શિક્ષણ , સર્જન , સિદ્ધિ

શિક્ષણકુંજ ઈ મેગેઝીન
Join Us On
Whatsapp
Join Us On
Telegram

ભગવાન શ્રીરામ

 ભગવાન શ્રીરામ





જય શ્રી રામ



રામાયણ એ ભારતીય સંસ્કૃતિનો ઐતિહાસિક ગ્રંથ છે. વાલ્મિકીએ મૂળ સંસ્કૃતમાં આ ગ્રંથની રચના કરી હતી. 

           ભારતીય લોકોની જીવનશૈલી, સમાજ જીવન અને કુટુંબસંસ્થા પર રામાયણનો બહુ મોટો પ્રભાવ છે. દરેક પતિ-પત્નીને રામ-સીતા સાથે, પુત્રને રામ સાથે, ભાઈને લક્ષ્મણ કે ભરત સાથે અને મિત્રને સુગ્રીવ સાથે સરખાવવામાં આવે છે. રામને આદર્શ રાજા માનવામાં આવે છે. રામાયણનું દરેક પાત્ર સમાજ માટે આદર્શપાત્ર બની રહે છે. રામાયણ પરથી વર્ષ ૧૯૮૭-૮૮ દરમિયાન ટીવી સિરિયલ પણ બનેલી જે ખૂબ જ પ્રચલિત બની છે.

       રામાયણ ત્રેતાયુગમાં જન્મેલા ભગવાન શ્રી રામની જીવન કથા છે. રામાયણમાં વર્ણવેલું રામ-રાજ્ય આદર્શ રાજ્ય ગણાય છે. ઉત્તર ભારતમાં અયોધ્યાના રાજા દશરથના ચાર પુત્રોમાં રામ સૌથી મોટા પુત્ર છે. આ જ સમય ગાળામાં લંકામાં રાજા રાવણનું રાજ્ય હતુ. રામાયણમાં રાવણને એક અત્યાચારી રાજા તરીકે વર્ણવવામાં આવ્યો છે.

          રામ હિંદુ ધર્મના દેવતા છે. તે વિષ્ણુનો સાતમો અવતાર છે. અયોધ્યામાં કૌશલ્યા અને દશરથને ત્યાં શ્રી રામનો જન્મ થયો હતો.  લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન તેમના ભાઈઓ હતા. ભગવાન શ્રી રામે સીતાજી સાથે લગ્ન કર્યા હતા. ભગવાન શ્રી રામ પ્રાચીન ગ્રંથોમાં મુખ્યત્ત્વે લોકરક્ષક અને મર્યાદાપુરુષોત્તમ તરીકે વર્ણવાયેલા છે.

        સીતાજી ભગવાન રામના પત્ની તથા લક્ષ્મીનો અવતાર મનાય છે. જનક નંદિની માતા જાનકી તો ભારતીય સતીત્ત્વ કે નારીતાનું પ્રેરક અને જીવંત પ્રતીક છે.   મિથિલાના રાજા જનક દ્વારા હળથી ધરતી ખેડતાં એમાંથી મળેલ કન્યાનું નામ ‘સીતા’ રખાયું. જનકની પુત્રી હોઈ તે ‘જાનકી’ કહેવાઈ.

      દશરથ એ અયોધ્યાના રાજા અને ભગવાન શ્રી રામના પિતા હતાં.   દશરથ અજ અને ઈન્દુમતીનાં પુત્ર હતા. દશરથને કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા નામે ત્રણ રાણીઓ હતી તેમજ રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન નામે ચાર પુત્રો હતા. કૌશલ્યા એ ભગવાન શ્રી રામના માતા અને રાજા દશરથનાં ધર્મપત્ની હતાં


     હનુમાન એ હિંદુ દેવતા અને શ્રી રામના પરમ ભક્ત અને સાથી છે. તેઓ બ્રહ્મચારી અને ચિરંજીવી તરીકે વર્ણવાયા છે. તેઓ બળ,બુદ્ધિ, વિદ્યા અને ભક્તિ ના દેવતા મનાય છે. રામાયણ સહિત અન્ય ગ્રંથો જેવા કે મહાભારત અને વિવિધ પુરાણોમાં તેમનું વર્ણન થયું છે. તેઓ અંજની અને કેસરીના પુત્ર તેમજ વાયુદેવના પુત્ર છે. તેમનો જન્‍મ ચૈત્રી પૂનમને દિવસે થયો હતો, જેની હનુમાન જન્મોત્સવ તરીકે ઉજવણી થાય છે.

      રાવણ લંકાનો રાજા હતો. રાવણના પિતાનું નામ વિશ્રવા અને માતાનું નામ કૈકસી હતું. રાવણના ભાઈઓ કુંભકર્ણ અને વિભીષણ હતા. રાવણની બહેનનું નામ શૂર્પણખા હતું. રાવણે મંદોદરી સાથે વિવાહ કર્યા હતા. 

       પક્ષી ગીધરાજ જટાયુ, રાજા દશરથ (રામના પિતા)નો જૂનો મિત્ર છે. જટાયુ જ્યારે રાવણ સીતાનું અપહરણ કરીને લંકા લઇ જતો હોય છે ત્યારે સીતાને બચાવવાનો પ્રયત્ન કરે છે. જટાયુ બહાદુરીથી લડે છે પણ જટાયુ વૃદ્ધ હોવાથી રાવણ સામે ઘાયલ થાય છે. રામ અને લક્ષ્મણ સીતાને શોધવા જતી વખતે મૃત્યુ શૈયા પર પડેલા જટાયુને મળે છે અને  રાવણ કઇ દિશામાં ગયો તેનું માર્ગદર્શન મેળવે છે. જ્યારે જટાયુ ઘાયલ થઇને જમીન પર પડ્યો હોય છે અને ભગવાન રામ ત્યાં આવે છે, રામ તેને મોક્ષ આપે છે. જટાયુના  ભાઇનું નામ સંપાતિ છે.

       શૂર્પણખા એ લંકાના રાજા રાવણની બહેન છે. વિભીષણ  લંકાના રાજા રાવણનો ભાઇ હતો.  વિભીષણ લંકા છોડીને રામની સેનામાં ભળી ગયો હતો. રાવણના વધ પછી રામે વિભીષણને લંકાનો રાજા બનાવ્યો હતો.



રામ નવમીનો તહેવાર ભારતમાં ચૈત્ર સુદ નોમ(નવમી)ના દિવસે શ્રદ્ધા અને આસ્થા સાથે ઉજવાય છે. ભારતીય ઉપખંડના મહત્ત્વના એવા હિંદુ ધર્મના શાસ્ત્રોમાં વર્ણવ્યા અનુસાર જયારે સમાજમાં સત્‍ય ઉપર અસત્‍ય, પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતા, સદાચાર ઉપર દુરાચાર અને ઋષિ સંસ્‍કૃતિ ઉપર દૈત્‍ય શક્તિઓ હાવી થવા લાગી ત્‍યારે ભગવાન શ્રી રામે તેમનો નાશ કરવા માટે જન્‍મ લીધો. તે  તિથિ હતી ચૈત્ર સુદ નોમ (નવમી). ભગવાન શ્રી રામના આ જન્‍મ દિવસને ઉત્તરથી દક્ષિ‍ણ અને પૂર્વથી પશ્ચિમ સુધી બધા રામનવમી તરીકે ધામધૂમથી ઉજવે છે.

           ભગવાન શ્રી રામે પિતા, માતા, ગુરુ, પત્ની, નાના ભાઈઓ પ્રત્‍યેની ફરજો ઉપરાંત કુટુંબ તેમજ સમાજ પ્રત્‍યેની ફરજો નિષ્‍ઠાપૂર્વક બજાવવા સાથે એક મર્યાદા પુરુષોત્તમ તરીકેનું જીવન વ્‍યતિત કર્યુ હતું. ભગવાન શ્રી રામે આદર્શ રામરાજ્યની સ્થાપના કરી હતી, જે આજે પણ યાદ કરવામાં આવે છે. રામ નવમી હિંદુ ધર્મનો ધાર્મિક તહેવાર છે, જે ભગવાન શ્રી રામનો જન્મદિન છે. વિષ્ણુના સાતમા અવતાર તરીકે, તે હિંદુ ધર્મનો મહત્ત્વનો તહેવાર છે. 

            રામનવમીના દિવસે   લોકો રામમંદિરોમાં પૂજન-અર્ચન, દર્શનાર્થે જાય છે અથવા ઘરમાં પૂજા-અર્ચના  કરે છે. રામની બાલમૂર્તિની સેવા-પૂજા તથા પારણાનાં દર્શન પણ કરાય છે. ઘણાં લોકો રામ નવમીના દિવસે વ્રત-ઉપવાસ પણ કરે છે. આ દિવસે અયોધ્યા, સીતામઢી (બિહાર) તથા રામેશ્વરમ (તામિલ નાડુ) તથા અન્ય નાના-મોટા નગરોમાં શોભાયાત્રાનું પણ આયોજન કરાય છે. અયોધ્યામાં લોકો સરયુ નદીમાં સ્નાન કરી રામમંદિરમાં દર્શનાર્થે જાય છે.


રામ અયોધ્યાનાં રાજા દશરથ અને તેમની પટરાણી કૌશલ્યાનાં પુત્ર તરીકે જન્મ્યા હતાં. લોકો તેમને રામચંદ્ર, દશરથ નંદન, કૌશલ્યા નંદન, વગેરે નામોથી પણ ઓળખે છે. તેમને વિષ્ણુનાં અવતાર માનવામાં આવે છે. વિષ્ણુનાં અવતારોમાં ભગવાન કૃષ્ણની પૂર્ણ પુરૂષોત્તમ અને રામની મર્યાદા પુરૂષોત્તમ તરીકે ગણતરી થાય છે. રાજા દશરથની અન્ય બે રાણીઓ, સુમિત્રા અને કૈકેયીનાં પુત્રો લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન રામનાં અન્ય ભાઈઓ હતાં. ભગવાન રામનાં લગ્ન વિદેહનાં રાજા જનકની પુત્રી સીતા સાથે થયાં હતાં. તેમને બે પુત્રો લવ અને કુશ હતાં. 


રામનાં નાનપણ ની અનેક લીલાઓ રામાયણમાં વર્ણવાઇ છે. સાવકી માતા કૈકેયીએ દાસી મંથરાની કાન ભંભેરણીથી ઉશ્કેરાઇને રાજા દશરથ પાસેથી રામનો વનવાસ અને પોતાનાં પુત્ર ભરતનો રાજ્યાભિષેક માંગ્યો હતો, જેનો આઘાત સહન ન થવાથી રાજા દશરથ મૃત્યુ પામ્યા, રામ ૧૪ વર્ષનાં વનવાસે ગયા, જ્યાં માતા સીતા એક આદર્શ પત્ની તરીકે તેમની સાથે ગયા તથા રામના ભાઈ લક્ષ્મણ પણ તેમની અને પોતાની માતા સમાન ભાભી સીતાની સેવા અર્થે વનમાં તેમની સાથે ગયા. અશોક


વનવાસ દરમ્યાન, લંકા પતિ રાવણ સીતાનું અપહરણ કરી ગયો અને તેમને જ્યાં નિકળ્યા, રસ્તામાં સીતાને શોધવા વાટિકામાં રાખ્યા. રામ તેમને જટાયુ, હનુમાન, સુગ્રીવ વગેરે એ મદદ કરી, અંતે રામે રાવણનો વધ કરીને, સીતાને પાછા મેળવ્યાં. આ બધી કથા વિસ્તૃત રૂપે વાલ્મિકી મુનિએ રામાયણમાં વર્ણવી છે. આશરે ૫૦૦ વર્ષ પૂર્વે, ગોસ્વામી તુલસીદાસે હિંદીની એક બોલી ખડી હિંદીમાં રામાયણ લોકો સમજી શકે તેવા સરળ શબ્દોમાં લખ્યું જેને તેમણે રામચરિત માનસ નામ આપ્યું. આ રામચરિત માનસ ઉત્તર ભારતમાં ખુબ પ્રચલિત છે, જેમાં અનેક શસ્ત્રોનાં અભ્યાસીઓનાં મતે થોડી ઘણી કાલ્પનિક વાતો ઉમેરેલી છે, આમ વાલ્મિકિ કૃત રામાયણ અને રામચરિત માનસ હંમેશા એક બીજાની સાથે સરખામણી પામતું રહ્યું છે.



 વધુ માહિતિ માટે અહિં ક્લિક કરો


Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

0 Comments:

Post a Comment

Join us on Facebook Group

Followers

VISITERS