*દિવાળી (દીપાવલી)*
दीपों का ये त्यौहार,
लाया खुशियां हजार,
मुबारक हो आप सभी को,
दिवाली का त्यौहार ।
દિવાળી અથવા દીપાવલી એ હિંદુ ધર્મનો મહત્ત્વપૂર્ણ તહેવાર છે. દિવાળી એ આપણા ભારત દેશમાં ઉજવવામાં આવતો સૌથી મોટો તહેવાર છે. દિવાળીનો તહેવાર આસો મહિનાની વદ અમાસના દિવસે ઉજવવામાં આવે છે. દિવાળીનો તહેવાર અંધકાર પર પ્રકાશની જીત અને માનવીની અંદર રહેલા દુર્ગુણો પર સદ્ગુણોના વિજયના પ્રતીકરૂપે ઉજવવામાં આવે છે. દિવાળીના તહેવારમાં લોકો માટીના નાનકડા કોડિયામાં રૂની દિવેટ બનાવીને મૂકેલા દીવામાં તેલ ભરીને તેને પ્રગટાવે છે. દિવાળીનો તહેવાર પ્રકાશના પર્વ તરીકે જાણીતો છે. દિવાળીના દિવસે સમગ્ર ભારત દેશમાં જાહેર રજા હોય છે. દિવાળીના તહેવારે લોકો પોતાના ઘરને દીવા, મીણબત્તીઓ અને રંગબેરંગી રોશનીથી શણગારે છે. ઘરના આંગણામાં રંગોળી બનાવે છે. દિવાળીના તહેવારમાં લોકો સ્વાદિષ્ટ મીઠાઈઓનો આનંદ માણે છે.
ભગવાન શ્રીરામનું અયોધ્યા આગમન : વનવાસ અને યુદ્ધમાં રાવણના મૃત્યુ પછી ૧૪ વર્ષે અયોધ્યાના રાજા ભગવાન શ્રીરામ પોતાની પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે અયોધ્યા પરત ફર્યા તેની ખુશીમાં પણ દિવાળી ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માર્ગમાં પ્રકાશ પાથરવા માટે અયોધ્યાના લોકોએ ઘીના દીવા પ્રગટાવ્યા હતા.
દીપાવલીનો અર્થ થાય છે દીવડાઓની હારમાળા (સંસ્કૃત : દીપ= દીવડો અને આવલી = હારમાળા, હાર) અસત પર સતના વિજયને પ્રદર્શિત કરતો આ તહેવાર અંતરના અંધકારને દૂર કરવાનો પણ દિવસ છે. દિવાળીના દિવસે લોકો નવા કપડાં પહેરે છે અને એકબીજાને મિઠાઈ તથા ફરસાણ ખવડાવે છે.
દિવાળી પહેલા ઘરની સફાઈ કરી તેને શણગારવામાં આવે છે. ઘર, દુકાન,ઓફિસમાં પૂજા થાય છે. આ શુભ દિવસોમાં કર્મચારીઓને બોનસ તથા રજાઓ આપવામાં આવે છે. આ શુભ દિવસોમાં લોકો સોનું તથા સંપત્તિ પણ ખરીદે છે. ફટાકડા, નવા કપડાં અને મીઠાઈઓના કારણે દિવાળી એ બાળકોનો પણ પ્રિય તહેવાર છે. આ તહેવાર દરમિયાન ભગવાન શ્રી ગણેશ અને મા લક્ષ્મીની પૂજા કરવાની પણ પરંપરા છે. દિવાળીના તહેવારમાં લોકો કપડાં અને મીઠાઈનું દાન પણ કરતાં હોય છે.
घर-घर हो खुशहाली,
हर कोई मनाए दिवाली,
गले मिलकर सबको कहो,
मुबारक हो आपको दिवाली।
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.
ખૂબ સરસ..👍👍👍
ReplyDeleteBest wishes to all