શિક્ષણ , સર્જન , સિદ્ધિ

શિક્ષણકુંજ ઈ મેગેઝીન
Join Us On
Whatsapp
Join Us On
Telegram

ભારતીય રિઝર્વ બેંક Reserve Bank of India RBI

 ભારતીય રિઝર્વ બેંક Reserve Bank of India RBI



    આજે ભારતીય રિઝર્વ બેંક 'Reserve Bank of India'નો સ્થાપના દિવસ છે. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (RBI)ની સ્થાપના ૧ એપ્રિલ,૧૯૩૫ના રોજ થઈ હતી. મુંબઈ ખાતે રિઝર્વ બેંકનું વડું મથક આવેલું છે. રિઝર્વ બેંક ભારતની સર્વોચ્ચ બેંક છે.

      ભારતીય રિઝર્વ બેંક અથવા ટૂંકમાં આર.બી.આઈ. (RBI) ભારતની કેન્દ્રીય બેંક છે જે ચલણી નાણાને લગતી નાણાકીય નીતિનું નિયમન કરે છે. રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાની સ્થાપના ૧ એપ્રિલ, ૧૯૩૫ ના રોજ રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા એક્ટ ૧૯૩૪ મુજબ કરવામાં આવી હતી. ભારતીય રિઝર્વ બેંક ભારત સરકારની વિકાસ નીતિઓમાં અગત્યનો ભાગ ભજવે છે.

      રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાની સ્થાપનામાં ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબે મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબ અર્થશાસ્ત્રી હતા. ભારતીય રિઝર્વ બેન્કની સ્થાપના ડૉ. બાબા સાહેબ આંબેડકર દ્વારા આપવામાં આવેલા દિશા-નિર્દેશો અથવા નિર્દેશક સિદ્ધાંતોના આધારે કરવામાં આવી હતી.  બેંકની કાર્યપદ્ધતિ અથવા કામ કરવાની શૈલી અને તેનો દૃષ્ટિકોણ બાબાસાહેબે હિલ્ટન યંગ કમિશન સમક્ષ મૂક્યો હતો. જ્યારે વર્ષ ૧૯૨૬માં રોયલ કમિશન ઑન ઈન્ડિયન કરન્સી એન્ડ ફાઈનાન્સના નામે આ કમિશન ભારતમાં આવ્યું ત્યારે તેના તમામ સભ્યોએ ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબ દ્વારા લખાયેલ પુસ્તક The Problem of the Rupee - Its Origin and Its Solution ની જોરદાર હિમાયત કરી અને સમર્થન કર્યું. બ્રિટિશ લેજિસ્લેટિવ એસેમ્બલીએ તેને કાયદાનું સ્વરૂપ આપ્યું અને તેને રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા એક્ટ ૧૯૩૪ નામ આપ્યું.

      રિઝર્વ બેંકની મધ્યસ્થ કચેરી શરૂઆતમાં કલકત્તામાં સ્થાપવામાં આવી હતી, જે ૧૯૩૭માં કાયમી ધોરણે મુંબઈમાં સ્થળાંતરિત કરવામાં આવી હતી. સેન્ટ્રલ ઑફિસ એ ઑફિસ છે જ્યાં ગવર્નરો બેસે છે અને નીતિઓ નક્કી કરવામાં આવે છે. સ્વતંત્ર ભારતમાં ૧ જાન્યુઆરી, ૧૯૪૯ના રોજ રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. ત્યારથી તેની સંપૂર્ણ માલિકી ભારત સરકારની છે.

       ભારતીય રિઝર્વ બેંકના મહત્ત્વપૂર્ણ કાર્યો: ભારતમાં નાણાકીય સ્થિરતા હાંસલ કરવા અને સામાન્ય રીતે દેશના હિતમાં ચલણ અને ધિરાણ પ્રણાલીનું સંચાલન કરવા માટે બેંક નોટોના મુદ્દા પર નિયંત્રણ રાખવું, અનામત ભંડોળ રાખવું. નાણાકીય નીતિની રચના, અમલીકરણ અને દેખરેખ રાખવી. નાણાકીય વ્યવસ્થાનું નિયમન અને દેખરેખ. વિદેશી વિનિમય વ્યવસ્થાપન. સરકાર માટે બેંકર અને બેંકો માટે બેંકર તરીકે કામ કરવું. ક્રેડિટ નિયંત્રણ. ચલણ વ્યવહારો નિયંત્રિત કરવા. કરન્સી અને સિક્કાઓનું નિયમન કરવું. નાણાકીય બજારોની ગતિવિધિ પર સતત ધ્યાન આપવું. વિદેશી વિનિમયને મેનેજ કરવું. ચૂકવણી અને સેટલમેન્ટ પર ધ્યાન આપવું. સરકારી દેવું મેનેજ કરવું. વિવિધ પ્રકારની બેંકોનું નિયમન કરવું. કેન્દ્રીય બેન્ક તરીકેનું કામ કરવું. ગ્રાહકને બેન્કિંગ અંગે માહિતી આપવી અને તેની સિક્યોરિટી સુનિશ્ચિત કરવી.



વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


વધુ માહિતી માટે અહીં ક્લિક કરો






Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

0 Comments:

Post a Comment

Join us on Facebook Group

Followers

VISITERS