ગણેશ ચતુર્થી
वक्रतुण्ड महाकाय सूर्यकोटिसमप्रभ।
निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा।।
ગણેશ ચતુર્થી કે ગણેશ ચોથનો તહેવાર વિક્રમ સંવતની ભાદરવા સુદ ૪ (ભાદરવા સુદ ચોથ અથવા ચતુર્થી)નાં રોજ મનાવવામાં આવે છે. આ શુભ દિવસને શ્રી ગણેશજીનો જન્મદિવસ માનવામાં આવે છે. ગણેશ ચતુર્થી હિંદુ ધર્મનો ધાર્મિક તહેવાર છે. શ્રી ગણેશનાં પિતા શિવ અને માતા પાર્વતી છે. શ્રી ગણેશનું વાહન ઉંદર (મૂષક) છે. શ્રી ગણેશની પ્રિય મીઠાઈ લાડુ (મોદક) છે. શ્રી ગણેશના અન્ય નામ ગણપતિ, ગજાનન, વિઘ્નહર્તા વગેરે છે.
ગણેશ ચતુર્થીને સમગ્ર ભારત દેશમાં ઉજવવામાં આવે છે. હિંદુ ધર્મ મુજબ આ દિવસે ભગવાન શ્રી ગણેશનો જન્મ થયો હતો. ભગવાન શ્રી ગણેશના જન્મોત્સવના રૂપમાં આ તહેવારને ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ગણેશ ચતુર્થી પછી ૧૦ દિવસ સુધી ગણેશોત્સવ ઉજવવામાં આવે છે. ભક્તો આ સમય દરમિયાન પોતપોતાના ઘરમાં ભગવાન શ્રી ગણેશની પ્રતિમા (મૂર્તિ)ની સ્થાપના કરી ભક્તિભાવથી દસ દિવસો સુધી ભગવાન શ્રી ગણેશની પૂજા કરે છે. ગણેશોત્સવના અંતિમ દિવસ મતલબ અનંત ચતુર્દશીના દિવસે ગણપતિની પ્રતિમા (મૂર્તિ)નું વિસર્જન કરવામાં આવે છે.
ભાદરવા સુદની ચતુર્થી આખા વર્ષની ચતુર્થીમાં સૌથી મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા કરવામાં આવે છે. હિંદુ ધર્મમાં દરેક શુભકાર્યની શરૂઆતમાં વિઘ્નહર્તા શ્રી ગણેશનું સ્મરણ અને પૂજા કરવામાં આવે છે.
ભાદરવા સુદ ચતુર્થી (ચોથ)થી ગણેશ મહોત્સવનો પ્રારંભ થાય છે. ૧૦ દિવસ ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ૧૦ દિવસ દરમિયાન મંદિરોમાં ગણપતિની વિશેષ આરતી સહિતના આયોજનો કરવામાં આવે છે. ગણપતિ દાદાનું સ્થાપન કરવામાં આવે છે. હવે લોકો ઈકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરે છે. ગણેશ ચતુર્થીના પાવન અવસર પર મંદિરને ફૂલહાર તેમજ રોશનીના શણગાર કરવામાં આવે છે. ગણેશોત્સવ દરમિયાન વાતાવરણ ‘ગણપતિ બાપા મોરિયા, મંગલમૂર્તિ મોરિયા'ના નાદથી છવાઈ જાય છે.
વધુ માહિતિ માટે ક્લિક કરો
Ganesh Chaturthi Celebration: શા માટે થાય ગણેશ ચતુર્થીની ઉજવણી? જાણો પૌરાણિક કથા | Gujarat News | Sandesh
https://share.google/W4jD5shufBIoh5iN8
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.
0 Comments:
Post a Comment