શિક્ષણ , સર્જન , સિદ્ધિ

શિક્ષણકુંજ ઈ મેગેઝીન
Join Us On
Whatsapp
Join Us On
Telegram

મહાત્મા ગાંધીજી

 મહાત્મા ગાંધીજી 






              મોહનદાસ કરમચંદ ગાંધી (જન્મ : ૨ ઑક્ટોબર, ૧૮૬૯ – અવસાન : ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮) મહાત્મા તરીકે જાણીતા છે. તેઓ અત્યંત પ્રતિભાસંપન્ન નેતા હતા. તેમણે અંગ્રેજ સરકાર પાસેથી દુનિયા દંગ રહી જાય તે રીતે ભારત દેશને આઝાદી અપાવી. તેમની અહિંસક ચળવળની ફિલસૂફીએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિપૂર્ણ તબદીલી ઉપર ખૂબ ઊંડો પ્રભાવ પાડ્યો. તેમના શબ્દોમાં આ ચળવળ એ એક સત્યાગ્રહ હતો; અને આખરે તેમણે સફળતા મેળવી અને એ સાબિત કરી બતાવ્યું.



                   ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક મોહનદાસ કરમચંદ ગાંધી વિશ્વ માનવ હતા. તેઓ મહાત્મા ગાંધી નામે વિશ્વભરમાં જાણીતા થયેલા અને ભારતના રાષ્ટ્રપિતા તરીકેનું માન પામ્યા છે. તેમણે બ્રિટિશ રાજ પાસેથી આઝાદી મેળવવાની ભારતની ચળવળને દુનિયાના નકશા પર મૂકી. તેમના આદર્શો ભારતમાં અને અન્ય દેશોમાં પણ શાંતિમય પરિવર્તનની ચળવળ માટે પ્રેરણાદાયક રહ્યા છે.



              મોહનદાસ  ગાંધીનો જન્મ ગુજરાત રાજ્યના પોરબંદરમાં  થયો હતો. મોહનદાસના પિતાનું નામ કરમચંદ ગાંધી  અને માતાનું નામ પૂતળીબાઈ હતું. મોહનદાસ ગાંધીના પિતા કરમચંદ ગાંધી પોરબંદર સ્ટેટના દીવાન હતા, આ ઉપરાંત તેઓ રાજકોટ અને વાંકાનેરના પણ દીવાન રહ્યા હતા.  મોહનદાસ ગાંધીના લગ્ન કસ્તુરબા સાથે થયા હતા. મોહનદાસ ગાંધીને ચાર પુત્રો હતા; સૌથી મોટો પુત્ર હરીલાલ, ત્યાર બાદ મણીલાલ, ત્યારબાદ રામદાસ અને સૌથી નાનો પુત્ર દેવદાસ.



                      અહિંસક સવિનય કાનૂનભંગનો  ખ્યાલ તેમણે લિયો ટોલ્સટોય અને હેન્રી ડેવિડ થોરો પાસેથી મેળવ્યો હતો. તેના ઉપયોગ દ્વારા તેમણે બ્રિટિશ રાજ્યની હકાલપટ્ટી કરી ભારતને સ્વતંત્ર બનાવ્યું. મહાત્મા ગાંધીજીએ ચંપારણ સત્યાગ્રહ, અસહકારનું આંદોલન, દાંડી સત્યાગ્રહ (દાંડીકૂચ), ધરાસણા સત્યાગ્રહ, હિંદ છોડો આંદોલન વગેરે આંદોલન કરીને ભારત દેશને આઝાદી અપાવી હતી. ગાંધીજીએ 'સત્યના પ્રયોગો' નામથી પોતાની આત્મકથા લખી છે.



મોહનદાસ કરમચંદ ગાંધી (જન્મ : ૨ ઑક્ટોબર, ૧૮૬૯ – અવસાન : ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮)  મહાત્મા તરીકે જાણીતા છે. તેઓ અત્યંત પ્રતિભાસંપન્ન નેતા હતા. તેમણે અંગ્રેજ સરકાર પાસેથી દુનિયા દંગ રહી જાય તે રીતે ભારત દેશને આઝાદી અપાવી. તેમની અહિંસક ચળવળની ફિલસૂફીએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિપૂર્ણ તબદીલી ઉપર ખૂબ ઊંડો પ્રભાવ પાડ્યો. તેમના શબ્દોમાં આ ચળવળ એ એક સત્યાગ્રહ હતો; અને આખરે તેમણે સફળતા મેળવી અને એ સાબિત કરી બતાવ્યું. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક મોહનદાસ કરમચંદ ગાંધી વિશ્વ માનવ હતા, તેઓ મહાત્મા ગાંધી નામે વિશ્વભરમાં જાણીતા થયેલા અને ભારતના રાષ્ટ્રપિતા તરીકેનું માન પામ્યા છે. તેમણે બ્રિટીશ રાજ પાસેથી આઝાદી મેળવવાની ભારતની ચળવળને દુનિયાના નકશા પર મૂકી. ગાંધીજીના આદર્શો ભારતમાં અને અન્ય દેશોમાં પણ શાંતિમય પરિવર્તનની ચળવળ માટે પ્રેરણાદાયક રહ્યા છે. અહિંસક સવિનય કાનૂનભંગનો જે ખ્યાલ ગાંધીજીએ લિયો ટોલ્સટોય અને હેન્રી ડેવિડ થોરો પાસેથી મેળવ્યો હતો, તેના ઉપયોગ દ્વારા તેમણે બ્રિટિશ રાજ્યની હકાલપટ્ટી કરી ભારતને સ્વતંત્ર બનાવ્યું. આમાંથી પ્રેરણા લઈ ઘણાં પ્રદેશના લોકોએ પોતાના દેશની સ્વતંત્રતા માટે બ્રિટીશરો સામે લડાઈ આદરી અને ક્રમશઃ બ્રિટીશ સામ્રાજ્યનો વિસ્તાર ઘટીને ફક્ત તેમના પોતાના દેશ બ્રિટન(અને સ્કોટલેન્ડ) સુધી સીમિત થઈ ગયો. આમ ગાંધીજીની પ્રેરણાદાયી લડતને કારણે ફક્ત ભારત પર બ્રિટીશ શાસન જ નહીં, પણ જેના રાજ્યનો સૂરજ કદી આથમતો નહોતો તેવી બ્રિટીશ સલ્તનત ખુદ આથમી ગઈ અને કોમનવેલ્થ દેશોનું અસ્તિત્વ ઊભું થયું. ગાંધીજીના સત્યાગ્રહના આદર્શે માર્ટીન લ્યૂથર કિંગ જુનિયર જેવા લોકશાહીના પ્રખર હિમાયતી અનેક આંદોલનકારીઓ માટે નવો રસ્તો ઊભો કર્યો.


મહાત્મા ગાંધીજીનો જન્મ 2 ઑક્ટોબર, 1869 મા ભારત દેશમાં ગુજરાત રાજ્યના પોરબંદરમાં થયો હતો. ગાંધીજીના પિતાનું નામ કરમચંદ ગાંધી અને માતાનું નામ પુતળીબાઈ હતું. ગાંધીજીનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. મોહનદાસ ગાંધીજીનાં લગ્ન ફક્ત 12 વર્ષની વયે કસ્તુરબા સાથે થયા હતા. તેમને ચાર પુત્રો હતા. સૌથી ટો પુત્ર હરિલાલ (જન્મ સન 3858), ત્યારબાદ મણિલાલ (જન્મ સન 1872), ત્યારબાદ સમદાસ (જન્મ સન 1897), અને સૌથી નાનો પુત્ર દેવદાસ (જન્મ સન 1900)


તરુણાવસ્થામાં મોહનદાસ ગાંધી એક સામાન્ય વિદ્યાર્થી હતા. શરૂઆતની અભ્યાસ તેમણે પોરબંદર અને પછી રાજકોટમાં કર્યો હતો. મેટ્રિકયુલેશનની પરીક્ષા પાસકર્યા પછી સન 1887માં યુનિવર્સિટી ઓફ સ્પ્લેિ સાથે સંલગ્ન શામળદાસ કૉલેજમાં ઉચ્ચ અભ્યામ અર્થે તેમણે પ્રવેશ લીધો. ગાંધીનાં ઘણાં કુટુંબીઓ ગુજરાતમાં ઊંચા પદ પર નોકરી કરતા હતા. કુટુંબીઓ આવી મોભો જાળવવા મોહસનદાસ ગાંધીજી બૅરિસ્ટર બને તેવી ઈચ્છા રાખતા હતા. એવામાં મોહનદાસ ગાંધીજીને ઇંગ્લેન્ડમાં અભ્યાસ કરવાની તક મળી. આ તક ગાંધીજીએ ઝડપી લીધી.


ઈ.સ. 1893માં મોહનદાસ ગાંધી કાયદાની પ્રેક્ટિસ માટે દક્ષિણ આફ્રિકા ગથા. મોહનદાસ ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કરવનની નજીક ઈ.સ 10 માં ફિનિક્સ આશ્રમ બનાવ્યો એક દિવસ ડરબનના ન્યાયાધીશે મોહનદાસ ગાંધીને ન્યાયાલયમાં તેમની પાપડી ઉતારવા કહ્યું. ગાંધીજએ પાઘડી ઉતારવાની સાફ ના પાડી અને ન્યાયાલયની બહાર નીકળી ગયા. આ બનાવ પછી એક વાર ગાંધીજી રેલવેમાં પ્રથમ વર્ગ (ફર્સ્ટ ક્લાસ)માં પ્રિટોરિયા જઈ રહ્યા હતા ત્યારે તેમની પાસે ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવા છતાં એક ગોશએ તેમને ફર્સ્ટ કલાસમાંથી ઉત્તરી થર્ડ ક્લાસના ડબ્બામાં બેસવા કહ્યું. ગાંધીએ જ્યારે વિસેધ કર્યો ત્યારે પીટરમેરીટ્ઝબર્ગ સ્ટેશને તેમને ગાડીની બહાર ફેંકી દેવામાં આવ્યા. ગાંધીજી અન્ય ભારતીયોની જેમ આ બધું ન કરી શકે એવા સ્વભાવના નહોતા. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ કાળા ગોરાનાં રંગભેદની નીતિવિરુદ્ધ આંદોલન ચલાવ્યું હતું. દક્ષિણ આફ્રિકામાં ભારતીયો પર થતા અન્યાય, દમન અને ઓરમાયા વર્તન, રંગભેદની નીતિ વિરુદ્ધ લડત્ત ચલાવી હતી અને એ લડત સફળ પણ રહી હતી.


ગાંધીજી ઈ. સ. 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યાં. ગોપાલકૃષ્ણ ગોખલે ગાંધીજીની રાજકીય ગુરૂ હતા અને શ્રીમદ્ રાજચંદ્ર ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ હતા. ગાંધીજીએ ગૌપાલકૃષ્ણ ગોખલે પાસેથી પ્રેરણા મેળવી ભારતના ઘણાખરા ભાગોનો પ્રવાસ કર્યો ગાંધીજીને સમજાયું કે ભારતની ગરીબીના મૂળમાં અંગ્રેજો દ્વારા થતું શોષણ કારણભૂત છે. પોતાની પ્રવૃત્તિઓને વેગ આપવા માટે ઈ.સ.1915માં કોચરબ આશ્રમની અને ઈ.સ. 1917માં સાબરમતી આશ્રમની સ્થાપના કરી. ગાંધીજીએ ભારતમાં સૌપ્રથમ બિહારમાં ચંપારણ સત્યાગ્રહ કર્યો અને આ સત્યાગ્રહ સફળ થયો. ખેડા જિલ્લામાં ઈ.સ. 1917માં અતિવૃષ્ટિને કારણે પાક નિષ્ફળ ગયો હતો. તેમ છતાં અંગ્રેજ સરકારે મહેસૂલ માફ કરવાને બદલે લેંઘરાવવાનું નક્કી કર્યું. પરિણામે ગાંધીજી અને વલસામભાઈ પટેલની આગેવાની નીચે લોકોને સત્યાગ્રહ કરવાની ફરજ પડી. આ લડતમાં વલ્લભામાઇ પટેલ નેતા તરીકે ઉભરી આવ્યા. ઈ.સ.1822 માં ગાંધીજીએ અસહકારનું આંદોલન શરૂ કર્યું. ગાંધીજી ઈ.સ.1932માં ઉત્તરપ્રદેશના ગોરખપુર પાસેના ચીરૉચોસ ગમે ખેડૂતોના ાંત સરઘસ પર પોલીસે ગોળીબાર કરતા રોષે ભરાયેલા ટોળાએ પોલીસસ્ટેશન પર હૂમલો કર્યો. પોલીસસ્ટેશને ખાગ થાપી. જેમાં 22 પોલીસ કર્મચારીઓ મૃત્યુ પામ્યા. આ સમાચાર મળતા ગાંધીજીએ અસહકાર આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત કરી.


ઈ.સ. 1930 માં ગાંધીજીએ મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરવા યાત્રા કાઢવાની જાહેરાત કરી. ગાંધીજએ 12 માર્ચ 1930ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમથી પોતાના સાથીદારો સાથે દાંડીકૂ ળ શરૂ કરી કે એપ્રિલના રોજ સૌં દાંડી ગામે પહોં ય્યા. 6 એપ્રિલે સવારે ગાંધીજીએ દાંડીના દરિયાકિનારે મીઠું હાથમાં લઈ મીઠાના કાયદાનો ભંગ કર્યો.


કમી ઑગસ્ટ, 1942માં મુંબઈમાં મળેલી કૉંગ્રેસની મહાસમિતિની બેઠકમાં અંગ્રેજોને ભારત છોડી દેવા ઐતિહાસિક હિંદ છોડોનો ઇસવ પસાર કરવામાં આવ્યો મી ઑગસ્ટે વહેલી સવારે ગાંધીજી, વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ ઉપરાંત દેશના આગેવાન કૉંગ્રેસી નેતાઓની ધરપકડ કરવામાં આવી. ગાંધીજીએ કહેલું કે આઝાદી માટે મારી આ અંતિમ લડત છે, અને તેમના માટે લોકો બધુ જ બલિદાન કરવા તૈયાર હતા. તેમનું સૂત્ર હતું કે, 'કરેંગે યા મરેંગે'


15 ઑગસ્ટ, 1947માં ભારત દેશ આઝાદ થયો ગાધીજીએ પોતાની આત્મકથા લખી હતી. ગાંધીજીએ લખેલી પોતાની આત્મકથાનું નામ સત્યનાં પ્રયોગો, હતું. તા. ૩૦ જાન્યુઆરી, 1948 ના રીજ નથુરામ ગોડસે નામના વ્યક્તિએ મહાત્મા ગાંધીજીની ગોળી મારીને હત્યા કરી હતી. ગાંધીજીના સમાધિસ્થાનને 'રાજઘાટ' નામ આપવામાં આવ્યું છે. તે દિલ્હીમાં આવેલું છે.


મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ 2 ઑક્ટોબર દર વર્ષે સમગ્ર વિશ્વમાં વિશ્વ અહિંસા દિન' તરીકે ઉજવાય છે. ગાંધીજીની પુણ્યતિથિ ૩૦ જાન્યુઆરીનો દિવસ  ભારતમાં શહીદ દિવસ તરીકે ઉજવાય છે.



દાંડીકૂચ


દાંડી સત્યાગ્રહ અથવા દાંડીકૂચ એ મહાત્મા ગાંધીના નેતૃત્ત્વમાં અંગ્રેજ શાસન સામે કરવામાં આવેલ અહિંસક સવિનય કાનૂનભંગની ચળવળ હતી. ૧૨ માર્ચ થી ૬ એપ્રિલ ૧૯૩૦ દરમિયાન ૨૪ દિવસ સુધી ચાલેલી આ લડતમાં અંગ્રેજ સરકારના મીઠા પરના એકાધિકાર તેમજ મીઠા પર લગાડવામાં આવેલા કર વિરૂદ્ધ અહિંસક પ્રતિરોધ દ્વારા પ્રત્યક્ષ કાર્યવાહીનું અભિયાન શરૂ કરવામાં આવ્યું. મહાત્મા ગાંધીએ પોતાના ૭૯ વિશ્વાસુ સ્વયંસેવકો સાથે આ સત્યાગ્રહની શરૂઆત કરી.૨૪ દિવસ સુધી પ્રતિદિન ૧૦ માઇલ અંતર કાપતી આ કૂચ સાબરમતી આશ્રમથી શરુ થઈ નવસારી નજીક દરિયાકિનારે આવેલા દાંડી ગામે પૂરી કરવામાં આવી. માર્ગમાં હજારો ભારતીયો આ કૂચમાં જોડાતા ગયા. ૬ એપ્રિલ ના રોજ સવારે ૬:૩૦ કલાકે ગાંધીજીએ મીઠાનો કાયદો તોડી નાખ્યો જેના પરિણામે સમગ્ર દેશમાં આવા અહિંસક સવિનય અવજ્ઞા આંદોલન શરૂ થયા.

દાંડીમાં કાનૂનભંગ બાદ ગાંધીજી દક્ષિણના દરિયાકિનારા તરફ આગળ વધ્યા અને મીઠાનો કાયદો તોડવાની સાથે માર્ગમાં સભાઓને સંબોધિત કરતા રહ્યા. કોંગ્રેસ પક્ષે દાંડીની દક્ષિણે ૨૫ માઇલ દૂર આવેલા ધરાસણા ખાતે સત્યાગ્રહ કરવાની યોજના બનાવી પરંતુ યોજના કાર્યાન્વિત થાય તે પહેલાં જ ચોથી મેની મધ્યરાત્રિએ ગાંધીજીની ધરપકડ કરવામાં આવી. દાંડીકૂચ અને પ્રસ્તાવિત ધરાસણા સત્યાગ્રહે સમાચાર માધ્યમો દ્વારા ભારતની આઝાદીની લડત તરફ વિશ્વનું ધ્યાન આકર્ષિત કર્યું. મીઠાના કાયદા વિરુદ્ધનો આ અહિંસક પ્રતિરોધ લગભગ એક વર્ષ સુધી ચાલુ રહ્યો અને મહાત્મા ગાંધીની જેલ મુક્તિ બાદ વાઇસરોય ઇરવીન સાથેની બીજી ગોળમેજી પરિષદ સાથે સમાપ્ત થયો. મીઠાના સત્યાગ્રહ દરમિયાન લગભગ ૬૦,૦૦૦ જેટલાં ભારતીયોને જેલમાં પૂરી દેવામાં આવ્યા.




વધુ માહિતી માટે અહી ક્લિક કરો











Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

0 Comments:

Post a Comment

Join us on Facebook Group

Followers

VISITERS