Special Training Programme (STP)
(1) STPનું પૂરું નામ શું છે?
જવાબ : Special Training Programme (સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ)
(2) STP કયા અધિનિયમ હેઠળ અમલમાં મુકવામાં આવે છે? :
જવાબ : Right to Education Act, 2009 (RTE Act-2009)
(3) RTE Act મુજબ મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર કઈ વયના બાળકોને છે?
જવાબ : 6 થી 14 વર્ષ.
(4) STPનો મુખ્ય હેતુ શું છે?
જવાબ : શાળાએ ન ગયેલા અને શાળામાંથી ડ્રોપઆઉટ થયેલા બાળકોને મુખ્ય શૈક્ષણિક પ્રવાહમાં જોડવા.
(5) STP હેઠળ કયા બાળકોને આવરી લેવામાં આવે છે?
જવાબ: 6 થી 14 વર્ષના શાળાની બહારના બાળકો (Out of School Children) (OOSC)/શાળામાં દાખલ ન થયેલા / અભ્યાસથી વંચિત બાળકો
(6) STP દ્વારા બાળકોને કયા ઘોરણમાં પ્રવેશ આપવામાં ઘરે આવે છે?
જવાબ: વયાનુરૂપ ઘોરણમાં (બાળકની ઉંમરના આધારે જે તે ધોરણમાં પ્રવેશ આપવામાં આવે છે.)
(7) STP માટે SSA Framework કોણે તૈયાર કર્યુ છે?
જવાબ : MHRD (Ministry of Human Resource Development)
(8) STP પૂર્ણ કર્યા પછી બાળકોને શું કરવામાં આવે છે?
જવાબ : Mainstreaming
(સામાન્ય શાળામાં સમાવિષ્ટ) કરવામાં આવે છે.
(9)STP (બિનનિવાસી) ટૂંકા ગાળાનો કાર્યકમ કેટલા સમયનો હોય છે?
જવાબ: 3 માસ (એપ્રિલથી જૂન)
(10) 3 માસના STPમાં કયા બાળકોનો સમાવેશ થાય છે?
જવાબ : 6 થી 8 વર્ષના અને એક વર્ષથી ઓછી સમયના ડ્રોપઆઉટ બાળકો.
(11) STP (બિનનિવાસી) લાંબા ગાળાનો કાર્યકમ કેટલા સમયનો હોય છે?
જવાબ : 12 માસ
(12) 12 માસનાં STPમાં કયા બાળકોનો સમાવેશ થાય છે?
જવાબ : 8 થી 14 વર્ષના કદી શાળાએ ન ગયેલા તથા એક વર્ષથી વધુ સમયના ડ્રોપઆઉટ બાળકો.
(13) STP મહત્તમ કેટલા માસ સુધી ચલાવી શકાય?
જવાબ : 24 માસ.
(14) 24 માસ સુધી STP કોના માટે ચલાવવામાં આવે છે?
જવાબ: 12 થી 14 વર્ષના કદી શાળાએ ન ગયેલા અને બે વર્ષથી વધુ સમયથી ડ્રોપઆઉટ બાળકો માટે
(15) STP હેઠળ બાળકોને કઈ યોજનાનો લાભ મળે છે ?
જવાબ : મધ્યાહ્ન ભોજન યોજના.
(16) STP દ્વારા બાળકોમાં કયા ગુણોનો વિકાસ થાય છે?
જવાબ : આત્મવિશ્વાસ, આત્મસુખ અને શૈક્ષણિક ક્ષમતાનો વિકાસ
(17) બાલમિત્ર/બાલસખી કાર્યક્રમ શું છે?
જવાબ : STP કેન્દ્રોમાં બાળકોને શિક્ષણ અને માર્ગદર્શન આપવા માટેનો કાર્યકમ
(18) બાલમિત્ર/બાલસખી માટેની લઘુતમ લાયકાત શું છે?
જવાબ : સ્નાતક/PTC/B.Ed.
(19) STP કેન્દ્રમાં આવરી લેવાયેલા તમામ બાળકોની શું કરવી પડે?
જવાબ: ઑનલાઈન એન્ટ્રી કરવી પડે
(20) બાલમિત્રને માનદ વેતનનો કેટલો ભાગ દર મહિને મળે છે?
જવાબ : 90%.
(21) બાકીનું 10% માનદ વેતન ક્યારે મળે છે?
જવાબ: બાળકોને વયાનુરૂપ ધોરણમાં Mainstreaming કર્યા પછી/શાળાની બહારના બાળકોને ફરીથી નિયમિત શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડ્યા પછી
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

0 Comments:
Post a Comment