શિક્ષણ , સર્જન , સિદ્ધિ

શિક્ષણકુંજ ઈ મેગેઝીન
Join Us On
Whatsapp
Join Us On
Telegram

સંવત્સરી


 *સંવત્સરી* 


સંવત્સરી એ પર્યુષણનો છેલ્લો દિવસ છે. તે પર્યુષણ પર્વનો ૮ મો દિવસ હોય છે. જૈન પંચાંગનો આ સૌથી પવિત્ર દિવસ હોય છે. 

       ઘણાં જૈન લોકો આ દિવસે સંપૂર્ણ ઉપવાસ કરે છે. સંપૂર્ણ દિવસ પ્રાર્થના અને ક્ષમાયાચના અને પશ્યાતાપમાં વિતાવવામાં આવે છે. એક વાર્ષિક વિસ્તૃત ક્ષમા વિધી સાંવત્સરીક પ્રતિક્રમણ આ દિવસે કરવામાં આવે છે. આ પ્રતિક્રમણ બાદ સર્વ જૈનો મિચ્છામિ દુક્કડમ્ બોલીને જાણતા અજાણતા પોતાના દ્વારા પહોંચાડેલા દુ:ખ પીડા આદિની વિશ્વના સર્વે જીવો પાસે ક્ષમા માંગે છે. જૈન ધર્મના લોકો તેમના મિત્રો, સગા, સંબંધી આદિને કહે છે. કોઈ નિજી ઝઘડો કે મતભેદને સંવત્સરીથી વધુ આગળ ખેંચતા નથી. બહારગામ વસતા મિત્રો અને અને સંબંધીઓ આદિની ફોન દ્વારા માફી મંગાય છે.


સંવત્સરી એ જૈન ધર્મનું પવિત્ર પર્વ છે, જે પર્યુષણ પર્વના છેલ્લાં દિવસે ઉજવાય છે. આ પર્વ જૈન ધર્મના લોકો દ્વારા મનાવવામાં આવે છે. "સંવત્સરી" શબ્દનો અર્થ છે વાર્ષિક ક્ષમા યાચના — જ્યાં દરેક જીવાત્મા પાસેથી ક્ષમા માગવી અને આપવી એ મુખ્ય ભાવના છે.


પર્યુષણ દરમિયાન જૈનો ઉપવાસ, પ્રતિક્રમણ, ધ્યાન અને આત્મવિચારમાં તત્પર રહે છે. અંતિમ દિવસ એટલે સંવત્સરી, જે પોતાની ભૂલોને સ્વીકારી અને ક્ષમા માગીને નવા શરૂઆત કરવાનો દિવસ છે.


આ દિવસે લોકો એક બીજાને કહે છે:

"મિચ્છામિ દુક્કડમ્", એટલે કે “મારાથી થયેલી ભૂલો માફ કરો.”


સંવત્સરી કેમ ઉજવાય છે ?


👉આત્મશુદ્ધિ અને પાપોથી મુક્તિ માટે


👉સમાજમાં પ્રેમ અને શાંતિ વધારવા માટે


👉અહિંસા અને કરુણા પર અભ્યાસ કરવા માટે


👉જીવનના ચિંતન અને સુધાર માટે



મિચ્છામિ દુક્કડમ્ :


પરિચિત કે અજાણ્યા તમામ વ્યક્તિઓ પાસે ક્ષમા માગવી.

Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

15 સપ્ટેમ્બર આજનું દિન વિશેષ













 

Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

14 સપ્ટેમ્બર આજનું દિન વિશેષ














 

Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

શિક્ષણકુંજ મૅગેઝિનના પ્રતિભાવ

 શિક્ષણકુંજ ઈ-મેગેઝિનનો સપ્ટેમ્બર–ઑક્ટોબર ૨૦૨૬નો અંક વાંચવાનો અવસર મળ્યો. સમગ્ર અંકનું અવલોકન કરતાં એક વાત ખૂબ જ સ્પષ્ટપણે અનુભવાઈ કે આ માત્ર એક ઈ-મેગેઝિન નથી, પરંતુ શિક્ષણ, સર્જન, સંસ્કાર, સાહિત્ય અને જ્ઞાનનો સુંદર સમન્વય છે.


અંકની વિષયવસ્તુમાં જે વૈવિધ્ય જોવા મળે છે તે ખરેખર પ્રશંસનીય છે. શિક્ષણ ક્ષેત્રના નૂતન પ્રવાહો અને નવતર પ્રયોગોથી લઈને બાળવાર્તા, બાળગીત, કવિતા, ગઝલ, દિનવિશેષ, વ્યક્તિ વિશેષ, જીવનપ્રેરક લેખો, વિજ્ઞાન, ગણિત, ડિજિટલ લર્નિંગ, રમતગમત, આરોગ્ય, રાષ્ટ્રપ્રેમ અને સામાજિક જાગૃતિ જેવા અનેક વિષયોને ખૂબ સુંદર રીતે આવરી લેવામાં આવ્યા છે.


ખાસ કરીને શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણપ્રેમી સૌને ઉપયોગી બને તેવી સામગ્રી એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ આ અંકની સૌથી મોટી વિશેષતા લાગી. અનુક્રમણિકામાં જ વિષયોની વિશાળ શ્રેણી જોઈને સંપાદકીય ટીમની મહેનત, આયોજન અને દૃષ્ટિનો પરિચય મળે છે.


વ્યક્તિવિશેષ અને જીવનપરિચય જેવા વિભાગો દ્વારા શિક્ષણક્ષેત્રે કાર્યરત પ્રતિભાશાળી વ્યક્તિઓના જીવન અને કાર્યોને વાચા આપવામાં આવી છે, જ્યારે બાળસાહિત્ય અને સર્જનાત્મક રચનાઓ દ્વારા બાળકોની કલ્પનાશક્તિ અને વાંચનપ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાનો સુંદર પ્રયાસ થયો છે. આ પ્રકારનું સંકલન મેગેઝિનને માત્ર માહિતીસભર નહીં, પરંતુ પ્રેરણાદાયી અને વાંચનપ્રેરક બનાવે છે.


આ સમગ્ર કાર્ય પાછળની દૃષ્ટિ, સંકલનશક્તિ, સતત કાર્યશીલતા અને શિક્ષણ પ્રત્યેની નિષ્ઠા ખરેખર બિરદાવવા જેવી છે. શિક્ષણકુંજ દ્વારા દૈનિક શૈક્ષણિક સામગ્રી, ઓનલાઈન સ્પર્ધાઓ, ક્વિઝ, શૈક્ષણિક વીડિયો અને હવે ઈ-મેગેઝિન જેવા વિવિધ માધ્યમો દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓ સુધી ઉપયોગી જ્ઞાન પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે નિઃસંદેહ પ્રશંસનીય સેવાકાર્ય છે.


દિનેશભાઈ ચૌહાણ, નરેન્દ્રભાઈ કાલરિયા, રાજેશભાઈ ડાભી તથા સમગ્ર સંપાદકીય અને સહયોગી ટીમને દિલથી અભિનંદન. આપ સૌએ શિક્ષણના ક્ષેત્રમાં એક એવું સુંદર અને સકારાત્મક મંચ ઊભું કર્યું છે, જ્યાં શિક્ષકોની પ્રતિભા, વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને શિક્ષણક્ષેત્રના વિચારોને યોગ્ય સ્થાન મળે છે.


આ અંક વાંચીને એવું ચોક્કસ કહી શકાય કે—


“જ્યાં જ્ઞાન સાથે સર્જન જોડાય,

જ્યાં શિક્ષણ સાથે સંસ્કાર જોડાય,

અને જ્યાં પ્રતિભાને અભિવ્યક્તિનું મંચ મળે,

ત્યાં ‘શિક્ષણકુંજ’ જેવી સુંદર પહેલ જન્મે છે.”


આ ઈ-મેગેઝિન આવનારા સમયમાં ગુજરાતના શિક્ષણજગતનું વધુ મજબૂત, વિશ્વસનીય અને લોકપ્રિય માધ્યમ બને, વધુને વધુ શિક્ષકો અને વિદ્યાર્થીઓની પ્રતિભાને વાચા મળે અને શિક્ષણના નૂતન વિચારો રાજ્યના ખૂણે-ખૂણે પહોંચે તેવી હાર્દિક શુભકામનાઓ.


સમગ્ર “શિક્ષણકુંજ” પરિવારને હાર્દિક અભિનંદન અને અનેક શુભેચ્છાઓ.

આ સુંદર શિક્ષણયાત્રા અવિરત આગળ વધતી રહે અને અનેક પ્રતિભાઓ માટે પ્રેરણાસ્ત્રોત બને — એવી અંતઃકરણપૂર્વક શુભકામના. 🙏🌷


ચૌધરી જયેશકુમાર પરાગભાઇ 

ઉ. શિ. ગાંધી સુંદરલાલ પ્રાથમિક કન્યા શાળા, પાટણ




*જ્ઞાનનો ખજાનો, પ્રવૃત્તિઓનો ભંડાર, કૌશલ્યનો વિકાસ આ ત્રણેયનો સમન્વય એટલે શિક્ષણકુંજ ઈ-મેગેઝિન*


   આ મેગેઝિનનો લાભ આચાર્ય, શિક્ષકો ,સી.આર.સી, બી.આર.સી., વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક લે છે. જેમાં બાળગીતો પ્રવૃત્તિ પ્રશ્નો દિન વિશેષ, પ્રોત્સાહન સન્માન વગેરેનું સમાવેશ થાય છે ખૂબ જ ઝીણવટ પૂર્વક અને અથાક પ્રયત્નો સાથે વધુ સમય આપીને આ ઈ-મેગેઝિન તૈયાર કરવામાં આવેલ છે. જેની રાજ્ય કક્ષા સુધી નોંધ લેવાય છે તેમની આ સુંદર કામગીરી આપણા સૌ માટે જીવન ઉપયોગી બની રહી છે તેમની સમગ્ર ટીમને આવડત, કલાને ખૂબ ખૂબ અભિનંદન અને અઢળક શુભેચ્છાઓ💐💐💐🙏🙏🙏


 વૈશાલીબેન ત્રિકમલાલ પંચાલ

 મહેસાણા પ્રા. શાળા નંબર 7 

તા. મહેસાણા, જિ.મહેસાણા



શિક્ષણકુંજ: શિક્ષકોના હાથે રચાયેલું જ્ઞાનનું કુંજ

શિક્ષણકુંજ એ માત્ર એક સામયિક નથી, પરંતુ ગુજરાતના શિક્ષકોની નિષ્ઠા, સર્જનાત્મકતા અને સમર્પણનું જીવંત પ્રતિબિંબ છે. રાજ્યભરની શાળાઓમાં કાર્યરત શિક્ષકો પોતાની શૈક્ષણિક પ્રવૃત્તિઓ, નવીન પ્રયોગો તથા બાળકોના સર્વાંગી વિકાસ માટે ઉપયોગી અને જ્ઞાનસભર લેખો આ સામયિકના માધ્યમથી એકબીજા સાથે વહેંચે છે. આ આદાનપ્રદાન એ ગુજરાતના શિક્ષણજગત માટે એક અમૂલ્ય મંચ બની રહ્યું છે.

વર્ષોથી અવિરત ચાલતી આ પ્રવૃત્તિ પાછળ જે ટીમની મહેનત, આયોજન અને લગન કામ કરે છે, તે ખરેખર પ્રશંસનીય છે. દરેક અંકને સુંદર રીતે તૈયાર કરવો, વિવિધ શાળાઓમાંથી આવતા લેખો અને પ્રવૃત્તિઓને એકત્રિત કરી તેમને યોગ્ય સ્વરૂપ આપવું, અને સાતત્યપૂર્વક ગુણવત્તા જાળવવી — આ બધું સહેલું કાર્ય નથી. છતાં શિક્ષણકુંજની ટીમ વર્ષોથી આ જવાબદારી ખૂબ જ સુંદર રીતે નિભાવી રહી છે.

આ સામયિકના કારણે અનેક શિક્ષકોને પોતાના વિચારો, અનુભવો અને નવીન શૈક્ષણિક પદ્ધતિઓ રજૂ કરવાની તક મળે છે, જે અંતે બાળકોના શિક્ષણને વધુ સમૃદ્ધ બનાવે છે. એક શિક્ષકના પ્રયાસો બીજા શિક્ષક સુધી પહોંચે અને તેમાંથી પ્રેરણા લઈને નવા વિચારો જન્મે — આ સાંકળ જ શિક્ષણકુંજની સાચી સફળતા છે.

આ પ્રસંગે સમગ્ર શિક્ષણકુંજ ટીમનો હૃદયપૂર્વક આભાર માનવાનું મન થાય છે. તેમની નિષ્ઠા અને સેવાભાવના કારણે જ આ પ્રવૃત્તિ વર્ષોથી અવિરત ચાલી રહી છે અને ભવિષ્યમાં પણ તે વધુ ઊંચાઈઓ સર કરે, એવી શુભેચ્છા સાથે.

શિક્ષણકુંજ ટીમને ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ!


જિનેશાબેન શાહ

રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા 

પી.એમ.શ્રી સજના તલાવડી પ્રાથમિક શાળા 

આણંદ



Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

13 સપ્ટેમ્બર આજનું દિન વિશેષ













 

Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

12 સપ્ટેમ્બર આજનું દિન વિશેષ













 

Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube
Join us on Facebook Group

Followers

VISITERS