શિક્ષણ , સર્જન , સિદ્ધિ

શિક્ષણકુંજ ઈ મેગેઝીન
Join Us On
Whatsapp
Join Us On
Telegram

સંવત્સરી


 *સંવત્સરી* 


સંવત્સરી એ પર્યુષણનો છેલ્લો દિવસ છે. તે પર્યુષણ પર્વનો ૮ મો દિવસ હોય છે. જૈન પંચાંગનો આ સૌથી પવિત્ર દિવસ હોય છે. 

       ઘણાં જૈન લોકો આ દિવસે સંપૂર્ણ ઉપવાસ કરે છે. સંપૂર્ણ દિવસ પ્રાર્થના અને ક્ષમાયાચના અને પશ્યાતાપમાં વિતાવવામાં આવે છે. એક વાર્ષિક વિસ્તૃત ક્ષમા વિધી સાંવત્સરીક પ્રતિક્રમણ આ દિવસે કરવામાં આવે છે. આ પ્રતિક્રમણ બાદ સર્વ જૈનો મિચ્છામિ દુક્કડમ્ બોલીને જાણતા અજાણતા પોતાના દ્વારા પહોંચાડેલા દુ:ખ પીડા આદિની વિશ્વના સર્વે જીવો પાસે ક્ષમા માંગે છે. જૈન ધર્મના લોકો તેમના મિત્રો, સગા, સંબંધી આદિને કહે છે. કોઈ નિજી ઝઘડો કે મતભેદને સંવત્સરીથી વધુ આગળ ખેંચતા નથી. બહારગામ વસતા મિત્રો અને અને સંબંધીઓ આદિની ફોન દ્વારા માફી મંગાય છે.


સંવત્સરી એ જૈન ધર્મનું પવિત્ર પર્વ છે, જે પર્યુષણ પર્વના છેલ્લાં દિવસે ઉજવાય છે. આ પર્વ જૈન ધર્મના લોકો દ્વારા મનાવવામાં આવે છે. "સંવત્સરી" શબ્દનો અર્થ છે વાર્ષિક ક્ષમા યાચના — જ્યાં દરેક જીવાત્મા પાસેથી ક્ષમા માગવી અને આપવી એ મુખ્ય ભાવના છે.


પર્યુષણ દરમિયાન જૈનો ઉપવાસ, પ્રતિક્રમણ, ધ્યાન અને આત્મવિચારમાં તત્પર રહે છે. અંતિમ દિવસ એટલે સંવત્સરી, જે પોતાની ભૂલોને સ્વીકારી અને ક્ષમા માગીને નવા શરૂઆત કરવાનો દિવસ છે.


આ દિવસે લોકો એક બીજાને કહે છે:

"મિચ્છામિ દુક્કડમ્", એટલે કે “મારાથી થયેલી ભૂલો માફ કરો.”


સંવત્સરી કેમ ઉજવાય છે ?


👉આત્મશુદ્ધિ અને પાપોથી મુક્તિ માટે


👉સમાજમાં પ્રેમ અને શાંતિ વધારવા માટે


👉અહિંસા અને કરુણા પર અભ્યાસ કરવા માટે


👉જીવનના ચિંતન અને સુધાર માટે



મિચ્છામિ દુક્કડમ્ :


પરિચિત કે અજાણ્યા તમામ વ્યક્તિઓ પાસે ક્ષમા માગવી.

Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

0 Comments:

Post a Comment

Join us on Facebook Group

Followers

VISITERS