વધુ રન છે. ત્યારબાદ ઓક્ટોબર 2024માં ન્યુઝીલેન્ડ સામેની સિરીઝમાં તેણે ત્રીજી મેચમાં વધુ એક સદી ફટકારી.


2024માં મંધાનાએ WT20Iમાં કુલ 763 રન બનાવ્યા—એક કેલેન્ડર વર્ષમાં કોઈપણ ક્રિકેટરે T20Iમાં બનાવેલા સૌથી વધુ રન. આ દરમિયાન તેમણે આઠ અડધી સદી ફટકારી—એક વર્ષમાં ભારતીય દ્વારા સૌથી વધુ, જેનાથી તેણે મિતાલી રાજ (સાત)નો રેકોર્ડ તોડ્યો. તે સતત ત્રણ અથવા તેથી વધુ WT20Iમાં 50+ રન બનાવનાર બીજી ભારતીય બેટર બની. તેણે સુઝી બેટ્સના WT20Iમાં 28 અડધી સદીના રેકોર્ડને પણ પાછળ છોડ્યો. 2024 ICC Awardsમાં તેને ICC વુમન્સ ક્રિકેટર ઑફ ધ યર અને ICC વુમન્સ ODI ક્રિકેટર ઑફ ધ યર બેેય એવોર્ડ મળ્યા.


જાન્યુઆરી 2025માં, સ્મૃતિ મંધાના WODIમાં 4,000 રન સૌથી ઝડપથી પૂર્ણ કરનાર ભારતીય ક્રિકેટર બની. તે જ મહિનામાં, આયર્લેન્ડ સામે તેણે 70 બોલમાં સદી ફટકારી—ભારત માટેની સૌથી ઝડપી WODI સદી—અને WODIમાં દસ સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની.

28 જૂન 2025ના રોજ, ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં તેણે પોતાનો પ્રથમ WT20I સદી ફટકારી અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની.







      સ્મૃતિ મંધાના 2025 ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમની ઉપ-કપ્તાન હતી. 2 નવેમ્બર 2025ના રોજ ડી.વાય. પાટીલ સ્ટેડિયમ ખાતે યોજાયેલા ફાઈનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 52 રને હરાવી પ્રથમ વખત વર્લ્ડ કપ ચેમ્પિયન બનવાની ઐતિહાસિક સિદ્ધિ મેળવી.


ટૂર્નામેન્ટ દરમિયાન, સ્મૃતિ મંધાનાએ ન્યૂઝીલેન્ડ સામે પોતાની 14મી WODI સદી ફટકારી, જેના કારણે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી તરીકે મેગ લેનીંગ સાથે સંયુક્ત રેકોર્ડધારક બની.

Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

હરમનપ્રીત કૌર




હરમનપ્રીત કૌર (જન્મ : ૮ માર્ચ ૧૯૮૯) એક ભારતીય ક્રિકેટર છે, જે ભારતની મહિલા રાષ્ટ્રીય ટીમની કેપ્ટનશીપ કરે છે. તે ટોચના ક્રમની બેટ્સમેન અને જમણા હાથની ઓફ-સ્પિન બોલર છે. તેણીએ વર્ષ ૨૦૨૫ માં મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ, વર્ષ ૨૦૧૬ અને વર્ષ ૨૦૨૨ માં મહિલા એશિયા કપ અને વર્ષ ૨૦૨૨ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી હતી. તેણી વર્ષ ૨૦૧૨ માં એશિયા કપ અને વર્ષ ૨૦૨૨ કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનાર ટીમનો પણ ભાગ હતી.

     હરમનપ્રીતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 8,000 થી વધુ રન બનાવ્યા છે. 2018 માં તેણી મહિલા ટ્વેન્ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની. વર્ષ 2019 માં, દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી દરમિયાન તેણી 100 મહિલા ટ્વેન્ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બની. 2023 માં તેણી મહિલા ટ્વેન્ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં 3,000 થી વધુ રન બનાવનાર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની. વર્ષ 2025 સુધીમાં , તે વન ડે ઇન્ટરનેશનલમાં 3,000 થી વધુ રન બનાવનાર ત્રણ ભારતીય મહિલાઓમાંની એક છે. તેણીની કેપ્ટનશીપ હેઠળ, ભારતીય મહિલા ટીમે વર્ષ 1999 પછી વર્ષ 2022 માં ઇંગ્લેન્ડમાં પ્રથમ દ્વિપક્ષીય વન ડે ઇન્ટરનેશનલ શ્રેણી જીત, 2025 માં ઇંગ્લેન્ડ સામે પ્રથમ મહિલા ટ્વેન્ટી20 આંતરરાષ્ટ્રીય શ્રેણી જીત અને 2023 માં ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટ જીત મેળવી.

       હરમનપ્રીત વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)માં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરે છે, અને તેમને 2023 અને 2025 માં WPL ટાઇટલ જીતવામાં મદદ કરે છે. તેણીએ વર્ષ 2018, 2019 અને 2022 માં વિમેન્સ T20 ચેલેન્જમાં સુપરનોવાઝનું નેતૃત્વ કર્યું છે. વર્ષ 2016 માં, ઓસ્ટ્રેલિયન વિમેન્સ બિગ બેશ લીગ (WBBL) માં સિડની થંડરમાં જોડાયા પછી, તે વિદેશી T20 ફ્રેન્ચાઇઝી દ્વારા કરારબદ્ધ થનારી પ્રથમ ભારતીય મહિલા હતી . તેણી WBBL, માન્ચેસ્ટર ઓરિજિનલ્સ અને ધ હન્ડેડમાં ટ્રેન્ટ રોકેટ્સ માટે મેલબોર્ન રેનેગેડ્સ માટે પણ રમી છે.

     વર્ષ 2017માં, હરમનપ્રીતને ભારત સરકાર દ્વારા અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ૨૦૨૩ માં તેણીને પાંચ વિઝડન ક્રિકેટર્સ ઑફ ધ યરમાં સ્થાન આપવામાં આવ્યું હતું, અને તે યાદીમાં સ્થાન મેળવનાર પ્રથમ ભારતીય મહિલા હતી. તે જ વર્ષે, તેણીને ટાઇમ ૧૦૦ નેક્સ્ટ અને બીબીસીની ૧૦૦ મહિલાઓમાં પણ નામ આપવામાં આવ્યું હતું.

      હરમનપ્રીત કૌરનો જન્મ ૮ માર્ચ, ૧૯૮૯ ના રોજ પંજાબના મોગામાં હરમંદર સિંહ ભુલ્લર અને સતવિંદર કૌરને ત્યાં થયો હતો . તેના પિતા ભૂતપૂર્વ રમતવીર હતા, અને બાદમાં સ્થાનિક ન્યાયિક અદાલતમાં કારકુન તરીકે કામ કરતા હતા. તેની એક નાની બહેન, હેમજીત કૌર છે. જ્યારે તેણીએ મેરઠની ચૌધરી ચરણ સિંહ યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવી હોવાનો દાવો કર્યો હતો, બાદમાં પંજાબ પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં, ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ તરીકે તેમની માનદ નિમણૂક પછી , આવા કોઈ રેકોર્ડ બહાર આવ્યા ન હતા. તેના એક પરિચિતના જણાવ્યા મુજબ, તેણીએ પંજાબના જલંધરમાં ગુરુ નાનક દેવ યુનિવર્સિટીની હંસ રાજ મહિલા મહા વિદ્યાલય કૉલેજમાં અભ્યાસ કર્યો હતો.

      હરમનપ્રીતે પોતાના નિવાસસ્થાનથી લગભગ 30 કિમી (19 માઇલ) દૂર જ્ઞાન જ્યોતિ સ્કૂલ એકેડેમીમાં જોડાયા પછી ક્રિકેટમાં પ્રવેશ કર્યો અને કમલદીશ સિંહ સોઢી હેઠળ તાલીમ લીધી. તેણી પોતાની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં પુરુષો સાથે રમતી હતી. 2014 માં, તેણી મુંબઈ ગઈ અને ભારતીય રેલવેમાં કામ કરવાનું શરૂ કર્યું.

     

     ૨૦૦૯ ની શરૂઆતમાં, હરમનપ્રીતને ૨૦૦૯ ના વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. તેણીએ વર્લ્ડ કપ દરમિયાન બ્રેડમેન ઓવલ ખાતે પાકિસ્તાન સામે ૨૦ વર્ષની ઉંમરે મહિલા વન ડે ઇન્ટરનેશનલ (WODI) માં પ્રવેશ કર્યો હતો. આ મેચમાં, તેણીએ ૧૦ રન આપીને ચાર ઓવર ફેંકી હતી અને એક કેચ પકડ્યો હતો. તેણીએ વર્લ્ડ કપમાં છ મેચ રમી હતી, જેમાં ત્રણ ઇનિંગ્સમાં ૪૨ રન બનાવ્યા હતા. જૂન ૨૦૦૯ માં, તેણીએ ટાઉન્ટન ખાતે ઇંગ્લેન્ડ સામે ૨૦૦૯ ના ICC મહિલા વર્લ્ડ ટ્વેન્ટી૨૦ માં તેણીએ ટ્વેન્ટી૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો , જેમાં તેણીએ સાત બોલમાં આઠ રન બનાવ્યા હતા. 


વર્ષ 2009-10માં ઈંગ્લેન્ડના ભારતના પ્રવાસ દરમિયાન , તેણીએ બે મહિલા વન ડે ઇન્ટરનેશનલ (WODI) અને ત્રણ મહિલા ટ્વેન્ટી ટ્વેન્ટી (WT20I) રમી હતી. ૧ માર્ચ ૨૦૧૦ના રોજ શ્રેણીમાં તેણીએ મહિલા વન ડે ઇન્ટરનેશનલ (WODI) માં પોતાની પહેલી અડધી સદી ફટકારી હતી. ત્યારબાદની મહિલા ટ્વેન્ટી ટ્વેન્ટી (WT20) શ્રેણીમાં, તેણીએ ત્રણ મેચોમાં ૭૪ રન બનાવ્યા હતા. શ્રેણીની બીજી મહિલા ટ્વેન્ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ રમતમાં ૩૩ રનની ઝડપી ઇનિંગ દરમિયાન તેણી બોલને લાંબા અંતર સુધી ફટકારવાની ક્ષમતા માટે જાણીતી હતી. 


   નિયમિત કેપ્ટન મિતાલી રાજ અને ઉપ-કેપ્ટન ઝુલન ગોસ્વામી ઈજાના કારણે બહાર થઈ ગયા હોવાથી, 2012 એશિયા કપ ફાઇનલ માટે હરમનપ્રીતને ભારતીય ટીમના સ્ટેન્ડ-ઇન કેપ્ટન બની. ભારતે પાકિસ્તાન સામે 81 રનથી મેચ જીતીને ટાઇટલ જીત્યું. તેણીએ 3 ફેબ્રુઆરી 2013 ના રોજ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે ઇંગ્લેન્ડ સામે તેની પ્રથમ મહિલા વન ડે ઇન્ટરનેશનલ સદી ફટકારી. માર્ચ 2013 માં, જ્યારે બાંગ્લાદેશ ભારતનો પ્રવાસ કરી રહ્યું હતું ત્યારે તેણીને મહિલા વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટ ટીમની કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. શ્રેણીમાં, તેણીએ તેણીની બીજી મહિલા વન ડે ઇન્ટરનેશનલ (WODI) સદી ફટકારી, અને 97.50 ની સરેરાશથી 195 રન સાથે શ્રેણી પૂર્ણ કરી. 


ઓગસ્ટ 2014 માં, હરમનપ્રીત વોર્મ્સલીના સર પોલ ગેટ્ટીના મેદાન પર રમાયેલી ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરનાર આઠ ખેલાડીઓમાંની એક હતી . તેણીએ બે ઇનિંગ્સમાં નવ રન બનાવ્યા હતા કારણ કે ભારતે ઇંગ્લેન્ડને છ વિકેટથી હરાવ્યું હતું. નવેમ્બર 2014 માં, તેણીએ મૈસુર ખાતે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં 17 રન બનાવ્યા હતા અને નવ વિકેટ લીધી હતી જેનાથી ભારતને એક ઇનિંગ્સ અને 34 રનથી મેચ જીતવામાં મદદ મળી હતી. જાન્યુઆરી 2016 માં, તેણીએ ઓસ્ટ્રેલિયા સામેની WT20I શ્રેણી જીતવામાં ભારતને મદદ કરી હતી . તેણીએ બે ઇનિંગ્સમાં 70 રન બનાવ્યા હતા જેમાં શ્રેણીની પ્રથમ મેચમાં ભારતના સફળ પીછો કરવામાં 31 બોલમાં 46 રનનો મેન ઓફ ધ મેચ પ્રદર્શનનો સમાવેશ થાય છે. ત્યારબાદના 2016 ના ICC મહિલા વર્લ્ડ ટ્વેન્ટી20 માં , તેણીએ ચાર મેચમાં 89 રન બનાવ્યા હતા અને સાત વિકેટ લીધી હતી.

       ઑગસ્ટ 2014 માં, હરમનપ્રીત વોર્મ્સલીના સર પોલ ગેટ્ટીના મેદાન પર રમાયેલી ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરનાર આઠ ખેલાડીઓમાંની એક હતી . તેણીએ બે ઇનિંગ્સમાં નવ રન બનાવ્યા હતા કારણ કે ભારતે ઇંગ્લેન્ડને છ વિકેટથી હરાવ્યું હતું. નવેમ્બર 2014 માં, તેણીએ મૈસુર ખાતે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં 17 રન બનાવ્યા હતા અને નવ વિકેટ લીધી હતી જેનાથી ભારતને એક ઇનિંગ્સ અને 34 રનથી મેચ જીતવામાં મદદ મળી હતી. જાન્યુઆરી 2016 માં, તેણીએ ઓસ્ટ્રેલિયા સામેની મહિલા વન ડે ટ્વેન્ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ (WT20I) શ્રેણી જીતવામાં ભારતને મદદ કરી હતી. તેણીએ બે ઇનિંગ્સમાં 70 રન બનાવ્યા હતા જેમાં શ્રેણીની પ્રથમ મેચમાં ભારતના સફળ પીછો કરવામાં 31 બોલમાં 46 રનનો મેન ઓફ ધ મેચ પ્રદર્શનનો સમાવેશ થાય છે. ત્યારબાદના 2016 ના ICC મહિલા વર્લ્ડ ટ્વેન્ટી20 માં , તેણીએ ચાર મેચમાં 89 રન બનાવ્યા હતા અને સાત વિકેટ લીધી હતી.


      હરમનપ્રીત ભારતીય ટીમનો ભાગ હતી જે વર્ષ 2017 મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી. જ્યાં ટીમ ઇંગ્લેન્ડ સામે નવ રનથી હારી ગઈ હતી . 20 જુલાઈ 2017 ના રોજ, તેણીએ વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે 115 બોલમાં 171 રન બનાવ્યા હતા. તે મહિલા વન ડે ઇન્ટરનેશનલ (WODI) માં ભારતીય બેટ્સમેન દ્વારા બનાવેલ બીજો સૌથી મોટો સ્કોર છે, મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત માટેનો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર છે, અને મહિલા વર્લ્ડ કપ મેચના નોકઆઉટ તબક્કામાં અત્યાર સુધીનો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર છે. જુલાઈ 2017 માં, હરમનપ્રીત મિતાલી રાજ પછી ICC મહિલા ODI ખેલાડી રેન્કિંગમાં ટોપ-10 માં સ્થાન મેળવનારી બીજી ભારતીય બેટ્સમેન બની. ડિસેમ્બર 2017 માં, તેણીને ICC મહિલા T20I ટીમ ઓફ ધ યરમાં સ્થાન આપવામાં આવ્યું. 

       ઑક્ટોબર 2018 માં, હરમનપ્રીતને વેસ્ટ ઇન્ડીઝમાં 2018 ICC મહિલા વર્લ્ડ ટ્વેન્ટી20 ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. ટુર્નામેન્ટની શરૂઆતની મેચમાં, ન્યુઝીલેન્ડ સામે, તે મહિલા વન ડે ટ્વેન્ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ (WT20I) માં સદી ફટકારનાર ભારતની પ્રથમ મહિલા બની હતી , જ્યારે તેણીએ 51 બોલમાં 103 રન બનાવ્યા હતા. તે ટુર્નામેન્ટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતી, જેમાં પાંચ મેચમાં 183 રન હતા. 

       જાન્યુઆરી ૨૦૨૦ માં, તેણીને ઓસ્ટ્રેલિયામાં ૨૦૨૦ ના ICC મહિલા T20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. માર્ચ ૨૦૨૧ માં, દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં, તે ૧૦૦ વન ડે ઇન્ટરનેશનલ (ODI) માં દેશનું પ્રતિનિધિત્વ કરનારી પાંચમી ભારતીય મહિલા ક્રિકેટર બની હતી. મે ૨૦૨૧ માં, તેણીને ઇંગ્લેન્ડ સામેની એકમાત્ર મેચ માટે ભારતની ટેસ્ટ ટીમના ઉપ-કેપ્ટન તરીકે નામ આપવામાં આવ્યું હતું. જાન્યુઆરી ૨૦૨૨ માં, તેણીને ન્યુઝીલેન્ડમાં ૨૦૨૨ ના મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. જુલાઈ ૨૦૨૨ માં, તેણીએ ઇંગ્લેન્ડના બર્મિંગહામમાં ૨૦૨૨ કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટ ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીતનાર ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી હતી. તેણીએ ૨૦૨૨ એશિયન ગેમ્સમાં ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. તેણીને વર્ષ 2024 ICC મહિલા T20 વર્લ્ડ કપ અને ઑક્ટોબર 2024 માં ન્યુઝીલેન્ડ સામેની તેમની ઘરઆંગણે ODI શ્રેણી માટે ભારતીય ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવી હતી.

       વર્ષ 2025 માં હરમનપ્રીતે ભારતને પ્રથમ વખત ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપનો ખિતાબ અપાવ્યો. 2 નવેમ્બર, 2025 ના રોજ DY પાટિલ સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવ્યું, અને પ્રથમ વખત વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યું. સેમિફાઇનલમાં, ભારતે 339 રનનો સફળતાપૂર્વક પીછો કર્યો અને 2017 માં ભારત સામેની હાર બાદ ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ કપમાં પહેલી હાર અપાવી. હરમનપ્રીતે 89 રનનું યોગદાન આપીને જેમીમાહ રોડ્રિગ્સ સાથે 167 રનની ભાગીદારી કરી અને મહિલા વન ડે ઇન્ટરનેશનલ (WODI) ઇતિહાસમાં સૌથી વધુ સફળ રન ચેઝ પૂર્ણ કર્યો. દક્ષિણ આફ્રિકા સામેની ફાઇનલમાં, હરમનપ્રીતે દીપ્તિ શર્માની બોલિંગમાં નાદીન ડી ક્લાર્કને આઉટ કરતો કેચ પકડીને મેચ પૂર્ણ કરી, મીડિયા આઉટલેટ્સે અહેવાલ આપ્યો હતો કે આ જીત ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ ક્ષણ હતી, અને આ જીતને સમગ્ર ભારતમાં મહિલા રમત માટે જાહેર અને મીડિયાના ધ્યાનને નોંધપાત્ર રીતે વધારવાનો શ્રેય આપવામાં આવ્યો હતો.






Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

શ્રી નરેન્દ્ર દામોદરદાસ મોદી

શ્રી નરેન્દ્ર દામોદરદાસ મોદી





              શ્રી નરેન્દ્ર દામોદરદાસ મોદી (જન્મ: ૧૭ સપ્ટેમ્બર, ૧૯૫૦) ભારતના વડાપ્રધાન છે. તેઓ ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા છે.

               નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગના હિન્દુ કુટુંબમાં અમદાવાદથી ૧૧૨ કીમી અને મહેસાણાથી ૩૪ કીમી દૂર વડનગર ખાતે થયો હતો. તે દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના પત્ની હીરાબેન મોદીના છ સંતાન પૈકી ત્રીજુ સંતાન છે. તેમનું હુલામણું નામ એન.ડી. હતું. તે નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા. તેઓ ધાર્મિક હતા અને મહાદેવના મંદિરે જતા હતા. તેઓએ ૧૭ વર્ષની વયે ગૃહ ત્યાગ કર્યો હતો. તે હિમાલયમાં તેમજ રામકૃષ્ણ પરમહંસના બેલુર મઠમાં પણ રહી ચૂક્યા છે. ઈંદિરા ગાંધીએ લાદેલી કટોકટી વખતે તેઓ ભૂગર્ભમાં જતા રહ્યા હતા. આ કટોકટી વખતે જ તેમણે 'સંઘર્ષમાં ગુજરાત' નામનું પુસ્તક લખ્યું હતું. તેમને કિશોરાવસ્થાથી રાજકારણમાં રસ હતો. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે. ૧૯૯૮માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં પ્રચાર માટે તેમની પસંદગી કરી હતી. ઇ.સ. ૨૦૦૧ના વર્ષમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે રાજીનામું આપ્યા બાદ તેઓ ૭ ઓક્ટોબર ૨૦૦૧ના દિવસે મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ ૨૦૧૨ની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત્યા બાદ તેઓ ગુજરાત રાજ્યના સતત ચોથી વખત ચૂંટાઈ આવેલા એક માત્ર મુખ્યમંત્રી છે. 

          તેઓ ગુજરાતના સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા મુખ્યમંત્રી છે.


અંગત જીવન


             નરેન્દ્ર મોદીનો જન્મ વડનગરનાં એક મધ્યમ વર્ગના હિન્દુ પરિવારમાં થયો હતો જે તે સમયે ભારતનાં મુંબઇ રાજ્યમાં આવતું હતુ. ૧૯૬૭માં તેમણે ગુજરાતમાં રેલ પ્રભાવિત લોકોની સેવા કરી હતી. યુવાન વયે જ તેઓ અખિલ ભારતીય વિધાર્થી પરિષદ સાથે જોડાઈ ગયા હતા.યુવાનાવસ્થામાં તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સંસ્થામાં એક વિદ્યાર્થી તરીકે જોડાયા અને ભ્રષ્ટાચાર વિરોધી નવનિર્માણ આંદોલનમાં સક્રિય ભાગ ભજવ્યો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સંપૂર્ણ સમયના કાર્યકર તરીકે જોડાયા પછી તેમને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના પ્રતિનિધિ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.તેઓ કિશોરાવસ્થામાં તેમના ભાઈ સાથે ચાની લારી ચલાવતા હતા. તેમણે ભારતમાં સામાજીક અને સાંસ્કૃતિક વિકાસના કાર્ય સાથે સંકળાયેલી સંસ્થા 'રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ' સાથે જોડાઈને પણ કાર્ય કર્યું છે.

            નરેન્દ્ર મોદીએ શાળાકીય અભ્યાસ વડનગરમાં પૂર્ણ કરેલો છે. તેઓ ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજયશાસ્ત્ર વિષય સાથે અનુસ્નાતક થયા હતા. તે એક સારા લેખક તરીકે પણ જાણીતા છે, તેમના લખાયેલા ઘણા પુસ્તકો પ્રસિદ્ધ પણ થયા છે.


પ્રારંભિક પ્રવૃત્તિઓ અને રાજકારણ :


આર.એસ.એસ. સાથેના તેમના કાર્યકાળ દરમિયાન, મોદીએ ૧૯૭૪ ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન અને ૧૯ મહિનાની (જૂન ૧૯૭૫ થી જાન્યુઆરી ૧૯૭૭) લાંબી 'કટોકટી' સહિત અનેક મહત્વપૂર્ણ અને કપરા પ્રસંગો પર ભૂમિકા ભજવી હતી. મોદી તેમના યુનિવર્સિટીના વર્ષ દરમ્યાન આરએસએસના એક પ્રચારક તરીકે હતા.

          તેમણે ૧૯૮૭માં ભાજપમાં જોડાયા અને તેના દ્વારા રાજકારણના મુખ્ય પ્રવાહમાં દાખલ થયા. માત્ર એક વર્ષમાં તેમની ગુજરાત એકમના જનરલ સેક્રેટરી સ્તર પર તેમની વરણી કરવામાં આવી હતી. 

          ત્યારબાદ પક્ષે રાજકીય કક્ષાએ ગતિ મેળવવાની શરૂ થઇ અને એપ્રિલ ૧૯૯૦ ના કેન્દ્રમાં સંયુક્ત સરકારની રચના કરી હતી. આ ભાગીદારી થોડા મહિના સુધી નિમિત્ત હતી, પરંતુ ભાજપ ગુજરાત માં બે તૃતીયાંશ બહુમતી સાથે ૧૯૯૫ માં સત્તા પર આવી હતી.આ સમયગાળામાં મોદીએ "સોમનાથ થી અયોધ્યાની રથયાત્રા" (એક રૂપાંતરિત ટોયોટા વાન પર ભારત દ્વારા રાજકીય રેલીમાં) અને "કન્યાકુમારી થી કાશ્મીર" (ભારતના દક્ષિણનો ભાગ)ની કુચ જેવા નિર્ણાયક રાષ્ટ્રીય પ્રસંગોની જવાબદારી ઉપાડી હતી.

         શંકરસિંહ વાઘેલાની ભાજપમાંથી બાદબાકી થયા બાદ કેશુભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નિયુકત થયા અને નરેન્દ્ર મોદીએ પક્ષ જનરલ સેક્રેટરી તરીકે દિલ્હી મોકલવામાં આવ્યા હતા.


રાજકીય કારકિર્દી:


              દેશના વડાપ્રધાન તરીકે ઉભરી રહેલા નરેન્‍દ્ર મોદી ઘણા વર્ષો સુધી રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના પ્રચારક રહ્યા હતા. તેમણે ગુજરાત યુનિર્વસિટીમાંથી રાજકીય શાખાની માસ્‍ટર ડિગ્રી મેળવી હતી. ત્‍યારબાદ તેમણે રાજનીતિમાં ઝંપલાવ્‍યું હતુ.

૧૯૯૪માં ગુજરાત વિધાનસભામાં ભાજપની જીતમાં મોદીની રણનીતિ સફળ રહી.

૧૯૯૪માં મોદીને પક્ષના રાષ્‍ટ્રીય સચિવ બનાવાયા.

૧૯૯૮માં પક્ષના મહાસચિવ બનાવાયા.

         વર્ષ ૨૦૦૨માં વિધાનસભાની ૧૮૨ સીટોમાંથી ૧૨૭ સીટો મેળવીને ભાજપને જંગી બહુમતિથી વિજય અપાવ્‍યો. ૨૦૦૭માં બીજી વખત જંગી બહુમતિ મેળવીને મુખ્‍યમંત્રી તરીકે નિયુક્‍ત થયા હતા.

૨૦૧૧ના અંતમાં અને ૨૦૧૨માં સદ્‌ભાવના મિશન જેવા અભિયાનો હાથ ધરીને ઉપવાસ કર્યા હતા જેની દેશભરમાં નોંધ લેવાઈ હતી.


વર્ષ ૨૦૧૨માં ગુજરાતમાં મોદીના નેતૃત્વ હેઠળ ત્રીજી વખત વિધાનસભાની ચૂંટણી જીતીને સતત ત્રીજી વખત મુખ્‍યમંત્રી તરીકે નિયુક્‍ત થયા છે.

માર્ચ ૨૦૧૩માં ભાજપના સંસદીય બોર્ડના મુખ્‍ય સભ્‍ય તરીકે નિમણૂંક કરાઈ હતી.

જૂન ૨૦૧૩માં ગોવામાં ભાજપના ચૂંટણી પ્રચાર સમિતિના અધ્‍યક્ષ પદે નિયુક્‍ત કરાયા હતા.


ગુજરાતનો વિકાસ :


              મોદીએ જ્યારે ગુજરાતની સત્તા સંભાળી સરકારનું વહીવટી ખાતું ફરી સંગઠિત કર્યું અને મોટા પાયે ખર્ચ પર કાપ મુક્યો. જેના કારણે મોદી શાસનના પ્રથમ તબક્કામાં ગુજરાતની આર્થિક વૃદ્ધિમાં ૧૦ ટકાનો વધારો જોવા મળ્યો. આ વધારો ભારતના અન્ય કોઈ પણ રાજ્ય કરતા વધારે હતો.

          મુખ્યમંત્રી તરીકે, મોદીએ ગુજરાતનો વિકાસ વિવિધ યોજનાઓ દ્વારા અમલમાં મૂક્યો છે. આમાં પંચામૃત યોજનાનો સમાવેશ થાય છે, રાજ્યના સંકલિત વિકાસ માટે પાંચ -પાંખિયાવાળી વ્યૂહરચના, "સુજલામ-સુફલામ", જળ સંરક્ષણ અને તેના ઉચિત વપરાશ તરફી એક નવીન પગલામાં ગુજરાતમાં જળ સંસાધનોની એક ગ્રીડ રચવાની યોજના છે.


√ કૃષિ મહોત્સવ – જમીન માટેની કૃષિ વિષયક સંશોધન પ્રયોગશાળા

√ ચિરંજીવી યોજના – શિશુ મૃત્યુ દર ઘટાડવા માટે

√ માતૃ વંદના – પ્રજનન અને બાળ આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત પ્રતિબંધક અને ઉપચારાત્મક સેવાઓ ઉપલબ્ધ કરાવે છે

√ બેટી બચાવો – લૈંગિક ગુણોત્તર સુધારવા માટે શિશુ બાળકીઓને રક્ષણ આપવાની ઝુંબેશ

√ જ્યોતિગ્રામ યોજના – પ્રત્યેક √ ગામના વિદ્યુતિકરણ માટે

કર્મયોગી અભિયાન – સરકારી કર્મચારીઓને શિક્ષિત અને તાલીમ આપવા માટે

√ કન્યા કેળવણી યોજના – કન્યાઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે

√ બાળભોગ યોજના – વિદ્યાર્થીઓ માટેની મધ્યાહ્ન ભોજન માટે


૨૦૦૯ની ચુંટણી :


મોદીએ ૨૦૦૯ની લોકસભાની ચુંટણીના પ્રચારમાં ભાગ ભજવ્યો હતો. ૩૧ ઓક્ટોબર ૨૦૧૩ના રોજ મોદીની વરણી ભાજપની સર્વોચ્ચ નિર્ણય લેનારી મંડળી એટલે કે ભાજપ સંસદીય બોર્ડમાં કરવામાં આવી હતી. ૯ જૂન ૨૦૧૪ના દિવસે તેમને ભાજપની રાષ્ટ્રીય સ્તરની કારોબારી સમિતિની બેઠકમાં ૨૦૧૪ની લોકસભાની ચુંટણીમાં ભાજપની કેન્દ્રીય ચુંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ નિમવામાં આવ્યા હતા.


૨૦૧૪ની લોકસભાની ચૂંટણી :


નરેન્દ્ર મોદી ૨૦૧૪માં લોકસભાની બે બેઠક પરથી ચુંટણી લડ્યા : વારાણસી અને વડોદરા. તેમને ધાર્મિક નેતા બાબા રામદેવ અને મોરારીબાપુનું પણ સમર્થન સાંપડ્યું હતું.

       મોદી જે બે બેઠકો પરથી ચૂંટણી લડ્યા તે બન્ને સીટ પરથી જીત્યા. જો કે એક વ્યક્તિ બે સંસદિય ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ ન કરી શકે તે કારણે તેમણે ૨૯ મે ૨૦૧૪ના દિવસે વડોદરાની બેઠક પરથી રાજીનામું આપ્યું અને વારાણસી મતક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરવાનો નિર્ણય લીધો. ચુંટણીમાં તેમણે ભાજપના વડપણ હેઠળ સ્થપાયેલા એન.ડી.એ. સંગઠનને જવલંત વિજય અપાવ્યો. નરેન્દ્ર મોદી, તેમની પાર્ટીના સફળ વિજય બાદ સર્વાનુમતે ભાજપના સંસદીય પક્ષના નેતા તરીકે ચુંટાઈ આવ્યા હતા અને છેવટે રાષ્ટ્રપતિએ તેમને શપથ લેવડાવી વડાપ્રધાન પદે નિમ્યા.


૨૦૧૯ની ચૂંટણી :


         ૧૩ ઑક્ટોબર ૨૦૧૮ના રોજ ભાજપે મોદીને પક્ષના ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા હતા. પક્ષ માટે મુખ્ય પ્રચારકર્તા અમિત શાહ હતા.

        નરેન્દ્ર મોદીએ વારાણસીમાંથી ચૂંટણી લડી હતી. એન.ડી.એ. વડે લોકસભામાં ૩૫૩ બેઠકો અને ભાજપ દ્વારા ૩૦૩ બેઠકો મેળવાઇ હતી અને મોદીને બીજી વખત વડા પ્રધાન તરીકે જાહેર કરાયા હતા.


વડાપ્રધાન :


નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવન ખાતે ૨૬ મે ૨૦૧૪ના રોજ વડાપ્રધાન પદના શપથ લીધા. તેઓ ભારતના સૌથી પહેલા એવા વડાપ્રધાન છે જે આઝાદી પછી જન્મ્યા છે. ઇતિહાસમાં પહેલી વખત મોદીએ તેમના શપથગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે સાર્કના બધા જ વડાઓને આમંત્રણ આપ્યું હતું.


નીતિઓ


 આર્થિક નીતિ


તેમણે ૧૦૦૦ અને ૫૦૦ની ચલણી નોટો 8 નવેમ્બર ૨૦૧૬ના રોજ ભ્રષ્ટાચાર, કાળાં નાણાં અને નકલી ચલણી નોટો અને ત્રાસવાદને નાથવા માટે પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી.


 બંધારણીય નીતિ :


તેમણે બંધારણના અનુચ્છેદ ૩૭૦ની કલમ એક હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કર્યો અને ૧૯૫૪થી જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા અનુચ્છેદને નાબૂદ કર્યો હતો. જેથી હવે બંધારણ (તથા તેમાં ભવિષ્યમાં થનારા દરેક સુધારા) જમ્મુ-કાશ્મીર ઉપર લાગુ થશે. વર્ષ ૨૦૧૪ તથા વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપે તેના ઢંઢેરામાં અનુચ્છેદ ૩૭૦ને નાબુદ કરવાની નેમ વ્યક્ત કરી હતી.


પુરસ્કારો અને ઓળખ :

√ ૩૦ જાન્યુઆરી ૨૦૦૬ – "ઇન્ડિયા ટુડે" દ્વારા રાષ્ટ્ર ભરમાં હાથ ધરવામાં આવેલી મોજણીમાં, નરેન્દ્ર મોદીને દેશના શ્રેષ્ઠ મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યાં.

√ ૫ ફેબ્રુઆરી ૨૦૦૭ – ઇન્ડિયા ટુડે -ઓઆરજી માર્ગ દ્વારા રાષ્ટ્રભરમાં હાથ ધરવામાં આવેલી મોજણીમાં ત્રીજી વખત શ્રેષ્ઠ મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યાં, જે કોઈપણ મુખ્યમંત્રી માટે ૫-વર્ષના સમયગાળા દરમિયાન એક અનન્ય ઉપલબ્ધિ છે.

√ ૨૫ ઑગસ્ટ ૨૦૦૯– FDI magazine દ્વારા વર્ષ ૨૦૦૯ માટેના એફડીઆઇ વ્યક્તિત્વના એશિયાઈ વિજેતા તરીકે પસંદગી પામ્યા.

√ પૂના ગુજરાતી બંધુ સમાજ દ્વારા ગુજરાત રત્ન

√ કમ્પ્યુટર સોસાયટી ઑફ ઇન્ડીયા દ્વારા ઇ-રત્ન 

√ શ્રેષ્ઠ મુખ્યમંત્રી-ઇન્ડીયા ટુડે મેગેઝીન દ્વારા

Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

સુનિતા વિલિયમ્સ

 સુનિતા વિલિયમ્સ 



સુનિતા વિલિયમ્સ (જન્મ : ૧૯ સપ્ટેમ્બર, ૧૯૬૫) યુનાઇટેડ સ્ટેટ્સના નૌકાદળના અધિકારી અને નાસા (NASA) ના અવકાશયાત્રી છે. તેમને અભિયાન ૧૪ના એક સભ્ય તરીકે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની કામગીરી સોંપવામાં આવી હતી અને પછી તેઓ અભિયાન ૧૫માં જોડાયા હતા. તેઓ સ્ત્રી અવકાશયાત્રી તરીકે અવકાશની સૌથી લાંબી સફર (૧૯૫ દિવસ) કરવાનો વિક્રમ ધરાવે છે.


સુનીતા વિલિયમ્સ ભારતીય મૂળની અમેરિકન અવકાશયાત્રી છે. તેઓ મૂળ ગુજરાતના મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઝુલાસણ ગામનાં છે; કારણ કે તેમના ડૉક્ટર પિતા દીપક પંડયાનો જન્મ ઝુલાસણ ગામમાં થયેલો અને યુવાવસ્થા સુધીનો ગાળો તેમણે તે ગામમાં જ પસાર કરેલો. ડૉક્ટર બન્યા પછી દીપક પંડયા વર્ષ ૧૯૬૦માં અમેરિકા ગયા હતા. હાલ તેઓ અમેરિકાનાં મૅસેચ્યૂસેટ્સ (Massachusetts)નાં ફાલમાઉથ (Falmouth)માં રહે છે.


સુનીતાનો જન્મ અમેરિકાના યુક્લિડ, ઓહિયો ખાતે થયો હતો. સુનીતાનાં પિતાનું નામ ડૉ. દીપક પંડયા અને માતાનું નામ બોની પંડયા છે. સુનીતા વિલિયમ્સે હાઈસ્કૂલનું શિક્ષણ મૅસેચ્યૂસેટ્સમાંથી મેળવ્યું હતું. ત્યારબાદ તેઓ અમેરિકાની નેવલ અકાદમી મેરીલેન્ડમાં ઉચ્ચ શિક્ષણ માટે જોડાયેલાં, જ્યાંથી તેઓ ભૌતિકવિજ્ઞાનમાં બી.એસ.ની પદવી મેળવીને સ્નાતક થયા હતા. ત્યારબાદ તેઓ ફ્લૉરિડા ઇન્સ્ટિટટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજીમાં જોડાયાં અને એન્જિનિયરિંગ મૅનેજમેન્ટ વિષયમાં એમ.એસ.ની પદવી મેળવીને અનુસ્નાતક થયા હતા. સુનીતાએ માઈકલ વિલિયમ્સ સાથે લગ્ન કર્યા હતા.


જૂન ૧૯૯૮માં NASAએ અવકાશયાત્રી માટેની તાલીમ આપવા માટે સુનીતા વિલિયમ્સની પસંદગી કરી અને ઑગસ્ટ, ૧૯૯૮માં તેમના તે અંગેની તાલીમ લેવાની શરૂઆત થઈ. ‘ઍટલાન્ટિસ' નામના અવકાશયાનમાં અંતરિક્ષની સફર કરવા માટે જે કેટલાક લોકોની પસંદગી થઈ તેમાં સુનીતા વિલિયમ્સની પણ પસંદગી કરવામાં આવી હતી. 'નાસા'એ પસંદગી પામેલ આ જૂથને પ્રશિક્ષણ આપ્યું હતું. ૧૦ ડિસેમ્બર, ૨૦૦૬ ના રોજ તેમનો આ પ્રવાસનો પ્રારંભ થયેલો અને ૨૨ જૂન, ૨૦૦૭ના રોજ તે પૂરો થયો હતો. આ અંતરિક્ષ પ્રવાસ દરમિયાન સુનીતા વિલિયમ્સે કોઈ પણ મહિલા અંતરિક્ષયાત્રી કરતાં સૌથી વધુ સમય અંતરિક્ષમાં રહેવાનો નવો વિક્રમ સ્થાપિત કર્યો. ૧૯૫ દિવસ તે અંતરીક્ષમાં ઍટલાન્ટિસ યાનમાં રહ્યાં હતાં.


સુનીતા વિલિયમ્સે તેમના અંતરિક્ષના આ પ્રવાસ દરમિયાન જે બીજો વિશ્વ વિક્રમ પ્રસ્થાપિત કર્યો હતો તે લાંબામાં લાંબા સમય દરમિયાન સ્પેસ વૉકનો હતો. તેમણે ૨૯ કલાક અને ૧૭ મિનિટ સ્પેસ વૉક કરીને વિશ્વ વિક્રમ પ્રસ્થાપિત કર્યો હતો. ઉપરાંત એપ્રિલ, ૨૦૦૭માં અવકાશમાં મૅરેથૉન કરનાર સુનીતા દુનિયાનાં સર્વપ્રથમ મહિલા અંતરિક્ષયાત્રી બન્યાં હતાં. મૅરેથૉન માટે તેણીએ ૪ કલાક અને ૨૪ મિનિટનો સમય લીધો હતો. મિશનના અંતે ૨૨ જૂન, ૨૦૦૭ નાં રોજ તેઓ પૃથ્વી પર પાછા ફર્યા હતા. અવકાશમાં ૧૯૫ દિવસ (૧૯૪ દિવસ, ૧૮ કલાક અને ૫૮ મિનિટ)નાં રોકાણ બાદ સુનીતા વિલિયમ્સ પૃથ્વી પર પાછા ફર્યા હતા.


સપ્ટેમ્બર ૨૦૦૭માં સુનીતા વિલિયમ્સે ભારતની મુલાકાત લીધી હતી. તેમણે ગુજરાતમાં સાબરમતી આશ્રમની અને તેમના વતનના ગામ ઝુલાસણની મુલાકાત લીધી હતી. વર્ષ ૨૦૦૮માં ભારત સરકાર દ્વારા સુનીતા વિલિયમ્સને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

       ૫ જૂન, ૨૦૨૪ રોજ સુનીતા વિલિયમ્સ અને બેરી બુચ વિલ્મોર બૉઇંગ કંપનીના સ્ટારલાઇનર નામના સ્પેસક્રાફ્ટમાં અંતરિક્ષમાં ગયાં હતાં, પરંતુ તકનીકી ખામીઓને કારણે આઠ દિવસ માટે અંતરિક્ષમાં ગયેલાં બંને અંતરિક્ષયાત્રીઓ હજી સુધી પાછાં આવી નથી શક્યાં. ત્રણ મહિનાથી પણ વધુ સમયથી અંતરિક્ષમાં રહેલાં સુનીતા વિલિયમ્સ અને બેરી બુચ વિલ્મોર આવતાં વર્ષે ફેબ્રુઆરી ૨૦૨૫ માં પાછા ફરે તેવી શક્યતા છે. દુનિયાભરના કરોડો લોકો આ ઘટના પર નજર રાખી રહ્યા છે.


વધુ માહિતી માટે









Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

શિક્ષક દિન, 5મી સપ્ટેમ્બર

 શિક્ષક દિન, 5મી સપ્ટેમ્બર
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન‎નો જન્મદિવસ







गुरुर्ब्रह्मा, गुरुर्विष्णुः, गुरुर्देवो महेश्वरः।

गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः।।


              શિક્ષક દિન ભારત દેશમાં શિક્ષકોના માનમાં ઉજવવામાં આવતો દિવસ છે, ભારત દેશમાં શિક્ષક દિન દર વર્ષે ૫ (પાંચ) સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે. આ દિવસ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન‎નો જન્મદિવસ છે, જેને તેમની યાદમાં ભારતમાં શિક્ષક દિન તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે.

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન‎ રાષ્ટ્રપતિ બનતા પહેલાં એમની કારકિર્દીમાં સૌપ્રથમ ચેન્નઈની મદ્રાસ પ્રેસિડેન્સી કોલેજમાં તત્ત્વજ્ઞાન વિષયના શિક્ષક તરીકે નિમણૂક પામ્યા હતાં. 

          ભારત દેશમાં ૫ (પાંચ) સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિન ઉજવવામાં આવે છે અને સમગ્ર વિશ્વમાં શિક્ષકોના માનમાં  ૫ (પાંચ) ઑક્ટોબરના રોજ 'વિશ્વ શિક્ષક દિન'ની પણ ઉજવણી કરવામાં આવે છે.

          ૫ સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિન,  શિક્ષકોનું સન્માન, ઓળખ અને ઉજવણી કરવાનો દિવસ છે. શિક્ષક દિન એટલે ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતી. ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનને  ભારત રત્ન એટલે કે દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવ્યા હતા.


             ભારત દેશમાં પાંચમી સપ્ટેમબરના દિવસને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને એક આદર્શ શિક્ષક એવા ડૉ.સર્વપલ્લી રાધકૃષ્ણનની યાદમાં ઉજવવામાં આવે છે. શાળા કોલેજોમાં આ દિવસને જાહેર રજા તરીકે ના ઉજવતાં વિશેષ રીતે ઉજવણી કરવામાં આવે છે, જેનાથી બાળકો શિક્ષકનું મહાત્મ્ય સમજે અને શિક્ષકોનો આદર કરતાં થાય.


શિક્ષક દિવસનો ઈતિહાસ :


               ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. ડો. રાધાકૃષ્ણન એક આદરણીય શિક્ષણશાસ્ત્રી હતા. એકવાર તેમના વિદ્યાર્થીઓએ તેમને આદરપૂર્વક પૂછ્યું, શું તેમને તેમનો જન્મદિવસ ઉજવવાની મંજૂરી આપશે ? ડો. રાધાકૃષ્ણને કોઈ વિશેષ ઉજવણી કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ વિદ્યાર્થીઓને સૂચવ્યું હતું કે, તેઓ સમાજમાં તેમના યોગદાનને ઓળખવા માટે પાંચ સપ્ટેમ્બરના દિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવી શકે છે. આ રીતે શિક્ષક દિનની ઉજવણી શરૂ થઈ હતી. રાધાકૃષ્ણને પોતાના જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઉજવવાનું સૂચન કર્યું હતું. બસ, ત્યારથી તેમનો જન્મદિવસ ભારતમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે.



શિક્ષક દિનની ઉજવણીનું મહત્વ :


આપણી શાળા કૉલેજોમાં શિક્ષક દિનની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવે છે. બાળકો શિક્ષકનું મહત્વ સમજે અને આદર કરતા થાય એ આશયથી આ દિવસે બાળકો ખુદ શિક્ષક બનીને કામ કરે એવી રીતે ઉજવવમાં આવે છે. આ દિવસે ઉત્સાહી બાળકો શિક્ષકની ભૂમિકા નિભાવે છે.સવારની પ્રાર્થના સભાથી લઈને આખા દિવસની શાળાની જવાબદારી બાળકો જ સંભાળે છે. વર્ગખંડમાં કાર્ય કરવામાં કેટલી મુશ્કેલીઓ પડે છે એનાથી વાકેફ થાય છે. જ્યારે એક વિદ્યાર્થી તરીકે પોતે પોતાના શિક્ષકની સૂચના નથી માનતા કે વર્ગખંડમાં શાંતિ નથી જાળવતા ત્યારે કોઈ શિક્ષકની મનોદશા કેવી હોય છે એનો જાતે અનુભવ મેળવે છે. આખો દિવસ શિક્ષક તરીકે કામગીરી કર્યા બાદ આ બાળકો પોતાના સહાધ્યાયીઓને વર્ગખંડમાં પડેલી મુશ્કેલીઓ અને આનંદની પળો વિશે જણાવે છે. શિક્ષક બન્યાનો ગર્વ અનુભવવાની સાથે સાથે તેઓ બીજા બાળકોને શિક્ષકોનો આદર કરવાની સલાહ પણ આપતા જાય છે.  આ ઉપરાંત શાળાઓમાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો અને ગુરુવંદના કાર્યક્રમો પણ કરવામાં આવે છે. શિક્ષણ વિભાગ દ્વારા તાલુકા કક્ષાએ , જિલ્લા કક્ષાએ તેમજ રાજ્ય કક્ષાએ વિશિષ્ટ સિદ્ધી મેળવનાર શિક્ષકોનું સન્માન પણ કરવામાં આવે છે.


 શિક્ષકનું મહત્વ :



"शिक्षक कभी साधारण नहीं होता,

प्रलय और निर्माण उसकी गोद में पलते है।"


           ચાણક્યનું આ વાક્ય શિક્ષકનું ઘણું મહત્વ સમજાવી જાય છે. શિક્ષક એ વ્યક્તિ છે જે એક બગીચાને જુદા જુદ રંગરૂપના ફૂલોથી સજાવે છે. જે વિદ્યાર્થીઓને કાંટાળા માર્ગે પણ હસીને ચાલવા માટે પ્રોત્સાહિત કરે છે. તેમને જીવવાનુ કારણ સમજાવે છે. શિક્ષક માટે બધા વિદ્યાર્થીઓ સમાન હોય છે અને તે બધાનુ કલ્યાણ ઈચ્છે છે. શિક્ષક વિદ્યાર્થીને સાચુ-ખોટુ અને સારુ-ખરાબની ઓળખ કરાવવા માટે બાળકની અંદર રહેલી શક્તિઓને વિકસિત કરવાની આંતરિક શક્તિને વિકસિત કરે છે. આપણા જીવનને યોગ્ય માર્ગે લઈ જવામાં શિક્ષક ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. આપણા જ્ઞાન, કૌશલ્યો અને આવડતને જાણીને આપણી સફળતામાં સહભાગી અને માર્ગદર્શક બને છે. આપણો આત્મવિશ્વાસ વધારીને , આપણો આત્મવિશ્વાસ બનીને આપણને સફળતાના શિખરો સર કરાવે છે. એકડે એક ઘુંટાવવાથી લઈને જીવનમાં અનેક સંસ્કારોનું સિંચન કરે છે. માત્ર અક્ષરજ્ઞાન જ નહી પણ બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષક હમેશાં ચિંતિત હોય છે. એક ડૉક્ટર , એક વકીલ , એક પ્રોફેસર , એક અધકારી કે એક સફળ ઉદ્યોગપતિના ઘડતરમાં શિક્ષકનો ખૂબ જ મહત્વનો ફાળો હોય છે. દેશના ભાવિ નાગરિકોના સર્જનનો પાયો એક શિક્ષકના હાથમાં છે. એક શિક્ષક જ છે જે હંમેશા પોતાના વિદ્યાર્થીઓની પ્રગતિથી ખુશ થાય છે. એક એક સફળ વિદ્યાર્થી એમના માટે એક વિશેષ પુરસ્કાર હોય છે. બીજાની સફળતા પર ગર્વ લેવો એ એક શિક્ષક હૃદય જ કરી શકે છે.


આપણે જાણીએ જ છીએ કે મહારાજા છત્રપતિ શિવાજીના જીવન ઘડતરમાં માતા જીજાબાઇનો જેટલો ફાળો હતો એટલો જ ફાળો તેમના ગુરુ દાદા કૌંડદેવનો પણ હતો. તેમને શિવાજીને યુદ્ધ માટે પારંગત બનાવ્યા હતા.  આજના આ દિવસે આપણે સ્ત્રી શિક્ષણના હિમાયતી માતા સાવિત્રીબાઈ ફૂલેને પણ ના ભૂલી શકીએ , જેમણે સ્ત્રી શિક્ષણનું મહત્વ સમજાવવા  સ્ત્રી શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરી હતી. તેઓ સ્ત્રીઓને ઘરે ઘરે જઈને શિક્ષણ આપતાં હતાં અને શિક્ષણનું મહત્વ સમજાવતાં હતાં. 



ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન :


           ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન  ભારતીય તત્વચિંતક અને રાજપુરૂષ હતા. તેઓ વિવિધ ધર્મ અને તત્વચિંતનનાં જાણીતા વિદ્વાન હતા, તેઓ ૨૦મી સદીનાં એ વિદ્વાનોમાંના એક હતા, જેમણે પૂર્વીય અને પશ્ચિમી વિચારો અને તત્વચિંતન વચ્ચે સેતુબંધ સમાન કાર્ય કર્યું હતું. તેઓએ ભારતીય તત્વચિંતનને પશ્ચિમી વિચારસરણીની ઓળખ કરાવી અને પશ્ચિમી જગતને, અંગ્રેજીભાષીઓને, ભારતીય ધાર્મિક અને ચિંતનીય સાહિત્યનો રસાસ્વાદ કરાવ્યો હતો. તેઓ ભારતનાં પ્રથમ ઉપરાષ્ટ્રપતિ (૧૯૫૨-૧૯૬૨) અને દ્વિતિય રાષ્ટ્રપતિ (૧૯૬૨-૧૯૬૭) હતા. તેઓનો જન્મદિવસ ભારતભરમાં શિક્ષક દિન તરીકે ઉજવાય છે.

           ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન (સર્વપલ્લી તેમની અટક છે, અને રાધાકૃષ્ણન તેમનું નામ છે) નો જન્મ, ૫ સપ્ટેમ્બર, ૧૮૮૮ના રોજ તામિલ નાડુનાં ચેન્નઈ (જૂનું મદ્રાસ) થી ઉતર-પશ્ચિમમાં ૬૪ કિ.મી. દુર આવેલ તિરૂત્તાની નામક ગામમાં થયો હતો. તેઓની માતૃભાષા તેલુગુ હતી. તેઓનું બાળપણ તિરૂત્તાની, તિરૂવેલુર અને તિરૂપતિમાં વિત્યું હતુ. તેમના પિતાનું નામ સર્વપલ્લી વીરાસ્વામી અને માતાનું નામ સીતામ્મા  હતું. દક્ષિણ ભારતની પરંપરા પ્રમાણે તેમના નામમાં લાગતો સર્વપલ્લી શબ્દ હકીકતમાં ગામનું નામ છે. વર્ષો પહેલાં તેમના પૂર્વજો આ ગામમાં રહેતાં હતાં.

         બાળપણથી જ રાધાકૃષ્ણન ભણવામાં હોશિયાર હતા. ૧૯૦૬માં મદ્રાસ કોલેજમાંથી તેમણે ફિલોસોફીના વિષયમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. તેઓ જ્યારે વીસ વર્ષના હતા ત્યારે જ તેમણે માસ્ટર ડિગ્રી માટે તૈયાર કરેલા શોધનિબંધથી તેમના પ્રોફેસર ખૂબ જ પ્રભાવિત થયા હતા. તેમનો આ શોધનિબંધ વીસ વર્ષની ઉંમરે પ્રકાશિત થયો હતો. ફિલોસોફીનો વિષય તેમને પસંદ ન હતો, પરંતુ તેમના દૂરના એક ભાઈ કે જે તેમની શાળા અને કોલેજમાં ભણતા હતા એ ફિલોસોફીનાં પુસ્તકો રાધાકૃષ્ણનને આપતા. રાધાકૃષ્ણન સમય પસાર કરવા માટે તે વાંચતા અને આ રીતે ફિલોસોફીમાં તેમનો શોખ કેળવાતો ગયો. ૧૯૦૯માં રાધાકૃષ્ણને ફિલોસોફીના અધ્યાપક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. કોલેજની નોકરીની સાથે સાથે તેઓ લેખનકાર્ય પણ કરતા. કેટલાંક સાંપ્રત સામયિકોમાં તેઓ ફિલોસોફી પર લેખ લખતા. તેમના સૌથી પહેલા પુસ્તકનું નામ ‘ધ ફિલોસોફી ઓફ રવીન્દ્રનાથ ટાગોર’ હતું. ૧૯૨૬માં હાવર્ડ યુનિર્વિસટી ખાતે તેમણે ઈન્ટરનેશનલ કોંગ્રેસ ઓફ ફિલોસોફીમાં તેમણે કોલકાત્તા યુનિર્વિસિટીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ૧૯૪૭માં ભારત આઝાદ થયું ત્યારે તેઓ યુનેસ્કો ખાતે ભારતના પ્રતિનિધિ તરીકે કાર્યરત હતા.

        દેશમાં ઉપકુલપતિ સુધી પહોંચ્યા પછી તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ૬ વર્ષ વિઝિટિંગ પ્રોફેસર રહ્યા. ત્યાં તેમણે હિન્દુ ધર્મ ભણાવ્યો. એ દરમિયાન ઇન્દિરા ગાંધી, સાંસદ ભૂપેશ ગુપ્તા અને ઇઝરાયેલના ઉપવડાપ્રધાન રહી ચૂકેલા યિગેલા આલોં જેવાં તેમના વિદ્યાર્થીઓ હતાં.

         ૧૯૪૮માં તેઓ યુનેસ્કોના ચેરમેન બન્યા. જ્યારે ૧૯૪૯થી ૧૯૫૨ દરમિયાન તેઓ સોવિયેત યુનિયન ખાતે ભારતના રાજદૂત રહ્યા હતા. સરમુખત્યાર જોસેફ સ્ટાલિન કોઈને મળવા માટે તૈયાર ન થતા પણ રાધાકૃષ્ણનને બે વખત મળ્યાં. સ્ટાલિન-રાધાકૃષ્ણનની બે મુલાકાતથી આખા જગતને આશ્ચર્ય થયેલું. ૧૯૫૨માં દેશને સક્ષમ ઉપરાષ્ટ્રપતિની જરૂર પડતાં રાધાકૃષ્ણનને ભારત બોલાવી લેવાયા. અહીંથી જ તેઓ ભારતના સર્વોચ્ચ પદ સુધી પહોંચ્યા. ૧૯૬૨માં તેમણે ભારતના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા અને રાષ્ટ્રપતિ તરીકે પોતાનો પગાર ઘટાડી ૨ હજાર રૂપિયા કરી નાખ્યો.

            જ્યારે તેઓ ભારતના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમના મિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી કરવા માટે ઉત્સાહ બતાવવામાં આવ્યો હતો. જોકે રાધાકૃષ્ણને પોતાના જન્મદિવસને શિક્ષકદિન તરીકે ઉજવવાનું સૂચન કર્યું હતું. બસ, ત્યારથી તેમનો જન્મદિવસ ભારતમાં શિક્ષકદિન તરીકે ઉજવવામાં આવે છે.

          ડૉ. રાધાકૃષ્ણનને તેમના સેવાકાર્ય માટે કેટલાક બ્રિટિશ અને ભારતીય ઈલકાબોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૧૯૫૪માં તેમને ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૧૯૭૫માં ઓક્સફર્ડ યુનિર્વિસિટીએ તેમને ટેમ્પલટન એવોર્ડથી નવાજ્યા હતા. ઈનામમાં મળેલી બધી જ રકમ તેમણે યુનિર્વિસિટીને દાનમાં આપી દીધી હતી. ત્યારથી ૧૯૮૯માં ઓક્સફર્ડ યુનિર્વિસિટીએ ડો. રાધાકૃષ્ણનની યાદમાં સ્કોલરશિપ આપવાની શરૂઆત કરી છે

         ૧૭મી એપ્રિલ, ૧૯૭૫ના રોજ  તેમનું અવસાન થયું હતું.


      ઉપસંહાર :


આપણા જીવન ઘડતર માટે મહત્વપૂર્ણ  યોગદાન આપનાર શિક્ષકોના ઋણને આપણે પણ ના ભૂલવું જોઈએ. એક આદર્શ વિદ્યાર્થી તરીકે આપણે પણ આપણા શિક્ષકનો આદર કરવો જોઈએ. વર્ગખંડમાં હમેશા શાંતિ જાળવવી જોઈએ. શિક્ષકોની સૂચનાઓનું પાલન કરવું જોઈએ અને એમણે આપેલા સંસ્કારોને જીવનમાં ઉતારવા જોઈએ. આપણે એક શિક્ષકના કાર્યને બિરદાવી ના શકીએ તો ચાલશે , એમના કાર્યમાં ક્યારેય ખલેલ ના પહોંચાડીએ એ એક નાગરિક તરીકે  આપણી જવાબદારી છે.

Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

રક્ષાબંધન

 રક્ષાબંધન







बहना ने भाई की कलाई से प्यार बाँधा है

प्यार के दो तार से, सँसार बाँधा है

रेशम की डोरी से सँसार बाँधा है।



तोड़े से भी ना टूटे, ये ऐसा मन बंधन है,

इस बंधन को सारी दुनिया कहती रक्षा बंधन है।




ભારત તહેવારોનો દેશ છે. તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે. આપણે ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ. તેમાં રક્ષાબંધનનો તહેવાર આવે છે. રક્ષાબંધન એટલે ભાઇ-બહેનનો તહેવાર છે. તેનું બીજુ નામ ‘બળેવ’ છે.  રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમે આવે છે. તે દિવસે બહેન ભાઇને તિલક કરે છે અને રાખડી બાંધે છે અને મીઠાઇ ખવડાવે છે. ભાઇ બહેનને ભેટ આપે છે. 

        રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો જનોઇ બદલે છે. સાગરખેડૂઓ આ દિવસે નાળિયેર વડે દરિયાની પૂજા કરે છે. તેથી તેને નાળિયેરી પૂનમ પણ કહેવાય છે. રક્ષાબંધનનો તહેવાર બધા ધર્મના લોકો ઉજવે છે. આ જ તો એક વિશેષ દિવસ છે જે ભાઈ-બહેનો માટે બનેલો છે. 

       રક્ષાબંધનના દિવસે બધી બહેનો પોતાના ભાઈઓને કાંડા પર રાખડી બાંધી છે. ફૂલો કુમકુમ, દીયા, ચોખા, મીઠાઈઓ અને રાખડીથી પૂજાની થાળીને શણગારે છે. તે ભાઈઓના કપાળ પર તિલક કરે છે.  તેના કાંડા પર રાખડી બાંધે છે. તે ભાઈઓને મીઠાઇ ખવડાવે છે અને શુભેચ્છા પાઠવે છે. ભાઈઓ બહેનને ભેટો પણ આપે છે અને હંમેશાં તેમનું રક્ષણ કરવાનું વ્રત રાખે છે.

ભાઇના જીવનમાં, ભાઇના જીવન વિકાસમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતીક રક્ષાબંધન પર્વ છે. 

          હિંદુ સમાજમાં શ્રાવણી પૂર્ણિમાના દિવસે બધી જ બહેનો પોતાના ભાઇના કાંડે રાખડી બાંધી તેની સર્વ પ્રકારની રક્ષા ઇચ્છે છે. 

      ભાઇને મન રાખડી બંધાવવી એટલે વ્યવહારની એક રસમ પૂરી કરવી, બહેનને શક્તિ અનુસાર કંઇક આપી છૂટવું, અને બહેને ભાઇ પાસેથી કંઇ મેળવવાનો હક

 પૂરો કરવો. આપેલી અને લીધેલી ચીજો કે પૈસા એ ગૌણ વસ્તુ છે, એનું મહત્ત્વ નથી, ભાઇ-બહેન વચ્ચે સ્નેહમાં અભિવૃદ્ધિ થાય એ વધુ મહત્ત્વનું છે.



बहन का प्यार किसी दुआ से कम नही होता,

वो चाहे दूर भी हो तो गम नही होता,

अक्सर रिश्ते दूरियों से फीके पड़ जाते हैं,

पर भाई-बहन का प्यार कभी कम नही होता।



         રક્ષાબંધન પર્વ એટલે ભગિની પ્રેમ-બંધન. “સ્ત્રી તરફ વિકૃતિ દૃષ્ટિએ ન જોતા પવિત્ર દૃષ્ટિ રાખવી.” એ મહાન સંદેશ આપનાર આ પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન. રક્ષાબંધનનો પર્વ એટલે દૃષ્ટિ પરિવર્તનનો પર્વ, ભાઇ-બહેનના વિશુદ્ધ પ્રેમનું અસ્ખલિત વહેતું ઝરણું. બહેનની રાખડી હાથ પર બંધાવતાની સાથે જ બહેનના રક્ષણની જવાબદારી ભાઇ સસ્મિત સ્વીકારે છે, જેથી બહેન સમાજમાં નિર્ભયપણે ફરી શકે.

      રાખડી એ માત્ર સૂતરનો તંતુ નથી, એ તો શીલ અને સ્નેહનું રક્ષણ કરતું તેમજ જીવનમાં સંયમની મહત્તા સમજાવતું એક પવિત્ર બંધન છે. ભાઇના હાથે રાખડી બાંધીને બહેન માત્ર પોતાનું જ રક્ષણ ઇચ્છે છે એટલું જ નહિ, પરંતુ સમસ્ત સ્ત્રી સમાજને પોતાના ભાઇનું રક્ષણ મળે એવી ભવ્ય ભાવના અને અપેક્ષા રાખે છે.

     પ્રાચીનકાળમાં દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થયું હતું. યુદ્ધમાં દેવોનો વિજય થાય એટલા માટે ઇન્દ્રાણીએ પોતાના પતિ ઇન્દ્રના હાથે રાખડી બાંધી હતી. કુંતામાતાએ કોઠાયુદ્ધમાં અભિમન્યુનો વિજય થાય તેવી ભાવનાથી તેને રાખડી બાંધી હતી. આજના પવિત્ર દિવસે  લક્ષ્મીજીએ બલિ રાજાના હાથે રાખડી બાંધી હતી. 

       શ્રીકૃષ્ણએ તેમના સુદર્શન ચક્રનો ઉપયોગ શિશુપાલ ઉપર કર્યો ત્યારે તેમની આંગળીમાં પણ ઈજા થઈ હતી. કૃષ્ણની આજુબાજુના લોકો ઘા પર બાંધવા કંઈક શોધવા માટે દોડવા લાગ્યા, પણ ત્યાં  ઊભી રહેલી દ્રૌપદીએ કંઇ વિચાર્યા વિના તેની સાડીનો ખૂણો ફાડી નાખ્યો અને તેને કૃષ્ણના ઘા પર લપેટ્યો. ત્યારે શ્રી કૃષ્ણે કહ્યું, “આભાર પ્રિય બહેન, તમે મને મદદ કરી તેથી હું તમને પણ મદદ કરવાનું વચન આપું છું. "એમ કહીને શ્રી કૃષ્ણે દ્રૌપદીને તેની રક્ષા આપવાની ખાતરી આપી હતી. જ્યારે કૌરવોએ સભામાં દ્રૌપદીનું ચીરહરણ કર્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ દ્રૌપદીને અપમાનથી બચાવવા પોતાનું વચન પાળ્યું હતું અને દ્રૌપદીનું રક્ષણ કર્યું હતું.

       રક્ષાબંધન એ બહેન માટે પોતાના વહાલસોયા ભાઇ પ્રત્યેની નિષ્પાપ, નિર્મળ અને નિઃસ્વાર્થ ભાવે સેવેલી શુભેચ્છાઓનું અને ત્યાગનું મહામૂલું પવિત્ર પ્રતીક છે. બહેનની આ શુભેચ્છા ભાઇના જીવન વિકાસમાં પ્રેરણાદાયી અને પોષક બને છે.




भाई की कलाई पर राखी बाँधे बहना,

मांगती है वादा सदा संग ही रहना।

बना रहे यूं ही रिश्ता बना रहे ये प्यार,

सबको मुबारक हो रक्षा बंधन का त्यौहार।



बहनों को भाईयों का साथ मुबारक हो,

भाइयों को बहनों का प्यार मुबारक हो,

रहे ये सुख हमेशा आपकी जिंदगी में,

आप सबको राखी का त्यौहार मुबारक हो।



रेशम की डोरी फूलों का हार,

सावन में आया राखी का त्यौहार,

बहन की खुशी में भाई की खुशी है,

देखो दोनो में कितना है प्यार।


कच्चे धागों से बनी पक्की डोर है राखी

प्यार और मीठी शरारतों की होड़ है राखी,

भाई की लम्बी उम्र की दुआ है राखी

बहन के प्यार का पवित्र धुँआ है राखी।


भाई बहन के प्यार का बंधन

है इस दुनिया में वरदान

इसके जैसा दूजा कोई न रिश्ता

चाहे ढूंढ लो सारा जहान।



रिश्ता है यह सबसे अलग और सादा,

बहन बांधे राखी और भाई करे वादा,

बहन और भाई का प्यार है बहुत सच्चा,

इसीलिए माना जाता है यह रिश्ता सबसे अच्छा।



चंदन का टीका रेशम का धागा,

सावन की सुगंध बारिश की फुहार,

भाई की उम्मीद बहना का प्यार,

मुबारक को आपको रक्षा-बंधन का त्यौहार।



Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

ગૌતમ બુદ્ધ

 ગૌતમ બુદ્ધ







સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ એ બૌદ્ધ ધર્મના સ્થાપક છે. ઇ.સ. પૂર્વે ૫૬૬માં બુદ્ધનો જન્મ કપિલવસ્તુ નગરીમાં શાક્ય ક્ષત્રિય પરિવારમાં થયો હતો. જન્મ સમયે તેમનું નામ સિદ્ધાર્થ હતું. જન્મના કેટલાક દિવસો બાદ માતાનું અવસાન થતાં તેમનો ઉછેર તેમની માસી ગૌતમીએ કર્યો હતો. આથી તેને લોકોએ ગૌતમ કહીને બોલાવવાનું શરૂ કર્યું હતું. ગૌતમ બુદ્ધ ૮૦ વર્ષ જીવ્યા હતા. ગૌતમ બુદ્ધને શાક્યમુનિ પણ કહેવાય છે.


જન્મ અને શરૂઆતનું જીવન


પ્રચલિત માન્યતાઓ પ્રમાણે સિદ્ધાર્થ ગૌતમનો જન્મ મૌર્ય રાજા અશોકના શાસનના ૨૦૦ વર્ષ પહેલા થયો હતો. તેઓનો જન્મ પ્રાચીન ભારતના લુમ્બિનિમાં, જે આજે નેપાળમાં છે, થયો હતો. રાજા શુદ્ધોધન તેમના પિતા અને રાણી મહામાયા તેમના માતા હતા. તેમનાં જન્મ વખતે અથવા તેના થોડાજ સમય બાદ (૭ દિવસ) માતા મહામાયા/માયાવતીનું અવસાન થયું હતું. એમના નામકરણ વખતે ઘણાં વિદ્વાનોએ ભવિષ્યવાણી કરી હતી કે તેઓ મહાન રાજા અથવા મહાન સદ્પુરુષ બનશે.


એક રાજકુમાર હોવાથી સિદ્ધાર્થ ગૌતમનો વૈભવી રીતે ઉછેર થયો હતો. ૧૬ વર્ષની વયે તેમનાં લગ્ન યશોધરા સાથે કરવામાં આવ્યા હતા. સમય વહેતા તેમને રાહુલ નામના પુત્રનો જન્મ થયો. જે જોઈએ એ બધું જ હોવા છતાં તેમને એવું લાગતું કે ભૌતિક સુખ જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય નથી.


મહાભિનિષ્ક્રમણ


૨૯ વર્ષની ઉંમરે એક દિવસ નગરચર્યા દરમ્યાન તેમણે એક વૃદ્ધ વ્યક્તિ, એક રોગી વ્યક્તિ, એક સડી રહેલ મડદું અને એક સાધુને જોયા. આની તેમના માનસ પર ઊંડી અસર થઈ. જીવનના આ દુઃખોમાંથી મુક્તિનો માર્ગ શોધવા તેમણે વૈભવી જીવન છોડી એક ભિક્ષુક તરીકે જીવવા પ્રયાણ કર્યું .


બોધિ પહેલાનું સંન્યાસી જીવન


સિદ્ધાર્થ સૌ પ્રથમ રાજગૃહ ગયા અને ત્યાં ઘરે ઘરે ભિક્ષા માગી સન્યાસી જીવનની શરૂઆત કરી. મગધ નરેશ બિંદુસારને જયારે આ વાતની જાણ થઈ ત્યારે, તેઓ સિદ્ધાર્થ પાસે ગયા અને પોતાનું રાજ્ય આપવાનો પ્રસ્તાવ મુક્યો. સિદ્ધાર્થે રાજાનો પ્રસ્તાવ નમ્રતા પુર્વક ઠુકરાવ્યો, પણ બોધિ પ્રાપ્તિ પછી સૌ પ્રથમ મગધની મુલાકાત લેવાનું વચન આપ્યું.


મગધ છોડયા પછી સિદ્ધાર્થ આલારા કલામ નામના ગુરૂના શિષ્ય બન્યા. થોડાજ સમયમાં તેઓએ આલારા કલામ દ્વારા શીખવવામા આવતી બધીજ વિદ્યા પર પ્રભુત્વ મેળવ્યુ. પણ સિદ્ધાર્થને આથી સંતોષ થયો નહીં અને તેઓએ ગુરૂ પાસેથી જવાની રજા માંગી. ગુરુએ સિદ્ધાર્થને પોતાની પાસે રહીને અન્ય વિધ્યાર્થીઓને શીખવવાનું આમંત્રણ આપ્યું પણ સિદ્ધાર્થે તેનો નમ્રતા પુર્વક અસ્વીકાર કર્યો. હવે સિદ્ધાર્થ ઉદ્રક રમાપુત્ર નામના ગુરૂના શિષ્ય બન્યા. અહી પણ પહેલા મુજબ જ બન્યું અને સિદ્ધાર્થે ઉદ્રક રમાપુત્ર પાસેથી રજા લીધી.


હવે સિદ્ધાર્થ ઉરુવેલા પહોચ્યાં જ્યાં નિરંજના નદીના કિનારે કૌડિન્ય પોતાના પાંચ સાથીઓ સાથે કઠોર તપસ્યા કરી રહ્યા હતા. હવે સિદ્ધાર્થનો ખોરાક દિવસનું એક ફળ માત્ર હતો. ઘણા સમય સુધી આ રીતે કઠોર તપસ્યા કરવાથી સિદ્ધાર્થનું શરીર ખુબજ નબળું થઈ ગયું. એક દિવસ નદીમાં સ્નાન કરી બહાર આવતી વખતે તેઓ ચક્કર આવવાથી પડી ગયા. હવે સિદ્ધાર્થેને વિચાર થયો જો ભુખથી મરી જઈશ તો ધ્યેયની પ્રાપ્તિ કેવી રીતે થશે. હવે તેઓએ અતિકઠોર તપસ્યા અને એશોઆરામ વચ્ચેનો મધ્યમ માર્ગ અપનાવવાનો નિશ્ચય કર્યો. તેઓએ સુજાતા નામની છોકરી પાસેથી ખીર ખાઈ ઉપવાસના પારણા કર્યા અને નવા જોમ સાથે તપસ્યાની શરૂઆત કરી.








બોધિની પ્રાપ્તિ


સન્યાસી જીવન દરમિયાન આનાપાન-સતી (શ્વાસોચ્છવાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રક્રિયા) અને [વિપશ્યના] ના અભ્યાસ દ્વારા ૩6 વર્ષની વયે તેમને વૈશાખી પૂર્ણિમા ની રાત્રિએ ,પીપળાના વૃક્ષ ની નીચે બોધિ પ્રાપ્ત થઈ અને તેઓ [બુદ્ધ] કહેવાયા.આ સ્થળ હાલમાં બુધ્ધગયા કે બોધિગયા (બિહાર) તરીકે ઓળખાય છે,ત્યાંથી તેઓ સારનાથ ગયા અને પ્રથમ વખત ઉપદેશ આપ્યો. લગભગ ૪૫ વર્ષ સુધી તેમણે અલગ અલગ જગ્યાએ પગપાળા ચાલીને ધર્મનો ઉપદેશ આપ્યો.


શેષ જીવન


બોધિ પ્રાપ્ત કર્યા પછીનું જીવન તેમણે લોકોમાં જ્ઞાનનાં પ્રસાર અને તેમના દુઃખની મુક્તિ માટે ગાળ્યા.


મહાપરિનિર્વાણ


ચારિકા કરતા કરતા તેમના અંતીમ દિવસોમાં બુદ્ધ પાવા પહોંચ્યા. ત્યાં તેમણે ચુંદ નામના એક વ્યક્તિના ઘરે અંતિમ ભોજન લીધું. તે પછી તેઓ બીમાર પડી ગયા. તે નેપાળની તળેટીના પૂર્વાંચલમાં આવેલા કુસીનારા (હાલનું બિહાર) નગરીમાં પહોંચ્યા અને ત્યાં તેઓ ૮૦ વર્ષની ઉમરે પરિનિર્વાણ પામ્યા. તેમના અંતિમ સમયે પણ તેમણે સુભદ્ર નામના શ્રમણને આર્ય અષ્ટાંગિક માર્ગ સમજાવ્યો અને દીક્ષા આપી. તેમણે આપેલ અંતિમ ઉપદેશ હતો - " સર્વે સંસ્કાર અનિત્ય છે, અપ્રમાદીપણે પોતાના ધ્યેયની સિદ્ધિમાં વળગ્યા રહો."


ગૌતમ બુદ્ધ વિશે મહાનુભાવોના વિચાર


'બુદ્ધ જયંતી' ને દિવસે ભારત ના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ એ કહેલું વાક્ય વિશ્વને એક નવી દિશા દર્શાવે એવું છે. એમણે કહ્યું હતું કે, "વિશ્વએ યુદ્ધ અને બુદ્ધ માંથી કોઈ એકની પસંદગી કરવી પડશે.."





વધુ માહિતી બુદ્ધ પૂર્ણિમા


બુદ્ધ પૂર્ણિમા એ બૌદ્ધ તહેવાર છે જે ગૌતમ બુદ્ધના જન્મની ઉજવણી કરે છે. તેઓ બૌદ્ધ ધર્મના સ્થાપક હતા. બુદ્ધ પૂર્ણિમાનો તહેવાર સમગ્ર વિશ્વમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. 

બુદ્ધ પૂર્ણિમા એ બૌદ્ધ ધર્મના અનુયાયીઓનો સૌથી મોટો તહેવાર છે. તેને 'બુદ્ધ જયંતી' તરીકે પણ ઓળખવામાં આવે છે.  બુદ્ધ પૂર્ણિમા વૈશાખ મહિનાની પૂર્ણિમા પર ઉજવવામાં આવે છે. તેથી જ તેને 'વૈશાખ પૂર્ણિમા' પણ કહેવામાં આવે છે.

        ગૌતમ બુદ્ધનો જન્મ ઈ.સ. પૂર્વે ૫૬૬માં વૈશાખ પૂર્ણિમાના દિવસે નેપાળના લુમ્બિનીમાં થયો હતો. તેમના પિતાનું નામ શુદ્ધોધન અને માતાનું નામ માયાદેવી હતું. ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું. સિદ્ધાર્થના પત્નીનું નામ યશોધરા અને તેમના પુત્રનું નામ રાહુલ હતું. લગભગ ૩૦ વર્ષની ઉંમરે જ્ઞાનપ્રાપ્તિ અને સત્યની શોધ માટે તેમણે ગૃહ ત્યાગ કર્યો. બોધિગયા ખાતે એક પીપળાના વૃક્ષ નીચે બેસી સત્ય અને જ્ઞાનપ્રાપ્તિ માટે સાધના શરૂ કરી. ઘણા દિવસોની સાધના પછી વૈશાખી પૂર્ણિમાના દિવસે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું. જ્ઞાનપ્રાપ્તિ બાદ તેઓ સિદ્ધાર્થમાંથી બુદ્ધ થયા. પાછળથી તેઓ ગૌતમ બુદ્ધ કહેવાયા. બુદ્ધનો અર્થ જાગ્રત કે જ્ઞાની થાય છે. મહાત્મા બુદ્ધનું મહાપરિનિર્વાણ વૈશાખ પૂર્ણિમાના દિવસે કુશીનારા ખાતે ૮૦ વર્ષની વયે થયું હતું. 

           ભગવાન ગૌતમ બુદ્ધનો જન્મ,  જ્ઞાનપ્રાપ્તિ અને મહાપરિનિર્વાણ વૈશાખ પૂર્ણિમાના  દિવસે થયું હોવાથી વૈશાખ પૂર્ણિમાને  બુદ્ધ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. બુદ્ધ પૂર્ણિમાના દિવસે બૌદ્ધ ઘરોમાં દીવો પ્રગટાવવામાં આવે છે અને ઘરોને ફૂલોથી શણગારવામાં આવે છે. આ દિવસે બૌદ્ધ મઠોમાં પૂજા અને ધ્યાન થાય છે. આ દિવસે એક વાસણમાં પાણી અને ફૂલો ભરીને ભગવાન બુદ્ધની સામે રાખવામાં આવે છે અને ભગવાન બુદ્ધને મધ, ફળ અને ફૂલો અર્પણ કરવામાં આવે છે તથા મીણબત્તીઓ પણ પ્રગટાવવામાં આવે છે. બૌદ્ધ ગ્રંથોનું વાચન કરવામાં આવે છે. બુદ્ધ પૂર્ણિમાના દિવસે દાન અને ધર્મના અનેક કાર્યો કરવામાં આવે છે.

         ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ વિશે જાણવા માટે બૌદ્ધ ગ્રંથો ત્રિપિટકમાંથી ઘણી માહિતી મળે છે.


Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

૧ મે ગુજરાત સ્થાપના દિવસ

 ૧ મે ગુજરાત સ્થાપના દિવસ




૧ મે ગુજરાત સ્થાપના દિવસ :


“ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,

ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત,

જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી,

ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત !”



"ઉત્તરે ઈડરિયો ગઢ ભલો,

દખ્ખણે દરિયાની અમીરાત,

ખમીર જેનું ખણખણે,

એ છે ધમધમતું ગુજરાત...”




"કૃષ્ણની દ્વારિકાને સાચવીને બેઠેલું જળ છું,

હું નરસિંહના પ્રભાતિયાથી પરિતૃપ્ત  પ્રભાત છું,

વેપાર છું, વિસ્તાર છું, વિખ્યાત છું,

હા હું ગુજરાત છું."



"ગુજરાત એટલે કલાપીની કવિતા,

તરણેતરના મેળાની લોકસંસ્કૃતિ,

વનરાજની ગર્જના અને કેસર કેરીની મીઠાશ." 



"લાંબો ડગલો મૂછો વાંકડી

શિરે પાઘડી રાતી,

બોલ બોલતો તોળી તોળી

છેલછબીલો ગુજરાતી,

તન છોટુ પણ મન મોટું

છે ખમીરવંતી જાતિ,

ભલે લાગતો ભલો ભોળો,

હું છેલછબીલો ગુજરાતી"


ભારત દેશની સ્વતંત્રતા અને ભાગલા પછી ઇ.સ. ૧૯૪૭ના વર્ષમાં ભારત સરકારે પશ્ચિમ ભાગમાં રજવાડાંઓને ભેગાં કરી ત્રણ રાજ્યોની રચના કરી. આ રાજ્યો સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઈ હતાં. ઇ.સ. ૧૯૫૬ના વર્ષમાં મુંબઈ રાજ્યનો વિસ્તાર કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને હૈદરાબાદ તથા મધ્યપ્રદેશના કેટલાક ભાગો એમાં ઉમેરવામાં આવ્યા અને તેને બૃહદ મુંબઇ રાજ્ય નામ અપાયું. આ નવા રાજ્યમાં ઉત્તર ભાગમાં ગુજરાતી બોલતા લોકો અને દક્ષિણ ભાગમાં મરાઠી બોલતા લોકો હતા. મહાગુજરાત આંદોલન અને અલગ મરાઠી રાજ્યની માંગણી પછી ૧ મે, ૧૯૬૦ના રોજ મુંબઈ રાજ્યના બે ભાગલા મહારાષ્ટ્ર અને ગુજરાત તરીકે કરવામાં આવ્યા.

ગુજરાત સરકારે આ દિવસને ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઘોષિત કર્યો છે અને દર વર્ષે વિવિધ જિલ્લાઓમાં તેની ઊજવણી કરવામાં આવે છે. સામાન્ય રીતે તેમાં વિવિધ વિકાસ અને લોકોપયોગી કાર્યોની શરૂઆત કે લોકાર્પણ વિધિ કરવામાં આવે છે.

બોમ્બે રીઓર્ગેનાઇઝેશન એક્ટ, ૧૯૬૦ પ્રમાણે ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી છે.

 1 લી મે, 1960 ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી. આ જ દિવસે મહારાષ્ટ્રની પણ સ્થાપના થઇ હતી. વર્ષ 1937 માં કરાંચી ખાતે યોજાયેલી એક સભા દરમિયાન “ મહાગુજરાત ” નો વિચાર કનૈયાલાલ મુનશીએ રજૂ કર્યો હતો. વર્ષ 1956 માં સ્ટેટ્સ રીઓર્ગેનાઈઝેશન એક્ટ દ્વારા રાજ્યોની સીમા નક્કી કરવામાં આવેલી તે સમયે એક બોમ્બે રાજ્ય હતું, જેમાં ગુજરાતી, કચ્છી, મરાઠી અને કોંકણી ભાષા બોલનારા લોકો વસતા હતા. ગુજરાતી અને કચ્છી બોલનારા લોકોનું એક અલગ રાજ્ય હોય તેવી માંગ સાથે મહાગુજરાત આંદોલન થયું. અમદાવાદ ખાતે થયેલા આ આંદોલનમાં અમુક વિદ્યાર્થીઓએ પોતાનો જીવ પણ ગુમાવ્યો. 



       આંદોલનમાં શહીદ થયેલ્ક વિદ્યાર્થીઓની સ્મૃતિમાં લાલ દરવાજા પાસે શહીદ સ્મારક બનાવવામાં આવ્યું. ઈન્દુલાલ યાગ્નિક મહાગુજરાત આંદોલનને સંભાળતા હતા. અંતે પ્રેસિડેન્ટ રાજેન્દ્ર પ્રસાદ, સર્વપલ્લી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુએ ગુજરાત અને મહારાષ્ટ્ર હવેથી આ બે અલગ રાજ્ય છે, તેમ ઘોષિત કરવા સંમત થયા અને 1 લી મે ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્ય આ રીતે સ્થપાયા.



         આપણા લાડિલા ગુજરાતે મે ૧ ,૧૯૬૦ ના મંગલ પ્રભાતે દ્વિભાષી મુંબઈ રાજ્યમાંથી વિભાજીત થઈને ગુજરાતી ભાષા બોલાતી પ્રજાની આકાંક્ષાઓની પરીપૂર્તિ માટે ગાંધી મૂલ્યોના પ્રતિક જેવા પૂજ્ય રવિશંકર મહારાજના વરદ હસ્તે, એમના આશીર્વાદ સાથે ગુજરાતના સ્વતંત્ર રાજ્યનો શુભારંભ થયો હતો.


           ગુજરાત માટે કનૈયાલાલ મુનશીએ લખ્યું છે કે, “ ગુજરાતને સીમાડા નથી. ‘ગુજરાત’ એક જીવંત  અને જાગૃત વ્યક્તિ છે. જે પોતાને એક કલ્પનામાં,પોતાનું અસ્તિત્વ એક દૃઢ સંકલ્પ દ્વારા સમજવામાં જીવન સાફલ્ય સમજે છે. જ્યાં ગુજરાતીઓ ‘ ગુજરાત’ છે ને રહેશે એવી નિર્ણાયાત્મક કલ્પના સેવી એકઠા મળે છે ત્યાં ગુજરાતની હસતી છે.”






ગુજરાત રાજ્ય જાણવા જેવું

√ મહાગુજરાત આંદોલનના પ્રણેતા : ઈન્દુલાલ યાજ્ઞિક

√ ગુજરાત રાજ્યની સ્થાપના : ૧ મે, ૧૯૬૦

√ પ્રથમ મુખ્યમંત્રી : શ્રી જીવરાજ મહેતા

√ પહેલાનું પાટનગર : અમદાવાદ

√ હાલનું પાટનગર : ગાંધીનગર

√ રાજ્યગીત : જય જય ગરવી ગુજરાત

√ રાજ્યભાષા : ગુજરાતી

√ રાજ્યપ્રાણી : સિંહ

√ રાજ્યપક્ષી : સુરખાબ (ફ્લેમિંગ)

√ રાજ્યવૃક્ષ : આંબો

√ રાજ્યફૂલ : ગલગોટો

√ રાજ્યનૃત્ય : ગરબા 

√ રાજ્ય રમત : કબડ્ડી

√ શહીદ સ્મારક લાલદરવાજા ભદ્ર, અમદાવાદ ખાતે બનાવવામાં આવ્યું


√ ગુજરાત રાજ્યની સ્થાપના થઇ ત્યારે ગુજરાત રાજ્યમાં ૧૭ જિલ્લા હતાં 

√ ગુજરાત રાજ્યનું ક્ષેત્રફળ ૧,૯૬,૦૨૪ ચો.કિ.મી. છે.

√ ગુજરાત રાજ્યની સ્થપના બૉમ્બે રિઓર્ગેનાઇઝેશન એક્ટ ૧૯૬૦ અંતર્ગત કરવામાં આવી છે.

√ ભાવનગર જિલ્લામાં ૧૦ તાલુકા છે.


મહાગુજરાત આંદોલનના અગત્યના પ્રશ્નો અને તેના જવાબ : 


◆ મહાગુજરાત આંદોલનની શરૂઆત ક્યા દિવસે થઈ હતી ? :  ૮ ઑગસ્ટ, ૧૯૫૬

◆ મહાગુજરાત આંદોલનનું સૌથી પહેલું સરઘસ ક્યાંથી નીકળ્યું હતું ? : એલિસબ્રિજ લૉ કૉલેજથી

◆ તા.૧૭-૦૧-૧૯૫૬ના રોજ આકાશવાણી પરથી દેશના ક્યા નેતાએ મહાગુજરાતના વિઘટનની સ્પષ્ટ જાહેરાત કરી હતી ? : જવાહરલાલ નહેરુ

◆ મહાગુજરાત લડતની આગેવાની ક્યા નેતાએ લીધી હતી ? : ઈન્દુલાલ યાજ્ઞિક

◆ મહાગુજરાત આંદોલનકારીઓનું સંગઠન ક્યા નામથી ઓળખાતું હતું ? : જનતા પરિષદ

◆ મહાગુજરાતની લડતને ટેકો આપવા માટે ક્યુ દૈનિક શરૂ કરવામાં આવેલું હતું ? : નવગુજરાત

◆ મહાગુજરાત આંદોલનમાં શહીદ થયેલા નવજુવાનોનું શહીદ સ્મારક બનાવવા જેલ ભરો સત્યાગ્રહ આશરે કેટલા દિવસ ચાલ્યો હતો ? : ૨૨૬ દિવસ

Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube
Join us on Facebook Group

Followers

VISITERS